December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે વિકાસ આનંદે સંભાળેલો ચાર્જઃ અનિલ કુમાર સિંઘને રિલીવ કરાયા

પ્રશાસકશ્રીના સલાહકાર તરીકેના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન એ.કે.સિંઘે પોતાની સંપૂર્ણ નિષ્‍ઠા સાથે બજાવેલી ફરજઃ પ્રશાસકશ્રીના સલાહકાર કાર્યાલયના સ્‍ટાફ દ્વારા આપવામાં આવ્‍યું ભવ્‍ય વિદાયમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અનિલ કુમાર સિંઘની ગૃહ મંત્રાલય દ્વારા દિલ્‍હી બદલીનો આદેશ થતાં આજે તેમને રિલીવ કરાયા છે અને તેમના સ્‍થાને નવનિયુક્‍ત સલાહકાર તરીકે શ્રી વિકાસ આનંદે પોતાનો અખત્‍યાર સંભાળી લીધો છે.
આજે પ્રશાસકશ્રીના સલાહકારના કાર્યાલયમાં વિદાય લઈ રહેલા શ્રી અનિલ કુમાર સિંઘને ભાવભીનુંવિદાયમાન સ્‍ટાફના સભ્‍યો દ્વારા આપવામાં આવ્‍યું હતું. જ્‍યારે નવનિયુક્‍ત પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદનું વેલકમ કરવામાં આવ્‍યું હતું.
અત્રે નોંધનીય છે કે, 2019ના ઓગસ્‍ટમાં 1995 બેચના વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી શ્રી અનિલ કુમાર સિંઘની બદલી સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર તરીકે કરવામાં આવી હતી. લગભગ 3 વર્ષના કાર્યકાળ દરમિયાન શ્રી એ.કે.સિંઘે પોતાની નિષ્‍ઠાથી ફરજ બજાવી પ્રશાસનની વિવિધ યોજનાઓને કાર્યાન્‍વિત કરાવવા સફળ રહ્યા હતા.
આજે પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે શ્રી વિકાસ આનંદે પોતાનો અખત્‍યાર સંભાળી લીધો છે. તેમની છાપ તેજતર્રાર અને ગતિશીલ અધિકારી તરીકેની હોવાથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની સાથે કદમથી કદમ મેળવી નવા દાદરા નગર હવેલી અને દમણ-દીવના નિર્માણમાં તેમની ભૂમિકા પણ મહત્‍વની રહેશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.

Related posts

નોગામા ગામે દીપડાએ દૂધ આપતી બકરીને ફાડી ખાતા વૃધ્‍ધાએ આજીવિકા ગુમાવવાની નોબત આવી

vartmanpravah

વલસાડની 9 મહિલા સાહિત્‍યકારને નગર રત્‍નથી સન્‍માનિત કરી વિશ્વ મહિલા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

અખિલ ભારતીય ટ્રાન્‍સપોર્ટ એસો. આજે બગવાડા ટોલપ્‍લાઝા ઉપર ચક્કાજામ કરશે

vartmanpravah

ભારત સરકાર રાજ્‍ય સરકારો સાથે મળીને આજથી ચલણ પ્રોત્‍સાહન યોજના ‘મેરા બિલ, મેરા અધિકાર’નો શુભારંભ કરશે

vartmanpravah

આજે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસ ઉજવણી ઉપક્રમે વાપીમાં વિવિધ સેવા કાર્યો યોજાશે

vartmanpravah

પંડિત દીન દયાળ ઉપાધ્‍યાયની પુણ્‍યતિથિ સમર્પણ દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ‘ઈ-વિદ્યા’ એપનું કરાયેલું અનાવરણઃ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

Leave a Comment