March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પરિવહન વિભાગની નવતર પહેલઃ પ્રદેશના પ્રત્‍યેક પેસેન્‍જર વાહનોમાં હવે કચરો નાંખવા ટીંગાડાશે એક થેલી

દમણના આર.ટી.ઓ. બિપીન પવારે રિક્ષા, ટેક્ષી તથા મીનીબસ ચાલકોને વિભાગ દ્વારાથેલી આપી પેસેન્‍જરોને પોતાનો કચરો વાહન કે વાહનની બહાર નહીં પરંતુ થેલીમાં નાંખવા પ્રેરિત કરવા આપેલી સમજણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના પરિવહન વિભાગે સ્‍વચ્‍છતા અભિયાનને આદતોને બદલવાની થીમ ઉપર પ્રદેશમાં ચાલી રહેલા ઓટોરિક્ષા, ટેક્ષી અને બસોમાં ગંદકી ફેલાઈ નહીં અને પેસેન્‍જરોમાં સારી આદત બને એવા ઉમદા હેતુથી દરેક પેસેન્‍જર વાહનોમાં કચરો નાંખવા માટે એક થેલીની વ્‍યવસ્‍થા કરી છે. જેના કારણે વાહનોમાં પેસેન્‍જરો દ્વારા ખવાતા ખાદ્ય પદાર્થો જેવા કે વેફર, બિસ્‍કીટ, ચોકલેટ, વગેરેના રેપર સિંગ-ચણાના છીલકાં તથા રદ્દી કાગળ, થેલી ફળ વગેરેની છાલ ગાડી અથવા ગાડીની બહાર નહીં ફેંકે તેવા ઉમદા આશયથી વાહનોમાં થેલીની વ્‍યવસ્‍થાનો નવતર પ્રયોગ કરવામાં આવ્‍યો છે. જેના કારણે વાહનોની અંદર ગંદકી નહીં ફેલાશે અને પ્રદેશની સડકો પણ ચોખ્‍ખી-ચણાંક રહેશે. પ્રદેશના પરિવહન વિભાગ દ્વારા ઓટોરિક્ષા ટેક્ષી તથા બસોમાં થેલીઓ વિનામૂલ્‍યે આપવામાં આવી છે.
દમણમાં આર.ટી.ઓ. શ્રી બિપીન પવારના નેતૃત્‍વમાં ઓટોરિક્ષા, ટેક્ષી તથા મીનીબસોમાં થેલીઓ લગાવવામાં પણ આવી હતી અને પેસેન્‍જરોને પોતાનો કચરો બાજુમાંટીંગાડવામાં આવેલ થેલીમાં જ કચરો નાંખવા પ્રેરિત કરવા સમજણ પણ આપવામાં આવી હતી.

Related posts

આંતરરાષ્‍ટ્રીય દિવસ પર અનુરાગ સિંહ અને મનિષ ઝા દ્વારા વિશેષ સેમિનારનું સમાપન

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણની પ્રસ્‍તાવિત મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચોઃ દાનહના દરેક નાનાં નાનાં ગામ, ફળિયા-પાડામાં પહોંચી રહી છે આરોગ્‍ય વિભાગની ટીમ

vartmanpravah

ધરમપુરના માકડબંધમાં 30 યુગલો સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે

vartmanpravah

ભાજપ વલસાડ જિલ્લા-પારડી શહેર દ્વારા પારડી ખાતે યોજાયો નિઃશુલ્‍કᅠમેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પᅠ

vartmanpravah

કરચોંડના પતિ-પત્‍ની નદીમાં તણાતાં એનડીઆરએફની ટીમે હાથ ધરેલી શોધખોળ

vartmanpravah

જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયાના અધ્યક્ષસ્થાને ઘેલવાડ પંચાયત ભાજપ મંડળની બેઠકમાં સંગઠનને મજબુત બનાવવા અને સરકારની યોજનાઓ છેવાડેના લોકો સુધી પહોંચાડવા મનન-મંથન

vartmanpravah

Leave a Comment