August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ધમડાચી હાઈવે ઉપર ટી.આર.બી. જવાન પટકાયો, સારવાર માટે સુરત ખસેડયો : ગુંદલાવના લોકોએ હાઈવે મરામત કર્યો

સરપંચ નિતીન પટેલ જાગૃત યુવાન નિલેશ પટેલ અને કેયુર પટેલ સહિત અન્‍ય યુવાનોએ જે.સી.બી.થી હાઈવેની મરામત કામગીરી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વર્તમાન ચોમાસાએ નેશનલ હાઈવેની બેહાલી સર્જી દીધી હતી. પુરો હાઈવે મોટા મોટા ખાડાઓમાં તબદીલ થઈ ચૂક્‍યો છે તેથી અવાર નવાર જીવલેણ અકસ્‍માતો પણ સર્જાતા રહ્યા છે તેવો વધુ એક અકસ્‍માત ગતરોજ ટીઆરબી જવાનની બાઈક ધમડાચી હાઈવે ઉપર ખાડામાં પટકાતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ યુવાનને સુરત સારવાર માટે તાત્‍કાલિક ખસેડાયો હતો. ગંભીર અકસ્‍માત બાદ ગુંદલાવના સરપંચ અને જાગૃત યુવાનોએ હાઈવે મરામતની કામગીરી કરી ખાડાઓ પુરા હતા. જે કામ હાઈવે ઓથોરિટીએ કરવાનું છે તે કામ યુવાનોએ કર્યું.
વલસાડ હાઈવે ઉપર ધમડાચી ફલા હોટલ સામેથી ટી.આર.બી. જવાન બાઈક ઉપર શનિવારે પસાર થતો હતો. ત્‍યારે બાઈક ખાડામાં પટકાતા યુવાન ખુબ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ યુવાનને સારવાર માટે સુરત ખસેડાયો હતો. અકસ્‍માતોની ગંભીરતાને ધ્‍યાને લઈ આજે રવિવારે ગુંદલાવ ગામના સરપંચ નિતીન પટેલ, જાગૃત યુવાન નિલેશ પટેલ, કેયુર પટેલ અને અન્‍ય યુવાનો મળીનેહાઈવે મરામતની કામગીરી આરંભી હતી. જે.સી.બી. વડે ખાડાઓ પુર્યા હતા. તંત્રની જવાબદારી ગ્રામજનોએ અદા કરી હતી. ઘટના અંગે જણાવતા સરપંચ નિતિન પટેલએ જણાવ્‍યું હતું કે, હાઈવે ઓથોરિટી અને તંત્રને અમે હાઈવે અંગે વારંવાર રજૂઆતો કરી છે પણ કામગીરી થતી નથી તેથી ધારાસભ્‍ય ભરત પટેલ અને સાંસદ ધવલ પટેલએ ખાસ વહિવટી તંત્રનું ધ્‍યાન અપાવી હાઈવે પરના ખાડા પુરાવે તેવી ગ્રામજનોની પણ માંગ છે.

Related posts

પારડી નગરમાં ઠેર ઠેર રામનવમીની ઉજવણી

vartmanpravah

ચીખલી-ગણદેવી તાલુકાનાં ગામોમાં વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળો સાથે ‘ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે લવકર યા’ ના નાદ સાથે ભવ્ય વિસર્જન યાત્રા યોજી બાપ્પાને વિદાય અપાઈ

vartmanpravah

નિરાલી હોસ્‍પિટલ નવસારીના સહયોગથી નરોલી રાજપૂત સમાજ દ્વારા પ્રાર્થના ભવન ખાતેયોજાયો મેડીકલ કેમ્‍પ

vartmanpravah

કપરાડા તાલુકા કક્ષાના 75મા વન મહોત્‍સવની પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના અધ્‍યક્ષસ્‍થાને કરાયેલી ઉજવણી

vartmanpravah

ઈ.સ. 1670માં જવ્‍હારના રાજાએ રામનગરના રાણાનો પરાજય કરીને દમણ પ્રદેશમાં ચોથ ઉઘરાવવાનો પોતાનો હક પ્રસ્‍થાપિત કર્યો

vartmanpravah

વલવાડા-કરમબેલા ગામ તળાવની 1 લાખ ટન માટી ભૂમાફીયાઓએ બિલ્‍ડરોને પધરાવી દીધાનો ગ્રામજનો આક્ષેપ

vartmanpravah

Leave a Comment