April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી કમિશનર નરેન્‍દ્ર કુમાર સેવાનિવૃત્તઃ નિવૃત્તિની પૂર્વ સંધ્‍યા પહેલાં દીવ ન.પા.ની ચૂંટણીના વિજેતા ઉમેદવારોનું જાહેરનામું બહાર પાડી બતાવેલી પોતાની કાર્યનિષ્‍ઠા

1988 બેચના નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી નરેન્‍દ્ર કુમારે પોતાના કાર્યકાળ દરમિયાન પ્રશાસનિક અને આર્થિક નીતિના ક્ષેત્રે લીધેલા વિવિધ નિર્ણયોની આજે પણ પ્રશાસનિક વર્તુળોમાં થતી પ્રશંસા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
કેન્‍દ્ર શાસિત પ્રદેશોદાદરા નગર હવેલી અને દમણ-દીવ, અંદામાન અને નિકોબાર તથા લક્ષદ્વીપના ચૂંટણી કમિશનર શ્રી નરેન્‍દ્ર કુમાર આજે દીવ નગરપાલિકાની ચૂંટણી સફળતાપૂર્વક સંપન્ન કર્યા બાદ સેવાનિવૃત્ત થયા છે.
શ્રી નરેન્‍દ્ર કુમારે કેન્‍દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી કમિશનર તરીકે દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતો, નગરપાલિકા તેમજ લક્ષદ્વીપ અને અંદામાનની વિવિધ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ચૂંટણી સંપૂર્ણ નીતિ-નિયમો સાથે પૂર્ણ કરવા સફળ રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન યોજાયેલી દરેક ચૂંટણીમાં શાસક અને વિરોધ પક્ષ તથા ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને પણ સંતોષ થયો હતો.
દીવ નગરપાલિકાની ચૂંટણી પણ સમયસર યોજી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા પણ તેઓ સફળ રહ્યા છે અને પોતાની નિવૃત્તિની પૂર્વ સંધ્‍યા પહેલાં વિજેતા ઉમેદવારોનું જાહેરનામું પણ બહાર પાડી પોતાની કાર્યનિષ્‍ઠાનો પણ પરિચય આપ્‍યો છે.
કારણ કે, ચૂંટણીનું પરિણામ 9મી જુલાઈ, 2022ના સવારના 11:00 વાગ્‍યા સુધી જાહેર થયું હતું અને વિજેતા ઉમેદવારોના નામ સાથેનું જાહેરનામું પણ સાંજ સુધી તેમણે બહાર પાડી દીધું હતું.
અત્રે યાદ રહે કે, શ્રી નરેન્‍દ્ર કુમારે દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકેના પોતાના ટૂંકા કાર્યકાળ દરમિયાનપ્રદેશના પોલીટિકલ અને લેન્‍ડ માફિયાઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું હતું. પરંતુ તત્‍કાલિન કોંગ્રેસ સરકારે પ્રશાસકશ્રીના મિશનમાં અડખીલી ઉભી કરી તેમને સમય પહેલાં જ બોલાવી લેવાયા હતા. જેના કારણે તેમણે શરૂ કરેલા સુધારાઓ અધુરા રહ્યા હતા.
દાદરા નગર હવેલીમાં ડીગ્રી કોલેજ સ્‍થાપવાનું ભગિરથ કાર્ય પણ શ્રી નરેન્‍દ્ર કુમારની હકારાત્‍મક અને શિક્ષણલક્ષી નીતિના કારણે શક્‍ય બન્‍યું હતું. કારણ કે, જે તે વખતે પ્રદેશમાં કોલેજની સ્‍થાપના બાબતે વિરોધ પણ કરાયો હતો.
ભારતીય પ્રશાસનિક સેવાના 1988 બેચના નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી શ્રી નરેન્‍દ્ર કુમાર પ્રશાસનિક અને આર્થિક નીતિમાં પણ પોતાની મહારથ ધરાવે છે. તેમના દ્વારા નીતિ-નિર્ધારણ માટે લેવાયેલા નિર્ણયોની આજે પણ પ્રશાસનિક વર્તુળોમાં પ્રશંસા કરવામાં આવે છે.

Related posts

સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયત અને મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે મોટી દમણના આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગના ખાનગીકરણને રોકવાના અભિયાનમાં ઘેલવાડ, સોમનાથ, દાભેલ અને આટિયાવાડ ગ્રામ પંચાયતોએ પણ આપેલું સમર્થન

vartmanpravah

શ્રી સુધીર ફડકે પાસે એક લાઈટ મશીનગન હતી જે છુપાવવા મટે તેમણે વાયોલીન રાખવાની ફીડલનો ઉપયોગ કર્યો હતો, છતાં તેની ગમે ત્‍યાં તપાસ થઈ શકે એવો ભય તો માથે રહેતો જ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 25-26મીએ કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment