Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશ

નાની દમણના દરિયા કિનારે ભવ્‍ય સમુદ્ર નારાયણ ભગવાનનું મંદિર નિર્માણ પામશેઃ શનિવારે યોજાયેલ શિલાન્‍યાસ વિધિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
શનિવારે નાની દમણના દરિયા કિનારે સમુદ્ર નારાયણ ભગવાનના મંદિરનો શિલાન્‍યાસ કરવામાં આવ્‍યો હતો.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલ ઉપર સમુદ્ર નારાયણ મંદિરના નિર્માણ માટે નાની દમણ જેટી ખાતે જગ્‍યાનીફાળવણી કરવામાં આવી હતી. જેમાં દમણ-દીવના પૂર્વ સાંસદ અને માછી સમાજના આગેવાન નેતા શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)ની મુખ્‍ય ભૂમિકા રહી હતી.
શનિવારે આયોજીત શિલાન્‍યાસ વિધિમાં પ્રશાસન તરફથી નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા પોતાની ધર્મપત્‍ની સાથે ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દમણ નગરપાલિકાના કાઉન્‍સિલર શ્રી ચંદ્રગીરી ટંડેલ, યુવા નેતા શ્રી આશિષ પ્રભાકર, શ્રી ધર્મેશ ટંડેલ, આગેવાન ધારાશાસ્‍ત્રી શ્રી રજનીકાંત ટંડેલ, શ્રી સતિષ પંચક વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, સમુદ્ર નારાયણ મંદિરના પટાંગણ ખાતે દર ગુરૂવારે મહા આરતીનું ભાવભક્‍તિ પૂર્વક આયોજન કરવામાં આવે છે, જેમાં માછી સમાજ સહિત આજુબાજુ વિસ્‍તારના લોકો મોટી સંખ્‍યામાં ભાગ લઈ રહ્યા છે.

Related posts

આજે દમણના ક્રિકેટ ખેલાડી ઉમંગ ટંડેલ ગુજરાત ટીમથી કેરલની સામે રણજી ટ્રોફીમાં પદાર્પણ કરશે

vartmanpravah

ચીખલી તાલુકામાં ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત સુરત-નાસિક-અહમદનગર હાઈવે માટે જમીન સંપાદન અંગેનું જાહેરનામું પ્રસિધ્‍ધ થયાને એક વર્ષ થવાને આરે છતાં જમીન સંપાદન અંગેની કોઈ કાર્યવાહી કરાઈ નથી

vartmanpravah

સેલવાસમાં રાજભાષા દ્વારા હિન્‍દી પખવાડા અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ

vartmanpravah

સેલવાસ ડોકમરડી જૂના બ્રિજની દુર્ઘટનાનો ભોગ બનનાર મુકુલ ભગતના પરિવારને જિલ્લા પ્રશાસને પ્રદાન કરેલી નાણાંકીય સહાય

vartmanpravah

‘‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાનઃ કચરામાંથી કંચન બન્‍યું ધરમપુરનું બારોલિયા ગામ

vartmanpravah

સરીગામ જીઆઈડીસીના કામદારોની સુરક્ષાના અભાવે માથે ભમતું મોતઃ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગની બલિહારી

vartmanpravah

Leave a Comment