Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહની બેંક ઓફ બરોડાની શાખાઓમાં 115મો સ્‍થાપના દિવસ ઉજવાયો

આંગણવાડીના બાળકોને રેઈનકોટ વિતરણ કરવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીની અગ્રણી બેંક બેંક ઓફ બરોડાનો 115મો સ્‍થાપના દિવસ દરેક 12 બ્રાન્‍ચના ગ્રાહકો સાથે મનાવવામાં આવ્‍યો હતો. આ અવસરે બાળ વિકાસ પરિયોજનાના અધિકારી શ્રીમતી નમ્રતાબેન પરમારના માર્ગદર્શનમાં ગ્રામીણ ક્ષેત્ર માંદોની અને સીંદોની આંગણવાડીના 130 બાળકોને સી.એસ.આર. અંતર્ગત રેઈનકોટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું સાથે નોટબૂક પેન અને ફૂડપેકેટનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું. બેંક ઓફ બરોડા દ્વારા ચલાવવામાં આવી રહેલ ગ્રામીણ સ્‍વરોજગાર પ્રશિક્ષણ સંસ્‍થા આરસેટીમાં 115 ઔષધિય અને ફળના વૃક્ષા રોપણ અને વિતરણ કરવામાં આવ્‍યું સાથે દરેક શાખાઓમાં નૈતિકતા આચરણ સંહિતાનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ અવસરે બેંક ઓફ બરોડાના ઉપરી અધિકારી,બ્રાન્‍ચ મેનેજર, કર્મચારી માંદોની, સીંદોની જિલ્લા પંચાયત સભ્‍ય, સરપંચ, બાળ વિકાસ પરિયોજનાના કર્મચારી, બેંક ઓફ બરોડાના કર્મચારી અને આરસેટીના કર્મચારી ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની બે વિદ્યાર્થીનીઓની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

ધરમપુર આસુરા ગામે સાસરે જવા નિકળેલ દંપતિની મોપેડને ઈકોએ ટક્કર મારતા પતિનું મોત

vartmanpravah

કપરાડાના હુડા ગામે ઘાટ ચઢતા ટ્રક પલટી મારી જતા ક્‍લિનરનું ઘટના સ્‍થળે મોત

vartmanpravah

બે INS ખૂકરીમાંથી સન 1971માં પાકિસ્‍તાન સામે લડતા એક યુધ્‍ધ જહાજ એ જળ સમાધી લેધેલ જ્‍યારે બીજી આઈએનએસ ખૂખરી યુધ્‍ધ જહાજની યાદગીરી રુપે દીવમાં મ્‍યુઝિયમ તરીકે લોકો માટે ખૂલ્લુ મુકાશે

vartmanpravah

દાદરાની એક કંપનીમાં લેબર કોન્‍ટ્રાક્‍ટર ફાસો ખાઈ આત્‍મહત્‍યા કરી

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે સેલવાસમાં આજે યાત્રી નિવાસ ફલાયઓવર અંડરસ્‍પેસની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment