Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવાપી

આઝાદી કા અમૃત મહોત્‍સવ રૂપે બહાર પાડેલ સિક્કા-સ્‍ટેમ્‍પ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈને ભેટ મળ્‍યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ ૧, ૨, ૫, ૧૦ અને ૨૦ ના મુલ્યના સિક્કા અને પોસ્ટલ સ્ટેમ્પ આઝાદી કા અમૃત મહોત્સવની યાદમાં લોન્ચ કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: ભારત સરકારે આઝાદી કા અમૃત મહોત્‍સવની યાદગીરી રૂપે 1, 2, 5, 10 અને 20 ના સિક્કા તથા કેન્‍દ્રીય બજેટોની યાદગીરી સ્‍વરૂપે પોસ્‍ટલ ટિકિટ બહાર પાડી છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ હરીયાણામાં યોજાયેલ નેશનલ જી.એશ.ટી. કાઉન્‍સીલમાં ભેટ આપી હતી. આ પ્રસંગેગુજરાત સરકારના કેબીનેટ નાણાં-ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈને કેન્‍દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે સિક્કા અને પોસ્‍ટલ ટિકિટની કીટ ભેટ આપી હતી.
આઝાદી કા અમૃત મહોત્‍સવના ભાગરૂપે સ્‍વતંત્રતાના 75 મા વર્ષની ઉજવણી ચાલી રહી છે તેની યાદગીરી લોકોમાં કાયમી કરવાના હેતુએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ 1, 2, 5, 10 અને 20 નવા સિક્કા અને પોસ્‍ટલ ટિકિટ લોન્‍ચ કરી છે. ચંદીગઢ ખાતે યોજાયેલ 47 મી જી.એસ.ટી. કાઉન્‍સીલની મીટિંગમાં નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે આ સિક્કા અને પોસ્‍ટલ ટિકિટ ગુજરાતના નાણાંપ્રધાન શ્રી કનુભાઈ દેસાઈને ભેટ આપી હતી. આ સિક્કાની ખાસિયત એ છે કે બ્‍લાઈન્‍ડ વ્‍યક્‍તિ પણ સહેલાઈથી ઓળખી શકે. આ સિક્કા અને સ્‍ટેમ્‍પની ભેટ મેળવનાર એકમાત્ર વ્‍યક્‍તિ કનુભાઈ દેસાઈ હતા તે બાબત જિલ્લા માટે પણ ગૌરવરૂપ સમાન લેખાવી શકાય.

Related posts

ચીખલી તાલુકામાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે ગણેશ વિસર્જન કરાશે

vartmanpravah

અદાણી લોજીસ્ટિકસ લિ.એ નવકાર કોર્પોરેશન લિ. પાસેથી ICDતુમ્બ (વાપી) હસ્તગત કર્યો

vartmanpravah

કપરાડાના બાલચોંડી ગામે ‘‘શ્રીમદ્‌ શિવ ભાગવત કથા”નું આયોજન માટે ધ્‍વજારોહણના કરવામાં આવ્‍યું

vartmanpravah

સરપંચ શાંતુભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને ભીમપોર ગ્રા.પં. ખાતે યોજાયેલ જીપીડીપીની ગ્રામસભામાં સાંસદ ઉમેશભાઈ પટેલનો આરોપઃ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઈરાદાપૂર્વક પંચાયતી રાજની સત્તાઓ આપવામાં નથી આવતી

vartmanpravah

દાનહ લેબર વિભાગ દ્વારા બે દિવસીય રોજગાર મેળાનું આયોજન

vartmanpravah

સામવરણી ખાનગી શાળામાં સગીર વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મ બાબતે દાનહ ભાજપ દ્વારા કેન્‍ડલ માર્ચ કાઢી ગુનેગારોને સજા કરવા કરેલી માંગ

vartmanpravah

Leave a Comment