Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલી તાલુકાના સમરોલી અને વંકાલ ગામના અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલા પરિવારજનોને રૂા.20 લાખની સહાય અપાઈ

તસવીર – દીપક સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.19
નવસારી તાલુકાના આમરી કસ્‍બા ગામે ધોળાપીપળા તરફ જતા રોડ ઉપર કન્‍ટેનર અને ઇકો કાર વચ્‍ચે થયેલા અકસ્‍માતમાં ચીખલી તાલુકાના સમરોલી અને વંકાલ ગામના પાંચ વ્‍યક્‍તિના કમકમાટીભર્યા મોત નિપજ્‍યા હતા. તેઓના પરિવારજનો પર આફત આવી પડતાં નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે મૃત્‍યુ પામેલા પરિવારજનોને મુખ્‍યમંત્રીશ્રીના ખાસ રાહત ફંડમાંથી સહાય મળી રહે તે માટે રજૂઆત કરી હતી. આ બાબતે રાજ્‍ય સરકારશ્રીએ મૃતકોના પ્રત્‍યેક વારસદારને રૂા.4 લાખ લેખે કુલ પાંચ વારસદારોને રૂા. 20/ લાખની સહાય મંજૂર કરાઈ હતી. જેઅંતર્ગત આજરોજ નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ અને મંત્રી શ્રી નરેશભાઈ પટેલે સમરોલી ખાતે જઈ વારસદારોને સહાયના ચેક આપવામાં આવ્‍યા હતાં. અને તેમના પરિવારજનોને સાંત્‍વના પાઠવી હતી.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા કલેક્‍ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, શ્રીમતી શીતલબેન સોની, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્‍પનાબેન ગાંવિત સહિત અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.

Related posts

વાપી જીઆઈડીસીની જય ફાઈન કેમિકલ કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય વિજ્ઞાન પરિસંવાદ યોજાયો

vartmanpravah

વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયમાં ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ સલવાવ (ગ્રાન્ટેડ) શાળાનું ધો.૧૦નું પરિણામ

vartmanpravah

વાપી છીરી ગ્રામ પંચાયતની બેદરકારીને લીધે વરસાદમાં 150 ઉપરાંત પરિવારોનો રાતવાસો રોડ ઉપર

vartmanpravah

વલસાડ સરોધી હાઈવે ઉપર ટામેટા ભરેલ ટેમ્‍પો ડિવાઈડર ઉપર ચઢી જતા પલટી મારી ગયો

vartmanpravah

Leave a Comment