March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહની બેંક ઓફ બરોડાની શાખાઓમાં 115મો સ્‍થાપના દિવસ ઉજવાયો

આંગણવાડીના બાળકોને રેઈનકોટ વિતરણ કરવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીની અગ્રણી બેંક બેંક ઓફ બરોડાનો 115મો સ્‍થાપના દિવસ દરેક 12 બ્રાન્‍ચના ગ્રાહકો સાથે મનાવવામાં આવ્‍યો હતો. આ અવસરે બાળ વિકાસ પરિયોજનાના અધિકારી શ્રીમતી નમ્રતાબેન પરમારના માર્ગદર્શનમાં ગ્રામીણ ક્ષેત્ર માંદોની અને સીંદોની આંગણવાડીના 130 બાળકોને સી.એસ.આર. અંતર્ગત રેઈનકોટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું સાથે નોટબૂક પેન અને ફૂડપેકેટનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું. બેંક ઓફ બરોડા દ્વારા ચલાવવામાં આવી રહેલ ગ્રામીણ સ્‍વરોજગાર પ્રશિક્ષણ સંસ્‍થા આરસેટીમાં 115 ઔષધિય અને ફળના વૃક્ષા રોપણ અને વિતરણ કરવામાં આવ્‍યું સાથે દરેક શાખાઓમાં નૈતિકતા આચરણ સંહિતાનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ અવસરે બેંક ઓફ બરોડાના ઉપરી અધિકારી,બ્રાન્‍ચ મેનેજર, કર્મચારી માંદોની, સીંદોની જિલ્લા પંચાયત સભ્‍ય, સરપંચ, બાળ વિકાસ પરિયોજનાના કર્મચારી, બેંક ઓફ બરોડાના કર્મચારી અને આરસેટીના કર્મચારી ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહઃ રખોલી દમણગંગા નદીના બ્રીજ પરથી અજાણ્‍યા યુવાને ઝંપલાવી દેતાં ઘટના સ્‍થળ પર જ નિપજેલું મોત

vartmanpravah

ચીખલી તાલુકામાં બે અલગ અલગ અકસ્‍માતમાં બે ના મોત નિપજ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના માછીમારો માટે આનંદના સમાચારઃ હાઈસ્‍પીડ ડીઝલના વેચાણ ઉપર લાગતા 13.5 ટકા વેટને માફ કરવાના ઐતિહાસિક નિર્ણયની કેન્‍દ્રિય મત્‍સ્‍યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ કરેલી જાહેરાત

vartmanpravah

સુરંગી પંચાયત ખાતે ‘સ્‍વચ્‍છતા અભિયાન’ બાબતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

યુઆઈએને હોસ્‍પિટલ પ્રોજેક્‍ટ યાદ અપાવવા પત્રકારો મેદાનમાં

vartmanpravah

દાદરા નગર હવેલી: ભૂતકાળ ભૂલીને ચાલવા કાર્યકરોને અભિનવ ડેલકરે કરેલું આહ્‌વાન

vartmanpravah

Leave a Comment