April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદીવપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં તા.૧૬મીએ ‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ”ની ઉજવણી કરાશે

વલસાડ તા.૧૨: વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં દ૨ વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૧૬મી મે, ૨૦૨૨ નાં રોજ ‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ”ની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીનો હેતુ લોકોમાં ડેન્‍ગ્‍યુ વિશે જાગળતતા લાવવાનો છે. આ ઉજવણી અંતર્ગત સમગ્ર જિલ્લામાં ડેન્‍ગ્‍યુનાં લક્ષણો, ડેન્‍ગ્‍યુનો ફેલાવો, ડેન્‍ગ્‍યુથી બચવા માટેનાં ઉપાયો, વ્‍યક્‍ત અને મચ્‍છ૨ વચ્‍ચેનો સંપર્ક અટકાવવાનાં ઉપાયો વિશે મચ્‍છરની ઉત્‍પતિ અટકાવવા માટેનાં ઉપાયો વિગેરે વિશે ઘરે-ઘરે જઇ સમજ આપવામાં આવશે.

ડેન્‍ગ્‍યુ મચ્‍છ૨થી જ ફેલાય છે અને ડેન્‍ગ્‍યુ નાબુદી માત્ર સરકારની સાથે સમાજની પણ જવાબદારી છે ત્‍યારે વલસાડ જિલ્લામાં વાહકજન્‍ય રોગ નિયંત્રણ માટે મચ્‍છર ઉત્‍પતિનાં સંભવિત તમામ ઘરોની અંદર અને બહારની જગ્‍યાઓ, બાંધકામ વાળી જગ્‍યાઓ, પાણીનાં ભરાવા વાળી જગ્‍યાઓ વગેરે સ્‍થળો ઉપર પોરાનાશક કામગીરીમાં લોકોને પણ સક્રિય રીતે સામેલ કરી ડેન્‍ગ્‍યુ નિયંત્રણનાં પગલાંઓથી માહિતગાર કરવામાં આવશે.

‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ” ઉજવણીનાં ભાગરૂપે જિલ્લામાં વાહકજન્‍ય રોગ અટકાયતી પગલાં માટે જાહેર સ્‍થળોએ બેનરો લગાવી તથા -દર્શન ગોઠવવા વિગેરે -કારની -ચાર–સારની કામગીરી પણ કરવામાં આવનાર છે. વધુમાં જુન માસને મેલેરિયા વિરોધી માસ તથા જુલાઇ માસને ડેન્‍ગ્‍યુ વિરોધી મારા તરીકે ઉજવવાનું આયોજન પણ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા કરાયું છે.

આરોગ્‍ય કર્મચારીઓ દ્વારા ડેન્‍ગ્‍યુનાં લક્ષણો જણાય તેવા દર્દીની વધુ તપાસ કરી નમુનો લઇ વિના મુલ્‍યે નિદાન કરી જરૂરી સા૨વા૨ આપવામાં આવે છે. સૌ સાથે મળીને ડેન્‍ગ્‍યુને અટકાવવા સહભાગી બનીએ, એવો મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી તથા જિલ્લા મેલેરીયા અધિકારી દ્વારા અનુરોધ ક૨વામાં આવ્‍યો છે. આ અંગે વધુ માહિતી માટે નજીકનાં આરોગ્‍ય કર્મચારીઓ, આશા બહેનો કે સરકારી દવાખાનાનો સંપર્ક સાધવા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

સંઘપ્રદેશમાં શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓને દફતર, યુનિફોર્મ, બુટ, પાઠયપુસ્‍તક સહિતની સાધન-સામગ્રી અપાશે

vartmanpravah

સગીર બાળકોના વાલીઓને સબક મળે તે હેતુસર વલસાડ જિલ્લા ટ્રાફિક અને પારડી ટ્રાફિક પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ

vartmanpravah

દમણ-દલવાડાના વાસુકીનાથ મહાદેવ મંદિરમાં શ્રીમદ્‌ ભાગવત કથામાં રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલીમાં રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ પર ગટરોનું કામ કરાયું પણ માટી પુરાણ કરવાનું જ ભૂલાઈ ગયું!

vartmanpravah

દાનહઃ દૂધની મેઢા ઘાટ ઉપર કારચાલકે સ્‍ટીયરીંગ ઉપરથી સંતુલન ગુમાવતાં સર્જાયો ગોઝારો અકસ્‍માત

vartmanpravah

કેન્‍દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે વલસાડના ઈન્‍કમટેક્‍સ ઓફિસરને એવોર્ડ એનાયત

vartmanpravah

Leave a Comment