April 19, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

કપરાડા કુંભઘાટ ઉપર બે ટ્રક પલટી મારી જતા ટ્રાફિક જામઃ કુંભઘાટ મોતનો ઘાટ બની રહ્યો છે

બંન્ને ટ્રક ચાલક-ક્‍લિનર ઘાયલ થયાઃ સદ્‌નસીબે જાનહાની ટળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: ગુજરાત મહારાષ્‍ટ્રને જોડતા કપરાડા-નાસિક સ્‍ટેટ હાઈવે ઉપર આવેલ કુંભઘાટ છેલ્લા ઘણા વર્ષોથી મોતનો ઘાટ બની રહેલ છે. સપ્તાહમાં એકથી વધારે ટ્રક પલટી જવાની ઘટનાઓ નિરંતર બની રહી છે. ગતરોજ સાંજના વધુ બે ટ્રક કુંભઘાટમાં નીચે ઉતરતા પલટી મારી જતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં ડ્રાઈવર-ક્‍લિનર ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા હતા. બે ટ્રક પાસ પાસે પલટી મારી જતા ટ્રાફિક જામ થયો હતો પરંતુ પોલીસે ક્રેઈન દ્વારા ટ્રક ખસેડી લેતા વાહન વહેવાર રાબેતા મુજબસ્‍થિર થયો હતો.
કપરાડા નજીક આવેલ કુંભઘાટમાં ગતરોજ એક ખાતર ભરેલ અને એક પેપર રોલ ભરેલી બે ટ્રક નજીક નજીક બ્રેક ફેલ થતાં પલટી મારી ગઈ હતી. કુંભઘાટમાં વળાંકો જોખમી અને ચઢાણ-ઉતરાણ વાળા વધુ હોવાથી ટ્રક ચાલકો વારંવાર ટ્રકનો કાબુ ગુમાવતા હોય છે. પરિણામે નિરંતર અકસ્‍માત થતા રહે છે. પ્રત્‍યેક સપ્તાહે એક-બે ટ્રક પલટી મારવાના બનાવ બને છે. ક્‍યારેક તો આખી ટ્રક ખીણોમાં ગરકાવ થતી હોવાના જીવલેણ બનાવો ભૂતકાળમાં નોંધાયેલા છે.

Related posts

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસી પડયો વરસાદ

vartmanpravah

દીવમાં શાળાના બાળકો માટે યોજવામાં આવ્યો સાયબર અવેરનેસ અને સેન્સિટાઈઝેશન કાર્યક્રમ

vartmanpravah

દેહરીની ટેનવાલા કંપની સામે કરવામાં આવેલી લેન્‍ડ ગ્રેબિગની ફરિયાદમાં તપાસ કરનાર અધિકારીઓનો બિનજરૂરી વિલંબ 

vartmanpravah

વાપી ન.પા. વિસ્‍તારનો તા.2જી જુલાઈના શનિવારે યોજાશે ‘‘સેવા સેતુ કાર્યક્રમ”

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી શાળાના દિવ્‍યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય વિતરણ કરાઈ   

vartmanpravah

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિવસના ઉપલક્ષમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા વલસાડ ખાતે રેલી યોજાઇ

vartmanpravah

Leave a Comment