December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ચકસણી કરાઈ

મે માસમાં 39 નમુનાઓની તપાસ કરવામાં આવી હતી _ ખાદ્ય નમુના નાપાસ થતા 5 વેપારીઓને નોટિસ અપાઈ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: વલસાડજિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મે માસ દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીને ત્‍યાંથી ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવા માટે 39 જેટલા નમુનાઓ લેવામા આવ્‍યા હતાં. આ નમુનાઓની ચકાસણી કરતા ફૂડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-2006ના નિયમો અને રેગ્‍યુલેશન -2011 અનુસાર કુલ 34 નમૂનાઓ સામાન્‍ય જણાઈ આવ્‍યા હતાં. તેમજ આ નમુનાઓ અને ગત માસના બાકી રહેલા 63 નમુનાઓ પૈકી 5 નમુનાઓ ફૂડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-2006ના નિયમો અને રેગ્‍યુલેશન – 2011 અનુસાર ગુણવતા ધરાવતા નહોવાથી નાપાસ થયા હતા. જેથી 5 વેપારીઓને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી.
ફૂડ સેફટી ઓફિસર જે. કે. ભડારકા, સી. એન. પરમાર અને આર. એમ. પટેલે તપાસ કરીને ગાય અને ભેંસના છૂટક દૂધનું તથા માવા મલાઈ કુલ્‍ફીનું વેચાણ કરતા ચાર(4) વેપારીઓને સબ સ્‍ટાન્‍ડર્ડ અને મીઠાના પેકેટનું ખોટી બ્રાંડ આનુસાર વેચાણ કરતા એક (1) વેપારીને નોટિસ આપી હતી. વલસાડ તલુકાના મંગલમ એપાર્ટમેન્‍ટ હાલર રોડ તળાવ નજીકની આવેલી ગોપાલ ડેરીના પ્રમોદકુમાર જશવંતીલાલ રાજપુતને ખરાબ ગુણવત્તાના ગાય અને ભેંસના છૂટક દૂધ, ઉમરગામ તાલુકાના નારગોલના સાંઇ નગર એપાર્ટમેન્‍ટ, ગાંધી રોડ ખાતે આવેલી શ્રી વિનાયક ડેરીનાપુશ્‍કર શંકરલાલ ડાંગેને ખરાબ ગુણવત્તાના ગાયના છૂટક દૂધ, ધરમપુર તાલુકાના આસુરા ઝાંપા ખાતે આવેલ બોમ્‍બે ચોપાટી આઈસક્રીમના શાંતિલાલ દેવીલાલ જાટને ખરાબ ગુણવત્તાની નોર્વે માવા કુલ્‍ફીનું વેચાણ તથા વલસાડના હાલર વશી ફળિયાના આશિવશ્રમ એપાર્ટમેન્‍ટ ખાતે આવેલા શોપ ફ સેવ મીની માર્ટના નીત નલીનભાઈ પટેલને ખોટી બ્રાન્‍ડના મીઠાના પેકેટનું વેચાણ કરવા બદલ નોટિસ આપવામાં આવી હતી.

Related posts

એસઆઈએના પ્રમુખ નિર્મલ દુધાનીએ સંભાળેલો વિધીવત ચાર્જ

vartmanpravah

ચીખલીના માંડવખડક ગામે આઈટીઆઈની વિદ્યાર્થીની કોરોના પોઝેટીવ આવતા આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવાયા

vartmanpravah

કમોસમી વરસાદ અને વાવાઝોડાંમાં અસરગ્રસ્ત બનેલા દાનહના ગામડાઓના પરિવારોના વ્હારે આવી આરતી ઇન્ડસ્ટ્રીઝઃ સિમેન્ટના પતરાનું કર્યું વિતરણ

vartmanpravah

અતુલ સ્‍મશાન ગૃહમાંકોવિદની બીજી લહેરમાં 103 જેટલા મૃતકોનો અગ્નિ સંસ્‍કાર કરનારનું નામ ઈન્‍ડિયા બુક રેકોર્ડમાં નોંધાયું

vartmanpravah

ખડકી હાઈવે પર અજાણ્‍યા વાહને મોટર સાયકલને અડફેટમાં લેતા મોટર સાયકલ ચાલકનું ઘટના સ્‍થેળ જ મોત

vartmanpravah

વલસાડ અને વાપીમાં સરકારી પોલીટેકનિક દ્વારા ડિપ્‍લોમામાં પ્રવેશ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment