March 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના આગમન બાદ દમણ-દીવ અને દાનહને દુનિયામાં મળેલી નવી ઓળખઃ સાંસદ લાલુભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.01
દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત ‘ગરીબ કલ્‍યાણ સમારંભ’માં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગમન બાદ દમણ-દીવ અને દાદરા નગર હવેલીને દુનિયામાં નવી ઓળખાણ મળી છે. પ્રદેશની મુક્‍તિ બાદ પહેલી વખત વિકાસ માટે ઈમાનદારીથી પ્રયાસ થયો છે. તેમણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પ્રશંસા કરતા જણાવ્‍યું હતું કે, તેમના આગમન બાદ દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં દરેક ક્ષેત્રે વિકાસ થયો છે. તેમણે મેડિકલ કોલેજ, એન્‍જિનિયરીંગ કોલેજ, બીચ રોડ, રીંગરોડ સહિતના અનેક વિકાસના કામો ગણાવ્‍યા હતા.
પ્રારંભમાં સંઘપ્રદેશના ગ્રામ્‍ય વિકાસ અને નાણાં વિભાગના સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતે પોતાના સ્‍વાગત વક્‍તવ્‍યમાં કાર્યક્રમની પ્રસ્‍તાવના રજૂ કરી હતી.

Related posts

‘‘વિદ્યાર્થી ઉદ્યમીતા સાહસિકતા નીતિ” અંતર્ગત વલસાડ જિલ્લામાંથી ભીલાડ સરકારી વિજ્ઞાન કોલેજના બે વિદ્યાર્થીની પસંદગી

vartmanpravah

દમણના ઉમંગ ટંડેલની ગુજરાતની અંડર-23 ટીમમાં વન-ડે ક્રિકેટ ટુર્નામેન્‍ટ માટે પસંદગી

vartmanpravah

સ્‍વ. શ્રી શાંતિલાલ શાહના જીવન ઝરમર

vartmanpravah

વાપીઃ છરવાડા રમઝાનવાડી બિલખાડીની નહેરમાં પડી ગયેલ ગાયનું રેસ્ક્યૂ કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપની મિટિંગ યોજાઈઃ તા.4-5 નવેમ્‍બરે પ્રશિક્ષણ વર્ગ યોજશે

vartmanpravah

વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment