Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીવલસાડ

માર્ગ અને મકાન વિભાગના લશ્કરોની જાંબાઝ કામગીરી – માત્ર ૨૪ કલાકમાં નવસારી તાલુકાનો ઉન – ખડસુપા રોડ થયો કાર્યરત

ભારે વરસાદથી નવસારી જિલ્લાના ઉન- ખડસુપા રોડને થયેલા નુકસાન બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુનસ્થાપનાની કામગીરી હાથ ધરાઇ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા. ૧૮: નવસારી શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ગ્રામ્ય માર્ગો ઉપર પડેલા ખાડાઓ પૂરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી . નવસારી તાલુકાના ઉન-ખડસુપા રોડ પર અતિ ભારે વરસાદના પગલે ખડસુપા ગામમાં આવેલ તળાવમાં પાણી ભરાયા હતા તળાવનું પાણી ઓવરફ્લો તથા પાણીના વહેણ માર્ગ પર આવતા રોડના આશરે ૧૮ મીટર લંબાઇનો અને ૩ મીટર પહોળો રોડના પેચ પર નુકશાન થયેલ હતું અને ખાડો પડ્યો હતો, જેથી ઉન અને ખડસુપા ગામનો અવર જવર થવાનો સંપર્ક તૂટ્યો હતો .
જિલ્લા વહીવટી તંત્રને આ બાબતે જાણ તથા નુકશાન થયેલ રોડના સમારકામની કામગીરી હાથ પર લઈને તંત્રની ૧૪ લોકોની ટીમ સ્થળ પર ઉતારી રોડ પર પડેલ ખાડાનું પુરાણ તથા સમારકામની કામગીરી માત્ર ૨૪ કલાકની અંદર પૂર્ણ કરી રસ્તો પુનઃપ્રસ્થાપિત કર્યો હતો. ઊન અને ખડસુપા ગ્રામજનોને અવરજવર, વાહનવ્યવહાર માટે મુશ્કેલી ન પડે તે માટે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા રસ્તાની મરામત યુધ્ધના ધોરણે કરી ૨૪ કલાકમાં કામગીરી પૂર્ણ કરી, રસ્તાને પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેના લીધે ગ્રામજનોને રોજબરોજની અવરજવરમાં રાહત મળી છે.માર્ગ અને મકાન વિભાગ દ્વ્રારા સત્વરે બધાજ ક્ષતિગ્રસ્ત માર્ગો ફરી ધમધમતા કરવા કામ કરી રહ્યાં છે.

Related posts

ગોવાના રાજ્‍યપાલ પી.એસ. શ્રીધરન પિલ્લઈએ સંઘપ્રદેશ થ્રીડી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું ભવ્‍ય સ્‍વાગત: દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ વિનય કુમાર સક્‍સેના પણ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

મોદી સરકારના 9 વર્ષના શાસન દરમિયાનની સિદ્દીઓ લોકો સુધી પહોંચાડવા અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડે યોજેલી પત્રકાર પરિષદ

vartmanpravah

વાંસદા વિધાનસભા મત વિસ્‍તારમાં મતદાન જાગૃતિ અન્‍વયે બાઈક રેલી યોજાઈ

vartmanpravah

સાયલી એસ.એસ.આર. કોલેજના આચાર્ય ડો. રાજીવને ગુજરાત ભૂષણ પુરસ્‍કારથી સન્‍માનિત કરાયા

vartmanpravah

અ.ભા.વિ.પી.ની ઐતિહાસિક જીવન ગાથા ઉપર આધારિત પુસ્‍તકની સંઘપ્રદેશના કાર્યકર્તાઓએ પ્રશાસકશ્રીને આપેલી ભેટ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી મોટી દમણમાં યોજાનારો ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સપો : લોકોને 25 ટકા છુટથી ઘરવખરી-જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓ ખરીદવા મળનારી તક

vartmanpravah

Leave a Comment