Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ જિલ્લાના કપરાડા-ધરમપુર વિસ્‍તારમાં વરસાદ ઘટયા બાદ ઠેર ઠેર વિનાશ-તબાહીના દૃશ્‍યો

અંતરિયાળ પહાડી વિસ્‍તાર, ખાડી, પુલોનું ઠેર ઠેર ધોવાણ : લોકો ભારે મુશ્‍કેલીમાં

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદ વરસ્‍યા બાદ માંડ થોડો થોડો વિરામ લીધો છે ત્‍યારે ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં વરસાદે સર્જેલા વિનાશ તબાહીના દૃશ્‍યો બહાર આવી રહ્યા છે.
જિલ્લાના કપરાડા-ધરમપુર વિસ્‍તારોમાં મેઘરાજાએ આજે સાધારણ વિરામ લીધો હતો પરંતુ પાંચ દિવસના વરસાદી તાંડવે ચારે તરફ વિનાશ વેર્યો છે. નદી-નાળાના પાણી શાંત થયા છે. પુલો જે ડૂબી ચૂક્‍યા હતા તે થોડા થોડા ખુલ્‍યા છે. પણ તબાહીના ભયાનક દૃશ્‍યો સામે આવ્‍યા છે. પહાડી વિસ્‍તારના છેવાડા વાડી ગામના મધ્‍યમાંથી પસાર થતી ખાડી પર બનાવેલ પુલનો મોટાભાગનો હિસ્‍સો પાણીમાં વહી ગયો છે છતાં એક જીપ ચાલક બેદરકારી ભરેલ ડ્રાઈવિંગ કરતા પુલ વચ્‍ચે જીપ ફસાઈ ચૂકી હતી. માંડ જીવ બચ્‍યો હતો. પુલો અને કોઝવે ઠેર ઠેર ધોવાઈ ગયા હોવાથી લોકો જોખમી રસ્‍તાઓથી અવરજવર કરી રહ્યા છે. શહેરી વિસ્‍તાર કરતાં ગ્રામ્‍ય વિસ્‍તારની વરસાદમાં સ્‍થિતિ વધુ વણસી ચુકી છે તેથી લોકો પારાવાર મુશ્‍કેલીઓ વેઠી રહ્યા છે.

Related posts

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગનું ખાનગીકરણઃ સુપ્રીમ કોર્ટમાં સરકારની વિશેષ લીવ પીટિશન નામંજૂરઃ મુંબઈ હાઈકોર્ટ કરશે સુનાવણી

vartmanpravah

ઉદયમાન સૂર્યને અર્ઘ્‍ય આપવાની સાથે છઠ્ઠ મહાપર્વનું સમાપનઃ આસ્‍થાના ઓજસથી તરબોળ બનેલો દમણનો નમો પથ

vartmanpravah

સરીગામ ત્રણ રસ્‍તા અને નારગોલ રોડ ઉપરના પાથરણા અને લારી ગલ્લાવાળાઓના દબાણો દૂર કરાયા

vartmanpravah

ચીખલી-ગણદેવી તાલુકામાં માર્ગ મકાન વિભાગ ઉંઘમાં હોવાથી બીલીમોરા ચાર રસ્‍તા પાસે પડેલા મોટા ખાડાઓ સમરોલીના આર્યા ગ્રુપે પુરાવ્‍યા

vartmanpravah

‘વિશ્વ આદિવાસી અધિકાર દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા આદિવાસી સમાજે પદયાત્રા કાઢી પોતાના અધિકાર માટે બતાવેલી જાગૃતિ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા કેરિયર પસંદગીના સંદર્ભમાં આયોજીત કાઉન્‍સેલીંગ સેમિનાર એક અભિનવ પ્રયોગઃ આશિષ મોહન

vartmanpravah

Leave a Comment