Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીયલ ઝોનમાં ઉપલબ્‍ધ કરાયેલી સીસીટીવી કેમેરાની સુવિધા :ગુનાહિત પ્રવૃત્તિ ઉપર આવનારો અંકુશ

રૂપિયા 33 લાખના ખર્ચે મહત્‍વના 14 પોઈન્‍ટ ઉપર લગાવેલા 41 સીસીટીવી કેમેરાનું પોલીસ મહાનિર્દેશક ડો.એસ.પી. રાજકુમારના હસ્‍તે કરવામાં આવેલું લોકાર્પણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.25
સરીગામ જીઆઈડીસીના રસ્‍તાના મહત્‍વના 14 જેટલા પોઈન્‍ટ ઉપર બેસાડવામાં આવેલા 41 સીસીટીવી કેમેરાને કાર્યરત કરવા આજરોજ પોલીસ મહાનિર્દેશક ડો.એસ. પી. રાજકુમારના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસવાળા ડો. રાજદીપસિંહ ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી શ્રીપાલ શેષ મા, તેમજ ઉમરગામ તાલુકા ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, જીઆઈડીસી વિભાગના રિજનલ મેનેજર શ્રી દિનેશભાઈ પરમાર તદઉપરાંત એસઆઈએના પ્રેસિડેન્‍ટ શ્રી કમલેશભાઈ ભટ્ટ, એસઆઈએના માજી પ્રમુખ શ્રી શિરીષભાઈ દેસાઈ અને મોટી સંખ્‍યામાં ઉદ્યોગપતિઓની ઉપસ્‍થિતિ જોવા મળી હતી.
આ પ્રસંગે પોલીસ મહાનિર્દેશક ડૉ.એસ.પી રાજકુમારે જરૂરી માર્ગદર્શન અને મહત્‍વના સૂચનો આપતા જણાવ્‍યું હતું કે, માત્ર સીસીટીવી કેમેરા લગાવવાથી જીઆઈડીસીમાં વધેલી ગુનાહીત પ્રવૃત્તિઓ ઉપર અંકુશ આવશે નહીં જેના માટે સીસીટીવી કેમેરાનુ સમય સમયે મોનેટરીંગ કરવું પડશે અને જરૂર જણાય તો પગલા પણ ભરવા પડશે. વધુમાં સરીગામજીઆઈડીસી પોલીસ ચોકી ઉપર પીએસઆઈ લેવલના અધિકારીની નિમણૂંક આપી કાર્યક્ષમતામાં વધારો કરવાનું પણ આશ્વાસન આપ્‍યું હતું.
આજના કાર્યક્રમમાં ધારાસભ્‍યશ્રી રમણભાઈ પાટકરે એસઆઈએની ટીમ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી તેમજ સરીગામ જીઆઈડીસીમાં બનાવટી પત્રકારોનો વધેલા આંતકની નોંધ લેવા અને કાર્યવાહી કરવા પોલીસ મહાનિર્દેશક ડો. એસ.પી. રાજકુમાર તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી રાજદીપસિંહ ઝાલાને સૂચન સાથે આગ્રહ કર્યો હતો.
આજના કાર્યક્રમમાં એસઆઈએસ સેક્રેટરી શ્રી હેમંતભાઈ મંડોલી, ઉપપ્રમુખ શ્રી નિર્મલભાઈ દુધાની, ટ્રેઝરર શ્રી કિશોરભાઈ ગજેરા, લો એન્‍ડ ઓર્ડર કમિટી ચેરમેન શ્રી વિનોદ સિંહ, માજી સેક્રેટરી શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી સમીમભાઈ રિઝવી અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જે.કે રાય, શ્રી ઉદયભાઈ મારબલી, શ્રી પ્રવીણભાઈ પટેલ સહિત મોટી સંખ્‍યામાં ઉદ્યોગપતિ અને સંચાલકોની હાજરી જોવા મળી હતી.

Related posts

ખડકીમાં ટુકવાડાથીᅠઈજાગ્રસ્‍તને લઈ જતી 108 નીᅠઅડફેટેᅠચઢયો રાહદારી: સાઈરનᅠવગાડતી જતી 108 સામે મોબાઈલ પર વાતો કરવાના ધ્‍યાનમાં રાહદારી આવી ચઢતા સર્જાયો અકસ્‍માત

vartmanpravah

ડેપ્‍યુટી કલેક્‍ટર સાથે યોજાયેલ વિવિધ સમાજ અને ધર્મગુરૂઓ સાથેની બેઠકમાં દમણના દરિયા કે નદીમાં પૂજા સામગ્રી કે પ્‍લાસ્‍ટિકનું વિસર્જન નહીં કરવા તાકીદ

vartmanpravah

મલીયાધરામાં શ્રી ગણેશ મહોત્‍સવ દરમિયાન યુનિટી ગ્રુપ દ્વારા યોજાયેલા રક્‍તદાન કેમ્‍પમાં 82 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

સંઘપ્રદેશમાં વારે-તહેવારે પ્રશાસક પ્રફુલભાઈ પટેલને હટાવવાનો મુદ્દો કેમ ઉઠતો રહે છે?

vartmanpravah

વાપી કોળીવાડ ભંગારના ગોડાઉનમાંથી બી.એસ.એન.એલ. ટાવરની બેટરીઓ ઝડપાઈ

vartmanpravah

દમણ પોલીસ વિભાગની નિકળેલી ભવ્‍ય તિરંગા રેલીઃ હર ઘર તિરંગો ફરકાવવા અપીલ

vartmanpravah

Leave a Comment