September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહની બેંક ઓફ બરોડાની શાખાઓમાં 115મો સ્‍થાપના દિવસ ઉજવાયો

આંગણવાડીના બાળકોને રેઈનકોટ વિતરણ કરવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીની અગ્રણી બેંક બેંક ઓફ બરોડાનો 115મો સ્‍થાપના દિવસ દરેક 12 બ્રાન્‍ચના ગ્રાહકો સાથે મનાવવામાં આવ્‍યો હતો. આ અવસરે બાળ વિકાસ પરિયોજનાના અધિકારી શ્રીમતી નમ્રતાબેન પરમારના માર્ગદર્શનમાં ગ્રામીણ ક્ષેત્ર માંદોની અને સીંદોની આંગણવાડીના 130 બાળકોને સી.એસ.આર. અંતર્ગત રેઈનકોટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું સાથે નોટબૂક પેન અને ફૂડપેકેટનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું. બેંક ઓફ બરોડા દ્વારા ચલાવવામાં આવી રહેલ ગ્રામીણ સ્‍વરોજગાર પ્રશિક્ષણ સંસ્‍થા આરસેટીમાં 115 ઔષધિય અને ફળના વૃક્ષા રોપણ અને વિતરણ કરવામાં આવ્‍યું સાથે દરેક શાખાઓમાં નૈતિકતા આચરણ સંહિતાનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ અવસરે બેંક ઓફ બરોડાના ઉપરી અધિકારી,બ્રાન્‍ચ મેનેજર, કર્મચારી માંદોની, સીંદોની જિલ્લા પંચાયત સભ્‍ય, સરપંચ, બાળ વિકાસ પરિયોજનાના કર્મચારી, બેંક ઓફ બરોડાના કર્મચારી અને આરસેટીના કર્મચારી ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી ચણોદ ખાતે આવેલી અથર્વ પબ્‍લિક સ્‍કૂલનો એન્‍યુઅલ ડે ઉજવાયો

vartmanpravah

અદાણી ગેસ કંપની ડીલરશીપ માટે બોગસ વેબસાઈટ ઉપર વાપીના ઉદ્યોગપતિ સાથે 94.20 લાખનો સાઈબર ફ્રોડ કરનાર ટોળકીનો 4થો આરોપી ઝડપાયો

vartmanpravah

દાનહ કોંગ્રેસની સદસ્‍યતા અભિયાનની સમીક્ષા કરવા સેલવાસ પહોંચેલા સુપરવાઈઝર ડો. વિજયાલક્ષ્મી સાધો, અશોક બસોયા અને સહ-નિરીક્ષક પ્રતાપ પુનિયા

vartmanpravah

નેશનલ હ્યુમન વેલફેર કાઉન્‍સિલ અને ભારતીય સંસ્‍કૃતિ યુવા મંચ દ્વારા સેલવાસ રિવરફ્રન્‍ટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્‍મજયંતિ મનાવવામાં આવી

vartmanpravah

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું આયોજન કરાયું

vartmanpravah

સરપંચ લખીબેન પ્રેમાની અધ્‍યક્ષતામાં મળેલી મગરવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાનને આપવામાં આવેલી સર્વાનુમત્તે મંજૂરી

vartmanpravah

Leave a Comment