June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વાપી મેઈન રેલવે ગરનાળામાં કોઈ અવળચંડાએ તાડપત્રી ખોસી દેતા નાળું પાણીમાં ગરકાવ

કેટલાક વાહનો ડૂબ્‍યા : ઈસ્‍ટ વેસ્‍ટ ભારે ટ્રાફિક સર્જાયો : પાલિકાના 40 ઉપરાંત કર્મચારી પાણી નિકાલ માટે જોતરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: બુધવારે વહેલી સવારે વાપીમાં સતત ચાર કલાક ધોધમાર પડેલા વરસાદે મુશ્‍કેલીઓનો પહાડ ખડકી દીધો હતો. કુદરતનો માર કંઈક ઓછો નહોતો તેમાં કોઈ ટિખળખોળ અવળચંડાએ વાપી રેલવે અંડરપાસ મેઈનમાં તાડપત્રી ખોસી દેતા જોતજોતામાં 5 થી 6 ફૂટ પાણી ભરાઈ ગયું હતું તેથી પૂર્વ-પヘમિની અવર જવર સવાર સવારમાં જ ખોરવાઈ હતી.
વાપીમાં હાલમાં જૂનું અને નવું રેલવે ગરનાળું મુખ્‍ય અવર જવરનું માધ્‍યમ છે. તેમાં પણ અતિશય વરસાદ દરમિયાન નાળામાં પાણી ભરાઈ જતા હોય છે. આજે વરસાદ કરતા કોઈ માનવીય ચેષ્‍ઠાએ વાપીના હજારો લોકોને પારાવાર મુશ્‍કેલીમાં ધકેલી દીધા હતા. બન્‍યુ એમ હતું કે, કોઈ ટીખળખોરે વાપી મેઈન રેલ ગરનાળામાં જ્‍યાં પાણી જવાનો રસ્‍તો છે એમાં તાડપત્રી ખોસી દેતા પાણીઅટકી ગયું હતું. જોતજોતામાં નાળામાં 5 થી 6 ફૂટ પાણી ભરાઈ ગયું હતું. જેના નિકાલ માટે ડ્રેનેજ, વોટર સપ્‍લાય, ફાયર, ઈલેક્‍ટ્રીક વિભાગના પાલિકાના 40 ઉપરાંત કર્મચારી પાણી નિકાલની કામગીરીમાં જોતરાયા હતા.

Related posts

ખોડલધામના આંગણે રૂડો અવસર: 30 સપ્‍ટેમ્‍બરે શ્રી ખોલડધામ વિદ્યાર્થી સમિતિ કન્‍વીર મીટ-2023 યોજાશે

vartmanpravah

દાનહમાં હવે ચાલ માલિકોએ ભાડૂઆતોની નોંધણી ઓનલાઈન કરવી પડશે : એક્ષપર્ટ દ્વારા મોબાઈલ એપના ઉપયોગની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

વાપી વી.આઈ.એ.માંદિવ્‍યાંગો માટે નિઃશુલ્‍ક કૃત્રિમ હાથ-પગ સાધનોનો ત્રિદિવસીય સેવા યજ્ઞનો પ્રારંભ

vartmanpravah

રૂા.૪.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ એસટી ડેપોનું વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે લોકાર્પણ

vartmanpravah

એસઆઇએસ અને ગાયત્રી શક્‍તિ પેપર લિમિટેડ તેમજ એન આર અગ્રવાલ ના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

ધરમપુર માલનપાડા રોડ ઉપર ટ્રક-બાઈક વચ્‍ચે અકસ્‍માત : બાઈક સવાર દંપતિ પૈકી પત્‍નીનું મોત

vartmanpravah

Leave a Comment