April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશપારડીસેલવાસ

નરોલીમાં એક આદિવાસી યુવકની હત્‍યાથી ચકચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: દાદરા નગર હવેલીના નરોલી ગામમાં એક યુવાનની હત્‍યા કરેલ જોવા મળતા ચકચારમચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર રાકેશ અરવિંદ હળપતિ (ઉ.વ.29) રહેવાસી દાદરા, જે સોમવારના રોજ સવારે બ્રાહ્મણ ફળીયા નરોલી ખાતે સાસરે આવ્‍યો હતો. જે એના સાસરાના ઘર નજીક જ એની માસીનું પણ ઘર આવેલ છે, જ્‍યાં એ રાત્રી દરમ્‍યાન રોકાયો હતો. સવારે જ્‍યારે એની માસીએ ઉઠીને જોયું તો રાકેશ ઘરમાં ન હતો, જેથી બહાર નીકળીને જોયું તો ઘરની બહાર લોહીલુહાણ હાલતમાં પડેલો હતો, જે જોઈ માસીએ એના સાસરાવાળાને તાત્‍કાલિક જાણ કરી હતી, સાથે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીના, એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન, એસએચઓ શ્રી અનિલ ટી.કે., પીએસઆઈ શ્રી સુરજ રાઉત સહિત પોલીસની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી અને ઘટના અંગે જાણકારી મેળવી હતી.
તપાસમાં રાકેશની પત્‍નીની પૂછપરછ કરતા જણાવ્‍યું કે અમારા વચ્‍ચે સારો સબંધ હતો, હું હાલમાં પિયરમાં રહેવા આવી હતી અને મારા પતિ મને મળવા આવ્‍યા હતા. આજુબાજુ પૂછપરછ કરતા શંકાના આધારે એક યુવાનને પકડમાં લઈ પોલીસ પૂછપરછ કરી રહી છે. રાકેશની હત્‍યા કોઈએ માથાના ભાગે કુહાડી મારી કરી હોવાનું પ્રાથમિક તારણ આપવામાં આવ્‍યું છે. ઘટનાની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહીછે.

Related posts

25 જૂન, 1975માં કોંગ્રેસ સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાદવામાં આવેલી કટોકટીને વખોડવા દમણ ભાજપે કાઢેલી વિરોધ રેલી

vartmanpravah

દાનહના આંબાબારી કૌંચા ખાતે ગ્રામ પંચાયત ભવનોનું કરાયેલું ભૂમિપૂજન સંઘપ્રદેશ પ્રશાસન મોટી મોટી વાતો કરવામાં નહીં પણ છેવાડેના વિકાસમાં માને છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

રવિવારે દમણમાં 13, દાનહમાં 11 કોરોના પોઝિટીવ કેસ નોંધાયાઃ દીવમાં રાહતના સમાચાર

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન પ્રતિનિધિ મંડળે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની લીધેલી મુલાકાત

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મોટા ચમરબંધીએ પણ કાયદાની મર્યાદામાં જ રહેવું પડે છે

vartmanpravah

દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રા દિલ્‍હી અને અપૂર્વ શર્મા તથા કૃષ્‍ણા ચૈતન્‍યની અંદામાન બદલી

vartmanpravah

Leave a Comment