Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

ચીખલી તાલુકા ભાજપ દ્વારા પુરગ્રસ્‍તો માટે 1પ00 અનાજની કિટ અને 1700 ફૂટ પેકેટોનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

ચીખલી,(વંકાલ), તા.17: ચીખલી તાલુકામાં ગુરૂવારના રોજ કાવેરી, અંબિકા અને ખરેરા સહિતની લોકમાતાઓમાં આવેલા પૂરે ભારે તારાજી સર્જી હતી અને અનેક લોકોનાં ઘરો અને ઘરવખરીને મોટાપાયે નુકસાન થવા પામ્‍યું હતું. ત્‍યારે જિલ્લા ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ, પ્રદેશ ભાજપના સભ્‍ય ડો.અમીતાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ પટેલ, મહામંત્રી શ્રી સમીરભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્‍પનાબેન ગાવિત, કારોબારી અધ્‍યક્ષ શ્રી ધર્મેશભાઈ પટેલ, ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ શ્રી વૈભવભાઈ બારોટ સહિતનાઓ દ્વારા ભાજપના કાર્યકરો સાથે કઠોળ, તેલ, કાંદા-બટાટા, લોટ, ચા, ખાંડ, મરચું, મીઠું, હળદળ સહિતની ચીજ વસ્‍તુઓની 1500 જેટલી કીટ તૈયાર કરી હતી. અને પુર અસરગ્રસ્‍ત હરણગામ, મજીગામ, મલવાડા, આલીપોર, ફડવેલ, કાંગવઇ, સાદકપોર, ખૂંધ, તલાવચોરા, માણેકપોર સહિતના ગામોમાં રવાના કરવામાં આવી હતી. આ સાથે 1700 જેટલા ફૂડ પેકેટનું પણ વિતરણ ભાજપ દ્વારા કરવામાં આવ્‍યું હતું. લોકોના ઘરમાંપુરના પાણી ફરી વળતા ઘરમાં કાદવ કીચડ થતા લોકો સાફ સફાઈમાં જોતરાયા હતા. ત્‍યારે આવા અસરગ્રસ્‍ત લોકો માટે અલગ અલગ ગામોમાં આગેવાનો સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા રસોડા ચલાવી લોકોને ભોજન પૂરું પાડ્‍યું હતું.
ભાજપના સેવાકાર્યમાં આર્ય ગ્રુપ સમરોલીના કલ્‍પેશભાઈ મલવાડા, પૂર્વ ડેપ્‍યુટી સરપંચ પર્વત પટેલ, યુવા મોરચાના પ્રમુખ રવિભાઈ હરણીયા, ભાજપના મહિલા મોરચાના મહામંત્રી અનસૂયાબેન સહિતના અનેક લોકો જોડાયા હતા. ભાજપ દ્વારા પુરપીડિતો માટે યુધ્‍ધના ધોરણે કીટ તૈયાર કરી મદદરૂપ થતા અસરગ્રસ્‍ત પરિવારોને રાહત થવા પામી હતી.

Related posts

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah

વંકાસની ડી.એચ.વી. ફિટિંગ કંપનીનું જમીની વિવાદી પ્રકરણમાં લેન્‍ડગ્રેબિંગ એક્‍ટ હેઠળ શરૂ થનારી તપાસ

vartmanpravah

વાપીની પેપરમીલોમાં કોલસાની કટોકટી ઉભી થતાં 40 જેટલી પેપરમીલ બંધ થવાાના અણસાર

vartmanpravah

અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠન વલસાડ જિલ્લા દ્વારા ખાણીપીણીમાં ભેળસેળ તથા સ્‍વાસ્‍થ્‍યની સાથે થતાં ચેડાં બાબતે મુખ્‍યમંત્રીને આવેદનપત્ર આપી કાર્યવાહીની કરેલી માંગ

vartmanpravah

વાપી લાયન્‍સ કલબ ઉદ્યોગનગર મેમ્‍બર દ્વારા લાયન્‍સ આઈ હોસ્‍પિટલને 1.11 લાખનું દાન અપાયું

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા દિવાળી તહેવારની ઘણા હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment