July 29, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

પ્રદેશ લઘુમતિ મોર્ચાની ચૌપાલમાં મોદી સરકારના 8 વર્ષના કાર્યકાળની આપવામાં આવેલી ઝલક

  • લઘુમતિ મોર્ચાના પ્રદેશ અધ્‍યક્ષ શૌકત મિઠાણીએ દાનહ અને દમણ-દીવના લઘુમતિ સમુદાયના બહુમતિ લોકોને ભાજપનો પહેરાવેલો ખેસ

  • પાકિસ્‍તાન અને ચીનને ભારતની પ્રગતિ અને વિકાસ જોઈ શકાતો નથી તેથી આ બંને દેશ ભારતને કમજોર કરવા માટે ષડ્‍યંત્ર રચતા રહે છેઃ ભાજપના લઘુમતિ મોર્ચાના રાષ્‍ટ્રીય સચિવ સૈયદ ઈબ્રાહિમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14
મોદી સરકારના 8 વર્ષ પુરા થવા પર ભાજપના રાષ્‍ટ્રીય લઘુમતિ મોર્ચા દ્વારા આપવામાં આવેલ દિશાનિર્દેશ મુજબસંઘપ્રદેશ ભાજપના પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકર, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશ ટંડેલ તેમજ સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકરના માર્ગદર્શન હેઠળ દાનહ અને દમણ-દીવ પ્રદેશ લઘુમતિ મોર્ચાના પ્રમુખ શ્રી શૌકત મિઠાણી દ્વારા ગઈકાલે દમણના ખારીવાડ ખાતે અમર અકબર એન્‍થનીમાં દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ લઘુમતિ મોર્ચા દ્વારા આયોજીત ચૌપાલમાં ભાજપ લઘુમતિ મોર્ચાના રાષ્‍ટ્રીય મંત્રી શ્રી સૈયદ ઈબ્રાહિમ ઉપસ્‍થિત રહ્યા હતા.
ચૌપાલને સંબોધિત કરતા ભાજપના લઘુમતિ મોર્ચાના રાષ્‍ટ્રીય સચિવ શ્રી સૈયદ ઈબ્રાહિમે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દેશની 130 કરોડ જનતા માટે કામ કર્યું છે. આપણા પ્રધાનમંત્રી મોદીએ ક્‍યારેય પણ દેશના ગરીબો અને જરૂરતમંદોને યોજનાઓના માધ્‍યમથી મદદ કરવામાં હિન્‍દુ-મુસ્‍લિમ-શીખ-ઈસાઈનો ભેદભાવ રાખ્‍યો નથી. તેમણે જણાવ્‍યું હતું કે, મોદીજીને દરેકને કલ્‍યાણકારી યોજનાઓથી જોડી તેમના જીવન-સ્‍તરને બદલદવાનું કામ કર્યું છે. તેમણે વિશ્વાસ વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, અગામી 20 થી 30 વર્ષ સુધી દેશમાં ભાજપની સરકાર રહેશે. તેમણે જણાવ્‍યું હતું કે, કોંગ્રેસે ગરીબોના પૈસા ખાવાનું કામ કર્યું છે.
દેશમાં ચાલી રહેલા વિવાદના સંદર્ભમાં શ્રી સૈયદ ઈબ્રાહિમે જણાવ્‍યું હતું કે, પોલીસ ઉપરપથ્‍થર ફેંકવો, લોકોની દુકાનો અને વાહનોને સળગાવવા, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવું એ મુસ્‍લિમ સમાજનું કામ નથી. આપણે કોઈની પણ ચડામણીમાં આવવું નથી. કારણ કે, કેટલાક મુઠ્ઠીભર લોકોના કારણે બીજાને ભોગવવું પડે છે. તેમણે જણાવ્‍યું હતું કે, પાકિસ્‍તાન અને ચીનથી ભારતની પ્રગતિ અને વિકાસ જોઈ શકાતો નથી. તેથી આ બંને દેશ ભારતને કમજોર કરવા માટે ષડ્‍યંત્ર રચતા રહે છે.

Related posts

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા રાજ્‍ય સ્‍તરીય ચિત્રકલા સ્‍પર્ધા -2021નું આયોજન કરાયું

vartmanpravah

ઉમરગામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં વિકાસ કમિશનરના આકારણી માટેના પરિપત્રનું થઈ રહેલું ઉલ્લંઘન

vartmanpravah

દમણવાડાના પલહિત ખાતે મળેલી રાત્રિ ચૌપાલ

vartmanpravah

વલસાડ વિધાનસભાની પાંચ બેઠકો માટે ભાજપ નિરીક્ષકોએ કાર્યકરોની સેન્‍સ લીધી

vartmanpravah

ધરમપુર આવધા ઘાટ રોડ ઉપર રોડ માર્જિનમાં આવેલ ઝાડ સાથે બાઈક ભટકાતા ઉથલપાડાના યુવકનું મોત

vartmanpravah

વાપી નૂતનનગરમાં ઘરની સામે પાર્ક કરેલી ઈકો કાર રાતમાં ઉપડી ગઈ

vartmanpravah

Leave a Comment