March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સરીગામ સીતારામ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટની પ્રશંસનીય શિક્ષણલક્ષી કામગીરીથી ગરીબ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં છવાયેલી ખુશી

ટ્રસ્‍ટના ચેરમેન કિર્તિ રાય અને પ્રતિક રાયે ‘અમે ભણાવીશું’ ના અભિગમ હેઠળ150થી ગરીબ વિદ્યાર્થીઓને શાળામાં અપાવેલું એડમિશન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક),
સરીગામ, તા.24
સરીગામ સીતારામ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા ‘અમે ભણાવીશું’ના અભિગમ હેઠળ શિક્ષણલક્ષી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. દર વર્ષે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સ્‍કૂલ કિટનું વિતરણ કરવામાં આવતું હતું. પરંતુ સ્‍કૂલ કિટ મેળવનારા ઘણા બાળકો વાલીઓની નબળી આર્થિક પરિસ્‍થિતિને કારણે શાળાના અભ્‍યાસથી વંચિત રહેતા હોવાનું સીતારામ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના ચેરમેન અને સંચાલક શ્રી પ્રતિકભાઈ બસનારાયણ રાય અને શ્રી કિર્તીભાઈ બસનારાયણ રાયને જાણવા મળ્‍યું હતું. જેથી જેમના વાલીઓની આર્થિક પરિસ્‍થિતિ નબળી હોવાના કારણે બાળકોને શાળામાં મોકલી શકતા નથી એમની સર્વેની કામગીરી કરાવી હતી જેમાં બીજા પ્રાંતથી આવીને નોકરી અર્થે સરીગામ ખાતે સ્‍થાયી થયેલા છે એવા વાલીઓના 150થી વધુ બાળકો ધ્‍યાન ઉપર આવ્‍યા હતા. આ તમામ બાળકોને શિક્ષણ આપવાના નેક ઉદ્દેશથી ગણેશ નગરમાં કાર્યરત હિન્‍દી માધ્‍યમની સ્‍કૂલમાં એડમિશન કરાવ્‍યું હતું અને જે પણ વાલીઓ આર્થિક પરિસ્‍થિતિ નબળી હોવાના કારણે શાળાની ફીસ ના ભરી શકે એવી તમામ ફીસ સીતારામ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા ભરવામાં આવી હતી અને ભવિષ્‍યમાં પણ આ બાળકો પાછળશૈક્ષણિક સંપૂર્ણ ખર્ચ કરવાની તૈયારી બતાવી હતી. ટ્રસ્‍ટના ચેરમેન અને સંચાલક શ્રી પ્રતિકભાઈ રાય અને શ્રી કિર્તીભાઈ રાયની શિક્ષણ લક્ષી નેત્રદીપક કામગીરીની સરીગામ વાસીઓમાં હકારાત્‍મક નોંધ લેવામાં આવી રહી છે.

Related posts

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દાનહ અને દમણ-દીવના લગભગ રૂા.4900 કરોડના વિકાસ પ્રોજેક્‍ટોનું ઉદ્‌ઘાટન અને ભૂમિપૂજન કરશે

vartmanpravah

આજે ‘વર્તમાન પ્રવાહ’ના સેલવાસ કાર્યાલયનો આરંભ સ્‍વામિનારાયણના સંત પ.પૂ. ચિન્‍મયસ્‍વામીજીના પગરણથી કરાશે

vartmanpravah

નવયુગ ગ્રુપ દમણ રાણા શેરીના રહેવાસીઓએ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલના જન્‍મદિવસની કરેલી ઉજવણી

vartmanpravah

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ભાવ વધારો ખેડૂતોને પરંપરાગત ખેતી તરફ લઈ જાય તો નવાઈ નહીં

vartmanpravah

વાપી પ્રમુખ ગ્રીન સીટી ચલા છેલ્લા 4 વર્ષથી નવરાત્રી મહોત્‍સવનું થતું આયોજન

vartmanpravah

દાનહ લેબર વિભાગ દ્વારા વિવિધ પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment