April 20, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ જિલ્લાના કપરાડા-ધરમપુર વિસ્‍તારમાં વરસાદ ઘટયા બાદ ઠેર ઠેર વિનાશ-તબાહીના દૃશ્‍યો

અંતરિયાળ પહાડી વિસ્‍તાર, ખાડી, પુલોનું ઠેર ઠેર ધોવાણ : લોકો ભારે મુશ્‍કેલીમાં

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદ વરસ્‍યા બાદ માંડ થોડો થોડો વિરામ લીધો છે ત્‍યારે ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં વરસાદે સર્જેલા વિનાશ તબાહીના દૃશ્‍યો બહાર આવી રહ્યા છે.
જિલ્લાના કપરાડા-ધરમપુર વિસ્‍તારોમાં મેઘરાજાએ આજે સાધારણ વિરામ લીધો હતો પરંતુ પાંચ દિવસના વરસાદી તાંડવે ચારે તરફ વિનાશ વેર્યો છે. નદી-નાળાના પાણી શાંત થયા છે. પુલો જે ડૂબી ચૂક્‍યા હતા તે થોડા થોડા ખુલ્‍યા છે. પણ તબાહીના ભયાનક દૃશ્‍યો સામે આવ્‍યા છે. પહાડી વિસ્‍તારના છેવાડા વાડી ગામના મધ્‍યમાંથી પસાર થતી ખાડી પર બનાવેલ પુલનો મોટાભાગનો હિસ્‍સો પાણીમાં વહી ગયો છે છતાં એક જીપ ચાલક બેદરકારી ભરેલ ડ્રાઈવિંગ કરતા પુલ વચ્‍ચે જીપ ફસાઈ ચૂકી હતી. માંડ જીવ બચ્‍યો હતો. પુલો અને કોઝવે ઠેર ઠેર ધોવાઈ ગયા હોવાથી લોકો જોખમી રસ્‍તાઓથી અવરજવર કરી રહ્યા છે. શહેરી વિસ્‍તાર કરતાં ગ્રામ્‍ય વિસ્‍તારની વરસાદમાં સ્‍થિતિ વધુ વણસી ચુકી છે તેથી લોકો પારાવાર મુશ્‍કેલીઓ વેઠી રહ્યા છે.

Related posts

દમણની દેવકા શાળાથી ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનની પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીએ કરાવી શરૂઆત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

નાની દમણ બસ સ્‍ટેન્‍ડ પાસે ટોયલેટ, પીવાના પાણી તથા રેસ્‍ટ રૂમની સુવિધા માટે દાનહ અને દમણ-દીવ બહુજન સમાજ પાર્ટીએ કરેલી રજૂઆત

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરાયું

vartmanpravah

દમણના આસિસ્‍ટન્‍ટ એક્‍સાઇઝ કમિશનર મોહિત મિશ્રાના પરિપત્ર અનુસાર સંઘપ્રદેશમાં મહાવીર જયંતિ પર ડ્રાય ડે જાહેર કરવામાં આવ્‍યો

vartmanpravah

નાની દમણના દરિયા કિનારે ભવ્‍ય સમુદ્ર નારાયણ ભગવાનનું મંદિર નિર્માણ પામશેઃ શનિવારે યોજાયેલ શિલાન્‍યાસ વિધિ

vartmanpravah

Leave a Comment