April 22, 2026
Vartman Pravah
Other

સંઘપ્રદેશ પ્રશાસનના સહયોગથી મંગળ અને બુધવારે દમણ-સેલવાસમાં સીબીઆઈની ભ્રષ્‍ટાચાર વિરોધી શાખાનો જાગૃતિ અને ફરિયાદ કેમ્‍પ

મોટી દમણના ઢોલર વીઆઈપી સરકિટ હાઉસ અને સેલવાસમાં દમણગંગા સરકિટ હાઉસ ખાતે યોજાનારો બે દિવસીય કેમ્‍પ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24
ભ્રષ્‍ટાચાર સામેની પહેલ અને પારદર્શક વહીવટના ભાગરૂપે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના સહયોગથી અગામી તા.26 અને 27મી એપ્રિલના રોજ દમણ અને સેલવાસ ખાતે મુંબઈ સીબીઆઈની ભ્રષ્‍ટાચાર વિરોધી શાખા દ્વારા જાગૃતિ અને ફરિયાદ માટેના કેમ્‍પનું આયોજન કરાયું છે. જાગૃતિ અને ફરિયાદ માટેના કેમ્‍પના આયોજનથી દેશની સર્વોચ્‍ચ તપાસ સંસ્‍થા સીબીઆઈના અધિકારીઓ પ્રદેશના નાગરિકોના ઘરઆંગણે ઉપલબ્‍ધ થશે.
આ કેમ્‍પમાં ભ્રષ્‍ટ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, બેંકકર્મીઓ ઉપરાંત ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ સામે પણ લોકો દ્વારા તેમના ભ્રષ્‍ટ કારોબારની ફરિયાદ સીબીઆઈ સમક્ષ કરવાની તક મળશે. આ કેમ્‍પમાં ફરિયાદીની ઓળખ અને નામ તેમની ઈચ્‍છા પ્રમાણે ગુપ્ત રાખવામાં આવશે.
અસરગ્રસ્‍ત વ્‍યક્‍તિ મુંબઈ સીબીઆઈ એસીબી કાર્યાલયનો સંપર્ક તેમના ફોન નંબર 022-26543700 અને 8433700000 ઉપર પણ કરી શકે છે.
સેલવાસ ખાતે કેમ્‍પ દમણગંગાસરકિટ હાઉસ અને દમણમાં વીઆઈપી ગેસ્‍ટ હાઉસ ઢોલર મોટી દમણ ખાતે યોજાશે.
અત્રે નોંધનીય છે કે, દેશની સર્વોચ્‍ચ તપાસ સંસ્‍થા સીબીઆઈની ભ્રષ્‍ટાચાર વિરોધી શાખા દ્વારા કેમ્‍પના કરાયેલા આયોજનથી પ્રદેશના કેટલાક ભ્રષ્‍ટ અધિકારીઓ, કર્મીઓ તથા ભ્રષ્‍ટ રીતિ-નીતિ અપનાવતા ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓમાં પણ ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

Related posts

બાતમીના આધારે દાનહ એક્‍સાઇઝ વિભાગ અને પોલીસની ટીમે સંયુક્‍ત રીતે પાડેલી રેડમાં ખાનવેલની એક કરિયાણાની દુકાનમાંથી અખાદ્ય ગોળ અને ગુટખાનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં દમણમાં હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિશાળ રેલી-ધરણાં પ્રદર્શન યોજાયા

vartmanpravah

‘દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસ’ની જિલ્લા સ્‍તરીય ઉજવણી પ્રશાસકશ્રીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારની દરેક યોજનાઓ પુરી પારદર્શકતા સાથે કાર્યાન્‍વિતઃ કલેક્‍ટર ડૉ. સૌરભ મિશ્રા

vartmanpravah

સેલવાસમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટરના અધુરા કામને કારણે પડતી ભારે હાલાકી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળની સરકારે આતંકવાદને રોકવા માટે અપનાવેલી આક્રમક વ્‍યૂહરચનાઃ કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

મહારાષ્ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

vartmanpravah

Leave a Comment