Vartman Pravah
Breaking Newsદમણ

નાની દમણના કડૈયા પ્રગતિ મંડળ દ્વારા અંબા માતાજીના 16મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવ પૂર્વક કરાયેલીઉજવણી

કડૈયા ગામના માહ્યાવંશી સમાજ માટે આસ્‍થાનું મુખ્‍ય કેન્‍દ્ર બનેલ અંબા માતાજીના પાટોત્‍સવ દરમિયાન ભક્‍તિના રંગમાં ડૂબેલું આખું ગામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15
નાની દમણના કડૈયા પ્રગતિ મંડળ દ્વારા શ્રી અંબા માતાજીના 16મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કડૈયા ખાતે અંબા માતાજીનું મંદિર માહ્યાવંશી સમાજ માટે આસ્‍થાનું મુખ્‍ય કેન્‍દ્ર બનેલું છે અને કડૈયાના માહ્યાવંશી સમાજ તેમજ આજુબાજુના અન્‍ય સમાજના લોકોની સવારની શરૂઆત માતાજીના દર્શનથી થાય છે.
શ્રી અંબા માતાજીના 16મા પાટોત્‍સવ દરમિયાન કડૈયા ગામની દિકરીઓ દ્વારા માથા ઉપર કળશ અને ભાઈઓ દ્વારા માતાજીની પાલખી લઈ આખા ગામમાં શોભાયાત્રા નીકળી હતી. ઘરે ઘરે માતાજીની પાલખીની આતરી ઉતારવામાં આવી હતી. જેના કારણે સમગ્ર ગામ ભક્‍તિમય બની ગયું હતું.
દર વર્ષે માતાજીના મંદિરમાં પાટોત્‍સવ દરમિયાન થતા યજ્ઞમાં આ વર્ષે બેસવાનો લ્‍હાવો શ્રી રિતેષ મહેન્‍દ્ર આગરિયા અને શ્રીમતી રોશની રિતેશ આગરિયાની યુગલ જોડીને મળ્‍યો હતો. ત્‍યારબાદ માતાજીના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આયોજીત મહાપ્રસાદનો લાભ પણ સેંકડો લોકોએ લીધો હતો.
આ પ્રસંગે કડૈયાના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, કડૈયાનાપૂર્વ સરપંચ અને સામાજિક આગેવાન શ્રી ગજુભાઈ પટેલ, પ્રદેશના આગેવાન મહિલા નેતા અને સાંસદ શ્રી લાલુભાઈ પટેલના ધર્મપત્‍ની શ્રીમતી તરૂણાબેન પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં કડૈયાના નિવાસી અને પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા, શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી મનહરભાઈ રાઠોડ, શ્રી હેમંતભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ આગરિયા, શ્રી ગણપતભાઈ રાઠોડ, શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ આગરિયા, શ્રી અમૃતભાઈ પટેલ, શ્રી શૈલેન્‍દ્રભાઈ રાઠોડ, શ્રી રાજુભાઈ આગરિયા, શ્રી દિનેશભાઈ આગરિયા, શ્રી મયુરશભાઈ રાઠોડ, શ્રી શાંતિલાલભાઈ રાઠોડ સહિત સમસ્‍ત ગામના યુવાનો અને વડિલોનો સહયોગ રહ્યો હતો.

Related posts

‘ખેલો ઈન્‍ડિયા યૂથ ગેમ્‍સ-2024’માં સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના બોક્‍સર સુમિતે જીત્‍યો કાંસ્‍ય પદક

vartmanpravah

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી અને ઈન્‍ડિયન પ્‍લેનેટરી સોસાયટી મુંબઈના ઉપક્રમે વાપીમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને ‘સોહનરાજ શાહ એવોર્ડ’ સમારોહ અને ‘વિજ્ઞાન’ વાર્તાલાપ યોજાયો

vartmanpravah

દાનહ અને દમણ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ રેગ્‍યુલેશન 2004 અંતર્ગત 2022માં કરાયેલા સુધારાથી દમણ અને સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે સર્જાયેલી અનિશ્ચિતતા

vartmanpravah

રાજ્‍યના ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાનગી જમીનમાં ચાર હેક્‍ટર સુધી હરાજી વિના લીઝની પરવાનગી આપવાનો નિર્ણય કરાતા ક્‍વોરી ઉદ્યોગમાં આનંદની લહેર

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી પાસેથી 16.83 લાખનો બિલ વગરનો પાન-મસાલા, તમાકુ ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઈ

vartmanpravah

Leave a Comment