April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સંઘપ્રદેશના ગ્રામ્‍ય વિકાસ વિભાગના સચિવ તરીકે ગૌરવ સિંહ રાજાવતે ગ્રામજનોમાં પેદા કરેલો આત્‍મિય ભાવ

  • ફાઇલ તસવીર
    ફાઇલ તસવીર

    દાનહ અને દમણની મુખ્‍યત્‍વે આદિવાસી અને ઓબીસી સમુદાયની બહેનોને આત્‍મનિર્ભર બનાવવા શરૂ કરેલા અભિયાનને મળી રહેલી સફળતા

  • સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા બનતી યોજનાઓમાં પણ ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોની લાગણીનું પડી રહેલું પ્રતિબિંબ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ તરીકે શ્રી ગૌરવ સિંહ રાજાવતે પોતાની એક આગવી પ્રતિભા ઉભી કરી છે. તેમના પ્રયાસના કારણે જ દાદરા નગર હવેલીના ઊંડાણના આદિવાસી વિસ્‍તારમાં મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાના પ્રયાસ સફળતાપૂર્વક શરૂ થઈ શક્‍યા છે.
શ્રી ગૌરવ સિંહ રાજાવતે ગ્રામ્‍ય વિસ્‍તારમાં જઈ બહેનો કેવી રીતે આત્‍મનિર્ભર બની શકે તે બાબતે સ્‍વયં અભ્‍યાસ પણ કર્યો છે. ગ્રામ્‍ય મહિલાઓ સાથે પલાંઠી વાળીનીચે બેસી તેમની સાથે ચર્ચા-વિચારણાં કરતા ગ્રામજનોમાં એક આત્‍મિય ભાવ પેદા કરવા તેઓ સફળ રહ્યા છે. જેના કારણે દાદરા નગર હવેલી અને દમણના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં તેમની પકડ પણ મજબૂત બનવા પામી છે.
શ્રી ગૌરવ સિંહ રાજાવતે લોકોની વચ્‍ચે જઈ તેમની સમસ્‍યા સમજવા કરેલા પ્રયાસથી સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા બનતી યોજનાઓમાં પણ ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોની લાગણીનું પ્રતિબિંબ પડી રહ્યું છે.

Related posts

આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત ‘આર્ટ ઓફ લિવિંગ’ દ્વારા નાની દમણના સ્‍વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે 4 દિવસીય યોગ મહોત્‍સવનો પ્રારંભ

vartmanpravah

વાપીમાં છેલ બટાઉ આધેડએ મહિલાની છેડતી કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવ્‍યો

vartmanpravah

વાપી વોર્ડ નં.11 ડુંગરાના ચમોલાઈ હળપતિ વિસ્‍તારના રસ્‍તાનું નિરાકરણ કરાયું

vartmanpravah

સાયલી સાંઈ મંદિરના પટાંગણમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિનું વાજતે-ગાજતે કરવામાં આવેલું વિસર્જન

vartmanpravah

નંદીગ્રામ ખાતે ચાલી રહેલી કુમાર સંસ્‍કાર શિબિરની પૂર્ણાહુતિ

vartmanpravah

મંજુ દાયમા મેમોરિયલ ટ્રસ્‍ટ વાપીના ઉપક્રમે હિન્‍દી કાવ્‍ય સરિતા સંધ્‍યા યોજાઈ

vartmanpravah

Leave a Comment