Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં સબડી રહેલા માછીમારો અને બોટને છોડાવવા વિદેશ મંત્રી એસ.જયશંકરને કરેલીરજૂઆત

સંઘપ્રદેશ અને ગુજરાત સહિત દેશના 618 માછીમારો અને 1523 બોટને છોડાવવા દરમિયાનગીરી કરવા સાંસદ લાલુભાઈ પટેલે વિદેશ મંત્રી સાથે કરેલી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.22: દમણ અને દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરની મુલાકાત કરી છેલ્લા ચાર વર્ષથી પાકિસ્‍તાની જેલમાં સબડી રહેલા 618 માછીમારો અને 1523 બોટને છોડાવવા દરમિયાનગીરી કરવા માંગણી કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરને મળી દમણ-દીવ અને ગુજરાત સહિત દેશના 618 જેટલા પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમારોની વ્‍યથા રજૂ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, 1523 જેટલી બોટ પણ પાકિસ્‍તાનના કબ્‍જામાં રહેલી છે. તેમણે માછીમારો અને બોટોને છોડાવવા પાકિસ્‍તાન સત્તાવાળાઓ સાથે યોગ્‍ય વાટાઘાટ કરી સમસ્‍યાનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી.

Related posts

દાનહ અથાલ ગામે અકસ્માતમાં યુવાનનું ઘટના સ્થળે મોત

vartmanpravah

માંગીલાલ શર્મા પરિવાર અને હરીશ આર્ટ વાપી દ્વારા ધરમપુરના માલનપાડા શ્રી રામેશ્વર માધ્‍યમિક શાળામાં ધાબળા વિતરણ કરાયા

vartmanpravah

દીવ બાલભવનના બાળકોએ ‘બાલ ગીત’ અને ‘બાલ વાર્તા’ની રચના કરી

vartmanpravah

ઈતિહાસના ઉત્તમ અને સચોટ મૂલ્‍યાંકન માટે આપણે વિશ્વસ્‍તરીય માપદંડોના હિસાબે નવી ટેકનીકનો ઉપયોગ કરવો જોઈએઃકેન્‍દ્રીય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ દાનહ અને દમણ-દીવમાં ઘરે ઘરે 2024ના કેલેન્‍ડર વિતરણ અભિયાનનો જુસ્‍સાભેર આરંભ

vartmanpravah

અ.ભા.વિ.પી.ની ઐતિહાસિક જીવન ગાથા ઉપર આધારિત પુસ્‍તકની સંઘપ્રદેશના કાર્યકર્તાઓએ પ્રશાસકશ્રીને આપેલી ભેટ

vartmanpravah

Leave a Comment