September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે બામટી ખાતે કોમ્‍યુનીટી હોલ અને કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.19
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બામટી ખાતે આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા મંજૂર થયેલાકામો કલ્‍ચરલ કમ કોમ્‍યુનીટી હોલ અને સરકારી કુમાર છાત્રાલયના મકાન બાંધકામની ખાતમુહૂર્તવિધિ તા.20/5/2022ના રોજ બપોરે 3-00 કલાકે કરવામાં આવશે. આ ખાતમુહૂર્ત નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઈ પટેલના મુખ્‍ય મહેમાન પદે તેમજ કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો) નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્‍કાબેન શાહ તેમજ સાંસદ ડો. કે.સી.પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં કરાશે. આ અવસરે અતિથિવિશેષ તરીકે ધારાસભ્‍યો સર્વેશ્રી અરવિંદભાઈ પટેલ, ભરતભાઈ પટેલ અને રમણલાલ પાટકર, સામાજિક ન્‍યાય સમિતિ અધ્‍યક્ષ શ્રી ધવલભાઈ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન ગાંવિત, ધરમપુર નગરપાલિકા પ્રમુખ જ્‍યોત્‍સનાબેન દેસાઈ તેમજ બામટી સરપંચ વિજયભાઈ પાનેરીયા ઉપસ્‍થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

ઉમરગામ તાલુકાની વિધાનસભા બેઠક ભાજપા માટે સુરક્ષિત: વયમર્યાદાએ પહોંચેલા રમણભાઈ સહિત ઘણા ઉમેદવારો ચૂંટણી લડવા બનાવી રહેલા મન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને પહેલથી

vartmanpravah

પારડીમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્‍તે 4 કરોડ 50 લાખના રસ્‍તાઓનું ખાતમુહૂર્ત

vartmanpravah

વલસાડ જિ.પં.ના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ચીખલી, ખેરગામ, વાંસદા વિભાગના વ્‍યવસ્‍થાપક કમિટિના સભ્‍ય માટે યોજાયેલી ચૂંટણીમાં ઘેજના તેજસ પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

દાનહમાં રાજસ્‍થાન યુવા સેવા સંઘ દ્વારા યોજાયેલા રક્‍તદાન શિબિરમાં 90 યુનિટ રક્‍ત એકત્ર

vartmanpravah

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના લોકોને ફરજીયાત સીવરેજ-સેપ્‍ટિક ટેન્‍કની સાફ-સફાઈ કરવા સૂચના

vartmanpravah

Leave a Comment