Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.01
દાદરા નગર હવેલીના સેલવાસમાં બે જગ્‍યા પરથી જગન્નાથ ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલરાજ નગર યાત્રાએ નીકળ્‍યા હતા. ઉપસ્‍થિત અતિથિઓના હસ્‍તે પૂજા અર્ચના અને આરતી કરી રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. એક જલારામ મંદિર બાવીસા ફળિયા જગન્નાથ સેવા સમિતિ દ્વારા રથ યાત્રા કાઢવામાં આવી હતી અને બીજી યાત્રા બાલદેવી જગન્નાથ કલચરલ સમિતિ દ્વારા કાઢવામાં આવી હતી. જેમાં પ્રથમ આરતી કરી રથયાત્રાનું પ્રસ્‍થાન કરાયું હતું. આ યાત્રા બાવીસા ફળિયાથી નીકળી કિલવણી નાકા, ઝંડાચોક, આમલી ગાયત્રી મંદિર થઈ શહેરના વિવિધ વિસ્‍તારોમાંથી પસાર થઈ બાદમા નરોલી રોડ ગુલમહોર હોલ ખાતે રથ યાત્રા રોકાઈ હતી, ત્‍યાં સાંજે મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હતું. સામરવરણી જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈબલરાજની મૂર્તિઓને મંદિરમાં પરત ફરશે. બીજી યાત્રા જે બાલદેવીથી નીકળી હતી એ સામરવરણી પંચાયત હોલ ખાતે રોકાશે. જ્‍યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે, બાદમાં પરત ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરાજની મૂર્તિઓને પરત બાલદેવી મંદિરમા લઈ જવાશે. આ રથયાત્રામાં સ્‍કાઉટ ગાઈડની ટીમે વોલિયેન્‍ટર તરીકેની સેવા આપી હતી જેઓએ ટ્રાફિક કંટ્રોલ સહિત વિવિધ સેવા કરી હતી. આ રથયાત્રા દરમ્‍યાન ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત જોવા મળ્‍યો હતો. બે વર્ષ કોરોન કાળ બાદ ભારે વરસાદ હોવા છતાં પણ ભાવિક ભક્‍તોમાં રથયાત્રા દરમ્‍યાન ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

Related posts

સ્‍વચ્‍છતા સર્વેક્ષણ 2023માં વાપી નગરપાલિકા રાજ્‍યમાં પ્રથમ ક્રમે : ગાર્બેજ ફ્રી સિટીમાં વન સ્‍ટાર

vartmanpravah

ચીખલીના સમગ્ર જૈન સંઘ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

દમણ મુસ્‍લિમ એસોસિએશને આન-બાન-શાનથી 61મા મુક્‍તિ દિવસની કરેલીઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહમાં આયોજીત ત્રિ-દિવસીય ગર્ભાશય અને સ્‍તનના કેન્‍સરની નિઃશુલ્‍ક તપાસનો 293 મહિલાઓએ લીધેલો લાભ

vartmanpravah

વાપી નગરપાલિકાનું વેરા વસુલાત અભિયાન ટોપ ગેરમાં: સુલપડમાં 150 થી વધુ ચાલી માલિકોને નોટિસ ફટકારાઈ

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ” ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

Leave a Comment