Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ રખોલી દમણગંગા નદીના બ્રીજ પરથી અજાણ્‍યા યુવાને ઝંપલાવી દેતાં ઘટના સ્‍થળ પર જ નિપજેલું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : દાદરા નગર હવેલીના રખોલી ગામે દમણગંગા નદીના બ્રિજ પરથી બપોરના સમયે અચાનક એક અજાણ્‍યા યુવાને નદીના પટમાં ઝંપલાવી દીધું હતું, જેના કારણે એનું ઘટના સ્‍થળ પર જ મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર રખોલી ગામેદમણગંગા નદીના બ્રિજ પર બપોરના સમયે અચાનક એક યુવાન આવી કોઈને કંઈપણ સમજ પડે તે પહેલાં જ નદીમાં ઝંપલાવી દીધું હતું. આ ઘટનાને જોઈ સ્‍થાનિકો તેમજ ત્‍યાંથી પસાર થતા વાહનચાલકોએ પોલીસ વિભાગને ફોન કરતાં પોલીસકર્મીઓની ટીમ અને ઈમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સ 108ની ટીમ આવી પહોંચી હતી. બ્રિજ નીચે જ્‍યાં યુવાન પટકાયો હતો એ જોતાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે એનું ઘટના સ્‍થળ પર જ મોત થયું હતું. પોલીસની ટીમે આજુબાજુમાં તપાસ કરી હતી, પરંતુ મૃતક યુવાન અંગે કોઈપણ જાણકારી મળેલ નહિ. પોલીસે યુવાનની લાશનો કબ્‍જો લઈ સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે, એક મહિનામાં આ બ્રિજ પરથી બે યુવાનોએ ઝંપલાવી આત્‍મહત્‍યા કરી છે.
એક તરફ ભારત સરકાર દ્વારા યુવાનોમાં જે રીતે આત્‍મહત્‍યાની ઘટનાઓ બની રહી છે એના માટે યુવાઓમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એજ રીતે દાદરા નગર હવેલીમાં પણ પ્રશાસન દ્વારા સામાજીક સંસ્‍થાઓના સહયોગ દ્વારા સ્‍પેશિયલ ઝુંબેશ ચલાવવામાં આવે એ જરૂરી છે. દાનહમાં વધુ પડતા યુવક-યુવતીઓ ગળે ફાંસો લગાવી, ઝેર ગટગટાવીને કે પછી બ્રિજો ઉપરથી કૂદકા મારી જીવન ટુંકાવી રહ્યા છે. તેથીયુવાઓને આત્‍મહત્‍યાથી રોકવા માટે પ્રશાસન ખાસ ઝુંબેશ ચલાવે એ જરૂરી હોવાનું દેખાઈ રહ્યું છે.

Related posts

નાની દમણના કડૈયા પ્રગતિ મંડળ દ્વારા અંબા માતાજીના 16મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવ પૂર્વક કરાયેલીઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલીમા 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર આદિવાસી સમાજની દીકરીએ પાયલોટ બની ડંકો વગાડ્યો, હાલ હૈદરાબાદ એરપોર્ટથી ઉડાવે છે ઈન્ટરનેશનલ ફલાઈટ

vartmanpravah

દીવ બાલ ભવનના બાળકોને “TIE & DYE”Workshop નો લાભ મળ્‍યો…

vartmanpravah

વાપી નજીક દેગામ પંચાયતનાચૂંટણી વોર્ડ સભ્‍ય ઉમેદવાર અને પૂર્વ સરપંચ પાંચ દિવસથી રહસ્‍યમય રીતે ગૂમ

vartmanpravah

ચીખલીના સાદકપોર ગામે હનુમાન દાદાના મંદિરમાંથી આરસની મૂર્તિ ચોરી

vartmanpravah

Leave a Comment