Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વાપી મેઈન રેલવે ગરનાળામાં કોઈ અવળચંડાએ તાડપત્રી ખોસી દેતા નાળું પાણીમાં ગરકાવ

કેટલાક વાહનો ડૂબ્‍યા : ઈસ્‍ટ વેસ્‍ટ ભારે ટ્રાફિક સર્જાયો : પાલિકાના 40 ઉપરાંત કર્મચારી પાણી નિકાલ માટે જોતરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: બુધવારે વહેલી સવારે વાપીમાં સતત ચાર કલાક ધોધમાર પડેલા વરસાદે મુશ્‍કેલીઓનો પહાડ ખડકી દીધો હતો. કુદરતનો માર કંઈક ઓછો નહોતો તેમાં કોઈ ટિખળખોળ અવળચંડાએ વાપી રેલવે અંડરપાસ મેઈનમાં તાડપત્રી ખોસી દેતા જોતજોતામાં 5 થી 6 ફૂટ પાણી ભરાઈ ગયું હતું તેથી પૂર્વ-પヘમિની અવર જવર સવાર સવારમાં જ ખોરવાઈ હતી.
વાપીમાં હાલમાં જૂનું અને નવું રેલવે ગરનાળું મુખ્‍ય અવર જવરનું માધ્‍યમ છે. તેમાં પણ અતિશય વરસાદ દરમિયાન નાળામાં પાણી ભરાઈ જતા હોય છે. આજે વરસાદ કરતા કોઈ માનવીય ચેષ્‍ઠાએ વાપીના હજારો લોકોને પારાવાર મુશ્‍કેલીમાં ધકેલી દીધા હતા. બન્‍યુ એમ હતું કે, કોઈ ટીખળખોરે વાપી મેઈન રેલ ગરનાળામાં જ્‍યાં પાણી જવાનો રસ્‍તો છે એમાં તાડપત્રી ખોસી દેતા પાણીઅટકી ગયું હતું. જોતજોતામાં નાળામાં 5 થી 6 ફૂટ પાણી ભરાઈ ગયું હતું. જેના નિકાલ માટે ડ્રેનેજ, વોટર સપ્‍લાય, ફાયર, ઈલેક્‍ટ્રીક વિભાગના પાલિકાના 40 ઉપરાંત કર્મચારી પાણી નિકાલની કામગીરીમાં જોતરાયા હતા.

Related posts

‘આઝાદીકા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત શનિવારે જમ્‍પોર બીચથી લાઈટ હાઉસ સુધી રેલી સહ કાર્નિવલઃ ઈન્‍ડિયા દિવસ તરીકે ઉજવાશે

vartmanpravah

દાનહની નરોલી ગ્રા.પં.ના સરપંચ પદે લીનાબેન પટેલ બિનહરિફ વિજેતાઃ માત્ર ઔપચારિક જાહેરાત બાકી 

vartmanpravah

વાંસદાનો કેલિયા ડેમ ઓવરફલો: ૨૩ ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપતું જિલ્લા વહીવટીતંત્ર

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

vartmanpravah

દમણ પોલીસે સોમનાથની એક મોબાઈલ દુકાનમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલ્‍યો: એક આરોપી સહિત મુદ્દામાલ બરામદ

vartmanpravah

‘વિશ્વ હિન્‍દુ પરિષદ’ દ્વારા દાનહના દૂધની ગામના બે બાળકોને દત્તક લીધાં

vartmanpravah

Leave a Comment