(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.01
દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત ‘ગરીબ કલ્યાણ સમારંભ’માં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન બાદ દમણ-દીવ અને દાદરા નગર હવેલીને દુનિયામાં નવી ઓળખાણ મળી છે. પ્રદેશની મુક્તિ બાદ પહેલી વખત વિકાસ માટે ઈમાનદારીથી પ્રયાસ થયો છે. તેમણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તેમના આગમન બાદ દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં દરેક ક્ષેત્રે વિકાસ થયો છે. તેમણે મેડિકલ કોલેજ, એન્જિનિયરીંગ કોલેજ, બીચ રોડ, રીંગરોડ સહિતના અનેક વિકાસના કામો ગણાવ્યા હતા.
પ્રારંભમાં સંઘપ્રદેશના ગ્રામ્ય વિકાસ અને નાણાં વિભાગના સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતે પોતાના સ્વાગત વક્તવ્યમાં કાર્યક્રમની પ્રસ્તાવના રજૂ કરી હતી.