April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણના સમુદ્ર કિનારાની સ્‍વચ્‍છતા માટેનું અભિયાન બન્‍યું જન આંદોલન

લગભગ પાંચ હજાર જેટલા લોકોએ લીધેલો ભાગઃ નગરપાલિકાના કાઉન્‍સિલરો, જિલ્લા પંચાયતના સભ્‍યો, પંચાયતના સરપંચો તથા વોર્ડ મેમ્‍બર અને કાર્યકર્તા, એનજીઓ, પ્રવાસીઓ વગેરેએ સ્‍વયંભૂ જોડાઈ સફળ બનાવેલું અભિયાન: 3 ટન એકત્ર કરાયેલો કચરો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03
દમણમાં આજે સમુદ્ર તટની સ્‍વચ્‍છતા માટે શરૂ કરાયેલા અભિયાને જન આંદોલનનું સ્‍વરૂપ પકડયું હતું. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલ ઉપર જિલ્લા પ્રશાસન દ્વારા સમગ્ર દેશની સાથે આજે દમણમાં દરિયા કિનારાની સ્‍વચ્‍છતા માટેનું અભિયાન શરૂ થયું હતું. જેમાં જિલ્લા પંચાયત, વિવિધ ગ્રામ પંચાયતો, નગરપાલિકા, વિવિધ સેવા સંગઠનો, સરકારી કર્મચારીઓ-અધિકારીઓ, ઔદ્યોગિક સંગઠનો તથા દમણની સહેલગાહે આવેલા પ્રવાસીઓ પણ સ્‍વૈચ્‍છિક રીતે જોડાયા હતા.
આજે સવારે લગભગ 6:30 કલાકે નાની દમણ બીચથી કડૈયા સુધીના સુધીના દરિયા કિનારાની સફાઈ માટેનું અભિયાન શરૂ થયું હતું. જેમાં વિવિધ વિભાગોને કુલ 23 સ્‍પોટની ફાળવણી કરવામાં આવી હતી અને આ સફાઈ કામગીરીની દેખરેખ માટે નોડલ ઓફિસરોની પણ નિયુક્‍તિ કરાઈ હતી. સફાઈ અભિયાન દરમિયાન 3 ટન જેટલો કચરોકૂડો એકત્ર કરાયો હતો.
સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી એ.કે.સિંઘ, આરોગ્‍ય સચિવ શ્રીમતી એ. મુથમ્‍મા, ડી.આઈ.જી. શ્રી મિલિંદ મહાદેવ ડુમ્‍બેરે, જિલ્લા કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવ, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા સહિતના અધિકારીઓએ પણ સ્‍વચ્‍છતા અભિયાનનું નિયમન કર્યું હતું.

Related posts

દમણ ન.પા.ના વોર્ડ નં.7 ખાતે ધાકલીની વાડીના રહેવાસીઓએ વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાનું કરેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah

સેલવાસ ન.પા.ના વોર્ડ નંબર 9માં રસ્‍તાઓની દુર્દશાના કારણે સ્‍થાનિકો પરેશાન

vartmanpravah

હોળી ધૂળેટીના પર્વમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

vartmanpravah

25-નવસારી સંસદીય મતવિસ્‍તાર માટે 35 નામાંકન રજૂ કરાયા: નામાંકનના અંતિમ દિને 24 નામાંકન રજૂ કરાયા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં વિદ્યારંભે સરસ્‍વતી પૂજન

vartmanpravah

દમણ-દીવમાં નેતા કેવા હોવા જોઈએ તેની પ્રતિતિ કરાવતા પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

Leave a Comment