March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં સબડી રહેલા માછીમારો અને બોટને છોડાવવા વિદેશ મંત્રી એસ.જયશંકરને કરેલીરજૂઆત

સંઘપ્રદેશ અને ગુજરાત સહિત દેશના 618 માછીમારો અને 1523 બોટને છોડાવવા દરમિયાનગીરી કરવા સાંસદ લાલુભાઈ પટેલે વિદેશ મંત્રી સાથે કરેલી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.22: દમણ અને દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરની મુલાકાત કરી છેલ્લા ચાર વર્ષથી પાકિસ્‍તાની જેલમાં સબડી રહેલા 618 માછીમારો અને 1523 બોટને છોડાવવા દરમિયાનગીરી કરવા માંગણી કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરને મળી દમણ-દીવ અને ગુજરાત સહિત દેશના 618 જેટલા પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમારોની વ્‍યથા રજૂ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, 1523 જેટલી બોટ પણ પાકિસ્‍તાનના કબ્‍જામાં રહેલી છે. તેમણે માછીમારો અને બોટોને છોડાવવા પાકિસ્‍તાન સત્તાવાળાઓ સાથે યોગ્‍ય વાટાઘાટ કરી સમસ્‍યાનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી.

Related posts

દાનહમાં આદિત્‍ય એનજીઓએ શહીદ દિવસ પર કેન્‍ડલ માર્ચ કાઢી, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુને આપેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

મહારાષ્‍ટ્રથી સુરત દારૂ ભરી જતો ટેમ્‍પો મોતીવાડા હાઈવેથી એલસીબીએ ઝડપ્‍યો

vartmanpravah

નરોલીથી મળેલ સિકયુરિટી સુપરવાઇઝરના હત્‍યારાની પોલીસે કરી ધરપકડ

vartmanpravah

ચીખલી તાલુકામાં જુદા જુદા ૩ બનાવોમાં ઍક મહિલા સહિત ૩ના મોત

vartmanpravah

જેઈઆરસીની યોજાયેલી જનસુનાવણીમાં સેલવાસ-દમણમાં ટોરેન્‍ટ પાવરના વહીવટ સામે પડેલી પસ્‍તાળ

vartmanpravah

મરાઠી બ્રાહ્મણ સભા સેલવાસ દ્વારા ગણપતિની માટીની મૂર્તિ બનાવવાની અપાયેલી તાલીમ

vartmanpravah

Leave a Comment