April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

28 મે ના શનિવારે આંબાતલાટ ખાતે આદિવાસી સાંસ્‍કળતિક સંમેલન યોજાશે

આંબાતલાટ હિલ સ્‍ટેશન ઉપર તડામાર તૈયારી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.25
તા.28-5-2022ના રોજ સાંજે 7-00 વાગે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબાતલાટ દહીંગઢ ડુંગર (હિલ સ્‍ટેશન) ખાતે આદિવાસી સાંસ્‍કળતિક સંમેલન મળશે. જેના આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
માવલી માતાના સાનિધ્‍યમાં યોજાનારા સાંસ્‍કળતિક કાર્યક્રમમાં ઢોડિયા, કુંકણા, વારલી, આદિમજૂથ સંસ્‍કળતિની વિસરાય જતી સાંસ્‍કળતિક પરંપરાને ઉજાગર કરવાનો પ્રયાસ સાંસ્‍કળતિક સમિતિ દ્વારા કરવામાં આવ્‍યો છે. તુર-થાળી નૃત્‍ય, ઢોડિયા-કુંકણા સમાજની લગ્ન રીત સાથે લોકબોલીમાં લગ્ન ગીતો, માદળ નૃત્‍ય, ડાક વાદન, તારપા નૃત્‍ય, કાહળ્‍યા નૃત્‍ય, લોકબોલીમાં નાટકો, રજૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમનો મુખ્‍ય આશય આદિવાસી સંસ્‍કળતિને જીવંત રાખવાનો છે. સાથે આ વિસ્‍તારમાં સંસ્‍કળતિના જતન સાથે આજની યુવાપેઢીને માહિતગાર કરવાનો છે. આ એક પ્રથમ પ્રયાસ છે. આ વિસ્‍તાર યુવાનો માટે વિવિધ પરીક્ષા માટે વિનામૂલ્‍યે તાલીમવર્ગ, લાયબ્રેરીની સુવિધા આપવાનો છે.
આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા અધ્‍યક્ષ આદિવાસી સાંસ્‍કળતિક સમિતિ આંબાતલાટ દ્વારા જણાવાયું છે.
————

Related posts

પદ્મશ્રી એવોર્ડ માટે નામાંકિત પ્રભાબેન શાહ સાથે દમણ જિલ્લા પ્રમુખ અને ડીએમસી કાઉન્‍સિલર અસ્‍પી દમણિયાએ જિલ્લા ટીમ અને કાઉન્‍સિલર સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ચીખલીના દેગામથી 397 બકરા ભરેલી ત્રણ ટ્રકો ઝડપાઈ : પ ઈસમોની ધરપકડઃ રૂા. 21.53 લાખનો મુદ્દામાલ જપ્ત

vartmanpravah

દાનહ વનકર્મીઓની ટીમે દૂધની અને કરચોંડથી ઘુવડ સાથે બે વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

વાપી ચલા શુભમ ટાવર-2માં દેવ ઉઠી એકાદશીએ લડ્ડુ ગોપાલ મહોત્‍સવની ધામધૂમ પૂર્વક કરાયેલી ઉજવણી

vartmanpravah

UIDIA પ્રાદેશિક કાર્યાલય મુંબઈ દ્વારા આજે સેલવાસમાં કલા કેન્‍દ્ર ખાતે કાર્યશાળા યોજાશે

vartmanpravah

કપરાડાના હુડા પાસે હાઈવે વળાંકમાં ટ્રક પલટી જતા બે ટુકડા થયા : ડ્રાઈવર-ક્‍લિનરનું મોત

vartmanpravah

Leave a Comment