April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના આગમન બાદ દમણ-દીવ અને દાનહને દુનિયામાં મળેલી નવી ઓળખઃ સાંસદ લાલુભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.01
દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત ‘ગરીબ કલ્‍યાણ સમારંભ’માં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગમન બાદ દમણ-દીવ અને દાદરા નગર હવેલીને દુનિયામાં નવી ઓળખાણ મળી છે. પ્રદેશની મુક્‍તિ બાદ પહેલી વખત વિકાસ માટે ઈમાનદારીથી પ્રયાસ થયો છે. તેમણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પ્રશંસા કરતા જણાવ્‍યું હતું કે, તેમના આગમન બાદ દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં દરેક ક્ષેત્રે વિકાસ થયો છે. તેમણે મેડિકલ કોલેજ, એન્‍જિનિયરીંગ કોલેજ, બીચ રોડ, રીંગરોડ સહિતના અનેક વિકાસના કામો ગણાવ્‍યા હતા.
પ્રારંભમાં સંઘપ્રદેશના ગ્રામ્‍ય વિકાસ અને નાણાં વિભાગના સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતે પોતાના સ્‍વાગત વક્‍તવ્‍યમાં કાર્યક્રમની પ્રસ્‍તાવના રજૂ કરી હતી.

Related posts

નીતિ આયોગ દ્વારા આકાંક્ષી બ્‍લોક કાર્યક્રમ અંતર્ગત દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં જાહેર સ્‍થળોની કરાયેલી સાફ-સફાઈઃલીધેલા સ્‍વચ્‍છતાના શપથ

vartmanpravah

વાપી-કોપરલી ચાર રસ્‍તા પાસેથી દારૂનો જથ્‍થો ભરેલી ઈકો સ્‍પોર્ટસ કાર ઝડપાઈ

vartmanpravah

કપરાડા નાનાપોંઢામાં ડુપ્‍લીકેટ નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું : વલસાડ એસ.ઓ.જી.નું સફળ ઓપરેશન

vartmanpravah

‘ઈ-મેઘ સિસ્ટમ’ વલસાડ શહેર માટે આશીર્વાદરૂપ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૭૫ અમૃત સરોવરની કામગીરી મુદ્દે સરપંચ અને તલાટીઓનો સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી કરવડ-મોટાપોંઢા રોડ તા.24 જૂન સુધી બુલેટ ટ્રેન કામગીરીને લઈ રાત્રે બંધ રહેશે

vartmanpravah

Leave a Comment