October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સરીગામ સીતારામ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટની પ્રશંસનીય શિક્ષણલક્ષી કામગીરીથી ગરીબ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં છવાયેલી ખુશી

ટ્રસ્‍ટના ચેરમેન કિર્તિ રાય અને પ્રતિક રાયે ‘અમે ભણાવીશું’ ના અભિગમ હેઠળ150થી ગરીબ વિદ્યાર્થીઓને શાળામાં અપાવેલું એડમિશન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક),
સરીગામ, તા.24
સરીગામ સીતારામ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા ‘અમે ભણાવીશું’ના અભિગમ હેઠળ શિક્ષણલક્ષી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. દર વર્ષે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સ્‍કૂલ કિટનું વિતરણ કરવામાં આવતું હતું. પરંતુ સ્‍કૂલ કિટ મેળવનારા ઘણા બાળકો વાલીઓની નબળી આર્થિક પરિસ્‍થિતિને કારણે શાળાના અભ્‍યાસથી વંચિત રહેતા હોવાનું સીતારામ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના ચેરમેન અને સંચાલક શ્રી પ્રતિકભાઈ બસનારાયણ રાય અને શ્રી કિર્તીભાઈ બસનારાયણ રાયને જાણવા મળ્‍યું હતું. જેથી જેમના વાલીઓની આર્થિક પરિસ્‍થિતિ નબળી હોવાના કારણે બાળકોને શાળામાં મોકલી શકતા નથી એમની સર્વેની કામગીરી કરાવી હતી જેમાં બીજા પ્રાંતથી આવીને નોકરી અર્થે સરીગામ ખાતે સ્‍થાયી થયેલા છે એવા વાલીઓના 150થી વધુ બાળકો ધ્‍યાન ઉપર આવ્‍યા હતા. આ તમામ બાળકોને શિક્ષણ આપવાના નેક ઉદ્દેશથી ગણેશ નગરમાં કાર્યરત હિન્‍દી માધ્‍યમની સ્‍કૂલમાં એડમિશન કરાવ્‍યું હતું અને જે પણ વાલીઓ આર્થિક પરિસ્‍થિતિ નબળી હોવાના કારણે શાળાની ફીસ ના ભરી શકે એવી તમામ ફીસ સીતારામ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા ભરવામાં આવી હતી અને ભવિષ્‍યમાં પણ આ બાળકો પાછળશૈક્ષણિક સંપૂર્ણ ખર્ચ કરવાની તૈયારી બતાવી હતી. ટ્રસ્‍ટના ચેરમેન અને સંચાલક શ્રી પ્રતિકભાઈ રાય અને શ્રી કિર્તીભાઈ રાયની શિક્ષણ લક્ષી નેત્રદીપક કામગીરીની સરીગામ વાસીઓમાં હકારાત્‍મક નોંધ લેવામાં આવી રહી છે.

Related posts

વાપી પાલિકા અને આર.ઓ. પ્‍લાન્‍ટ સંચાલકોના વિવાદનો અંતઃ પાલિકાએ ગાઈડલાઈન જારી કરી દિશાનિર્દેશ આપ્‍યા

vartmanpravah

દાનહ કોંગ્રેસ દ્વારા સેલવાસ ખાતે નવી પંચાયત માર્કેટમાં માતાજીનું મંદિર બનાવવા કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરે 14મી માર્ચથી શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવનો થનારો આરંભ

vartmanpravah

દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયલયનો ચુકાદો  હત્‍યાની કોશિષના ગુનામાં આરોપી જીજ્ઞેશ પટેલને 5 વર્ષની જેલ અને રૂા.10 હજારનો ફટકારેલો દંડ

vartmanpravah

વાપી અને ગુજરાતના ઉદ્યોગકારોના હિતમાં જીઆઈડીસી દ્વારા લેવાયેલા નવા નિર્ણયોનો ઉદ્યોગકારો દ્વારા આવકાર

vartmanpravah

એસ.એસ.સી.માં ઓછા ટકા આવતા માતાએ ઠપકો આફતા ઘર છોડી નિકળેલી અમદાવાદની તરૂણી વલસાડમાં મળી

vartmanpravah

Leave a Comment