Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

28 મે ના શનિવારે આંબાતલાટ ખાતે આદિવાસી સાંસ્‍કળતિક સંમેલન યોજાશે

આંબાતલાટ હિલ સ્‍ટેશન ઉપર તડામાર તૈયારી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.25
તા.28-5-2022ના રોજ સાંજે 7-00 વાગે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબાતલાટ દહીંગઢ ડુંગર (હિલ સ્‍ટેશન) ખાતે આદિવાસી સાંસ્‍કળતિક સંમેલન મળશે. જેના આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
માવલી માતાના સાનિધ્‍યમાં યોજાનારા સાંસ્‍કળતિક કાર્યક્રમમાં ઢોડિયા, કુંકણા, વારલી, આદિમજૂથ સંસ્‍કળતિની વિસરાય જતી સાંસ્‍કળતિક પરંપરાને ઉજાગર કરવાનો પ્રયાસ સાંસ્‍કળતિક સમિતિ દ્વારા કરવામાં આવ્‍યો છે. તુર-થાળી નૃત્‍ય, ઢોડિયા-કુંકણા સમાજની લગ્ન રીત સાથે લોકબોલીમાં લગ્ન ગીતો, માદળ નૃત્‍ય, ડાક વાદન, તારપા નૃત્‍ય, કાહળ્‍યા નૃત્‍ય, લોકબોલીમાં નાટકો, રજૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમનો મુખ્‍ય આશય આદિવાસી સંસ્‍કળતિને જીવંત રાખવાનો છે. સાથે આ વિસ્‍તારમાં સંસ્‍કળતિના જતન સાથે આજની યુવાપેઢીને માહિતગાર કરવાનો છે. આ એક પ્રથમ પ્રયાસ છે. આ વિસ્‍તાર યુવાનો માટે વિવિધ પરીક્ષા માટે વિનામૂલ્‍યે તાલીમવર્ગ, લાયબ્રેરીની સુવિધા આપવાનો છે.
આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા અધ્‍યક્ષ આદિવાસી સાંસ્‍કળતિક સમિતિ આંબાતલાટ દ્વારા જણાવાયું છે.
————

Related posts

ધરમપુર માલનપાડામાં ગેસ લાઈન લિકેજ બાદ બ્‍લાસ્‍ટ સાથે ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઈન સર્વિસ ‘‘1098” દીવ દ્વારા એક્‍સિસ બેન્‍ક ખાતે બાળ જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા 74મા ‘બંધારણ દિવસ’ને મનાવાયો

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ઈન્‍ડસ્‍ટ્રીઝની ઓફીસમાં જુગાર રમતા 7 ઉદ્યોગપતિ-વેપારી ઝડપાયા

vartmanpravah

દાનહના રખોલીમાં ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત મહેસૂલ શિબિર યોજાશે

vartmanpravah

દીવમાં ખરાબ રસ્‍તાના કારણે રોંગ સાઈડ પર આવતી ફોર વ્‍હીલરને અકસ્‍માત

vartmanpravah

Leave a Comment