July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં સબડી રહેલા માછીમારો અને બોટને છોડાવવા વિદેશ મંત્રી એસ.જયશંકરને કરેલીરજૂઆત

સંઘપ્રદેશ અને ગુજરાત સહિત દેશના 618 માછીમારો અને 1523 બોટને છોડાવવા દરમિયાનગીરી કરવા સાંસદ લાલુભાઈ પટેલે વિદેશ મંત્રી સાથે કરેલી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.22: દમણ અને દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરની મુલાકાત કરી છેલ્લા ચાર વર્ષથી પાકિસ્‍તાની જેલમાં સબડી રહેલા 618 માછીમારો અને 1523 બોટને છોડાવવા દરમિયાનગીરી કરવા માંગણી કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરને મળી દમણ-દીવ અને ગુજરાત સહિત દેશના 618 જેટલા પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમારોની વ્‍યથા રજૂ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, 1523 જેટલી બોટ પણ પાકિસ્‍તાનના કબ્‍જામાં રહેલી છે. તેમણે માછીમારો અને બોટોને છોડાવવા પાકિસ્‍તાન સત્તાવાળાઓ સાથે યોગ્‍ય વાટાઘાટ કરી સમસ્‍યાનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી.

Related posts

રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડમાં રાખી અને હસ્તકળા મેળાનો શુભારંભ કરાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પદ્મશ્રી પ્રભાબેન શાહને પાઠવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

કપરાડાના શિંગડુંગરી ગામ માટે જીંદગી જીવવાનો અભિશાપ છે, જીંદગી જીવવી હોય તો હલેસા મારવા પડશે

vartmanpravah

વાપીના યુવાન બિલ્‍ડરની પાર નદીમાં મોતની છલાંગ

vartmanpravah

વાપી ચલા રોયલ લાઈફ સોસાયટીમાં નવનિર્માણ થયેલ શિવજી મંદિરનો ભવ્‍ય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સંપન્ન

vartmanpravah

સરીગામની વેન પેટ્રોકેમ એન્‍ડ ફાર્મા કંપની પ્રચંડ ધડાકા સાથે ધરાશાયી

vartmanpravah

Leave a Comment