July 17, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ જિલ્લાના કપરાડા-ધરમપુર વિસ્‍તારમાં વરસાદ ઘટયા બાદ ઠેર ઠેર વિનાશ-તબાહીના દૃશ્‍યો

અંતરિયાળ પહાડી વિસ્‍તાર, ખાડી, પુલોનું ઠેર ઠેર ધોવાણ : લોકો ભારે મુશ્‍કેલીમાં

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદ વરસ્‍યા બાદ માંડ થોડો થોડો વિરામ લીધો છે ત્‍યારે ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં વરસાદે સર્જેલા વિનાશ તબાહીના દૃશ્‍યો બહાર આવી રહ્યા છે.
જિલ્લાના કપરાડા-ધરમપુર વિસ્‍તારોમાં મેઘરાજાએ આજે સાધારણ વિરામ લીધો હતો પરંતુ પાંચ દિવસના વરસાદી તાંડવે ચારે તરફ વિનાશ વેર્યો છે. નદી-નાળાના પાણી શાંત થયા છે. પુલો જે ડૂબી ચૂક્‍યા હતા તે થોડા થોડા ખુલ્‍યા છે. પણ તબાહીના ભયાનક દૃશ્‍યો સામે આવ્‍યા છે. પહાડી વિસ્‍તારના છેવાડા વાડી ગામના મધ્‍યમાંથી પસાર થતી ખાડી પર બનાવેલ પુલનો મોટાભાગનો હિસ્‍સો પાણીમાં વહી ગયો છે છતાં એક જીપ ચાલક બેદરકારી ભરેલ ડ્રાઈવિંગ કરતા પુલ વચ્‍ચે જીપ ફસાઈ ચૂકી હતી. માંડ જીવ બચ્‍યો હતો. પુલો અને કોઝવે ઠેર ઠેર ધોવાઈ ગયા હોવાથી લોકો જોખમી રસ્‍તાઓથી અવરજવર કરી રહ્યા છે. શહેરી વિસ્‍તાર કરતાં ગ્રામ્‍ય વિસ્‍તારની વરસાદમાં સ્‍થિતિ વધુ વણસી ચુકી છે તેથી લોકો પારાવાર મુશ્‍કેલીઓ વેઠી રહ્યા છે.

Related posts

પારડીમાં નવી તાલુકા કોર્ટ બિલ્‍ડીંગની મળી બાંધકામની મંજૂરી

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

vartmanpravah

લોક અદાલતના લાભો ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ બિરેનએ.વૈષ્‍ણવ દ્વારા ‘‘હાજીર હો” કાર્યક્રમના માધ્‍યમથી ઘર બેઠા જાણી શકાશે

vartmanpravah

પાંચ દિવસના દિપોત્‍સવનો દ્રષ્ટિકોણઃ લક્ષ્મીસંપત્તિને માતૃસ્‍વરૂપ માની જીવનમાંથી આળસ પ્રમાદ અસ્‍વચ્‍છતા સહિતના અનિષ્ટોને જીવનમાંથી દૂર કરવાનું પર્વ

vartmanpravah

વલસાડ ધારાસભ્‍ય ભરતભાઈની કથિત વિરુદ્ય ડીએસપીમાં રાવ

vartmanpravah

vartmanpravah

Leave a Comment