સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તકતી અનાવરણ અને નૌકાદળ ચિહ્નનું પણ કરેલું હોસ્ટિંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.06 : લક્ષદ્વીપના મીનીકોય ટાપુ ખાતે ભારતીય નૌકાદળના સામર્થ્યને વધુ મજબૂત કરવા માટે આઈ.એન.એસ.જટાયુનું નેવલ બેઝ કમિશનિંગ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં નૌકાદળના વડા એડમિરલ શ્રી આર. હરિકુમાર, વાઈસ એડમિરલ શ્રી એસ.જે.સિંહ અને વાઈસ એડમિરલ શ્રી વી.શ્રીનિવાસન પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારંભમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તકતી અનાવરણ અને નૌકાદળ ચિહ્નનું હોસ્ટિંગ પણ કર્યું હતું અને પ્રશાસકશ્રીએ નેવી સ્ટાફને મનનીય વક્તવ્ય પણ આપ્યું હતું.