Vartman Pravah
Other

સંઘપ્રદેશ પ્રશાસનના સહયોગથી મંગળ અને બુધવારે દમણ-સેલવાસમાં સીબીઆઈની ભ્રષ્‍ટાચાર વિરોધી શાખાનો જાગૃતિ અને ફરિયાદ કેમ્‍પ

મોટી દમણના ઢોલર વીઆઈપી સરકિટ હાઉસ અને સેલવાસમાં દમણગંગા સરકિટ હાઉસ ખાતે યોજાનારો બે દિવસીય કેમ્‍પ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24
ભ્રષ્‍ટાચાર સામેની પહેલ અને પારદર્શક વહીવટના ભાગરૂપે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના સહયોગથી અગામી તા.26 અને 27મી એપ્રિલના રોજ દમણ અને સેલવાસ ખાતે મુંબઈ સીબીઆઈની ભ્રષ્‍ટાચાર વિરોધી શાખા દ્વારા જાગૃતિ અને ફરિયાદ માટેના કેમ્‍પનું આયોજન કરાયું છે. જાગૃતિ અને ફરિયાદ માટેના કેમ્‍પના આયોજનથી દેશની સર્વોચ્‍ચ તપાસ સંસ્‍થા સીબીઆઈના અધિકારીઓ પ્રદેશના નાગરિકોના ઘરઆંગણે ઉપલબ્‍ધ થશે.
આ કેમ્‍પમાં ભ્રષ્‍ટ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, બેંકકર્મીઓ ઉપરાંત ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ સામે પણ લોકો દ્વારા તેમના ભ્રષ્‍ટ કારોબારની ફરિયાદ સીબીઆઈ સમક્ષ કરવાની તક મળશે. આ કેમ્‍પમાં ફરિયાદીની ઓળખ અને નામ તેમની ઈચ્‍છા પ્રમાણે ગુપ્ત રાખવામાં આવશે.
અસરગ્રસ્‍ત વ્‍યક્‍તિ મુંબઈ સીબીઆઈ એસીબી કાર્યાલયનો સંપર્ક તેમના ફોન નંબર 022-26543700 અને 8433700000 ઉપર પણ કરી શકે છે.
સેલવાસ ખાતે કેમ્‍પ દમણગંગાસરકિટ હાઉસ અને દમણમાં વીઆઈપી ગેસ્‍ટ હાઉસ ઢોલર મોટી દમણ ખાતે યોજાશે.
અત્રે નોંધનીય છે કે, દેશની સર્વોચ્‍ચ તપાસ સંસ્‍થા સીબીઆઈની ભ્રષ્‍ટાચાર વિરોધી શાખા દ્વારા કેમ્‍પના કરાયેલા આયોજનથી પ્રદેશના કેટલાક ભ્રષ્‍ટ અધિકારીઓ, કર્મીઓ તથા ભ્રષ્‍ટ રીતિ-નીતિ અપનાવતા ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓમાં પણ ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

Related posts

દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવા બદલ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાનો માનેલો આભાર

vartmanpravah

સંઘપ્રદેશમાં શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓને દફતર, યુનિફોર્મ, બુટ, પાઠયપુસ્‍તક સહિતની સાધન-સામગ્રી અપાશે

vartmanpravah

2024ના નવા વર્ષને વધાવવા દાદરા નગર હવેલીમાં ઉમટી પડેલું યુવાધન

vartmanpravah

બ્રિટનના લેસ્‍ટરમાં થઈ રહેલા પાકિસ્‍તાન સમર્થિત તોફાનના સંદર્ભમાં દમણ માછી સમાજ અને દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સોંપેલું આવેદનપત્ર

vartmanpravah

શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘની છઠ્ઠી વાર્ષિક સામાન્‍ય સભા સંપન્ન મહાસંઘના પ્રમુખ વિશાલભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં શ્રી માછી સમાજ હોલ, રાધે શ્‍યામ મંદિર, નારગોલ બંદરે મળેલી સભા

vartmanpravah

દમણમાં છેલ્લા 9 મહિનાથી બંધ રહેલી કન્‍સ્‍ટ્રક્‍શન, એન.એ. સહિતની જમીનને લગતી પરમિશનો આપવા કરાયેલો પ્રારંભ

vartmanpravah

Leave a Comment