November 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીયલ ઝોનમાં ઉપલબ્‍ધ કરાયેલી સીસીટીવી કેમેરાની સુવિધા :ગુનાહિત પ્રવૃત્તિ ઉપર આવનારો અંકુશ

રૂપિયા 33 લાખના ખર્ચે મહત્‍વના 14 પોઈન્‍ટ ઉપર લગાવેલા 41 સીસીટીવી કેમેરાનું પોલીસ મહાનિર્દેશક ડો.એસ.પી. રાજકુમારના હસ્‍તે કરવામાં આવેલું લોકાર્પણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.25
સરીગામ જીઆઈડીસીના રસ્‍તાના મહત્‍વના 14 જેટલા પોઈન્‍ટ ઉપર બેસાડવામાં આવેલા 41 સીસીટીવી કેમેરાને કાર્યરત કરવા આજરોજ પોલીસ મહાનિર્દેશક ડો.એસ. પી. રાજકુમારના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસવાળા ડો. રાજદીપસિંહ ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી શ્રીપાલ શેષ મા, તેમજ ઉમરગામ તાલુકા ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, જીઆઈડીસી વિભાગના રિજનલ મેનેજર શ્રી દિનેશભાઈ પરમાર તદઉપરાંત એસઆઈએના પ્રેસિડેન્‍ટ શ્રી કમલેશભાઈ ભટ્ટ, એસઆઈએના માજી પ્રમુખ શ્રી શિરીષભાઈ દેસાઈ અને મોટી સંખ્‍યામાં ઉદ્યોગપતિઓની ઉપસ્‍થિતિ જોવા મળી હતી.
આ પ્રસંગે પોલીસ મહાનિર્દેશક ડૉ.એસ.પી રાજકુમારે જરૂરી માર્ગદર્શન અને મહત્‍વના સૂચનો આપતા જણાવ્‍યું હતું કે, માત્ર સીસીટીવી કેમેરા લગાવવાથી જીઆઈડીસીમાં વધેલી ગુનાહીત પ્રવૃત્તિઓ ઉપર અંકુશ આવશે નહીં જેના માટે સીસીટીવી કેમેરાનુ સમય સમયે મોનેટરીંગ કરવું પડશે અને જરૂર જણાય તો પગલા પણ ભરવા પડશે. વધુમાં સરીગામજીઆઈડીસી પોલીસ ચોકી ઉપર પીએસઆઈ લેવલના અધિકારીની નિમણૂંક આપી કાર્યક્ષમતામાં વધારો કરવાનું પણ આશ્વાસન આપ્‍યું હતું.
આજના કાર્યક્રમમાં ધારાસભ્‍યશ્રી રમણભાઈ પાટકરે એસઆઈએની ટીમ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી તેમજ સરીગામ જીઆઈડીસીમાં બનાવટી પત્રકારોનો વધેલા આંતકની નોંધ લેવા અને કાર્યવાહી કરવા પોલીસ મહાનિર્દેશક ડો. એસ.પી. રાજકુમાર તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી રાજદીપસિંહ ઝાલાને સૂચન સાથે આગ્રહ કર્યો હતો.
આજના કાર્યક્રમમાં એસઆઈએસ સેક્રેટરી શ્રી હેમંતભાઈ મંડોલી, ઉપપ્રમુખ શ્રી નિર્મલભાઈ દુધાની, ટ્રેઝરર શ્રી કિશોરભાઈ ગજેરા, લો એન્‍ડ ઓર્ડર કમિટી ચેરમેન શ્રી વિનોદ સિંહ, માજી સેક્રેટરી શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી સમીમભાઈ રિઝવી અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જે.કે રાય, શ્રી ઉદયભાઈ મારબલી, શ્રી પ્રવીણભાઈ પટેલ સહિત મોટી સંખ્‍યામાં ઉદ્યોગપતિ અને સંચાલકોની હાજરી જોવા મળી હતી.

Related posts

દીવ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો માટે રાષ્‍ટ્રીય હેલ્‍પલાઈન 14567 ને સફરતાં પૂર્વક એક વર્ષ પૂર્ણ થતા ઘોઘલા ખારવા સમાજ હોલમાં થયો કાર્યક્રમ

vartmanpravah

વલસાડ જિલ્લામાં રાજ્‍યપાલ-મુખ્‍યમંત્રીના આગામન પૂર્વે તંત્ર એકશનમાં: રોડ-હાઈવેની મરામત યુધ્‍ધના ધોરણે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી જે.પી.નડ્ડા સાથે સંઘપ્રદેશના વિવિધ મુદ્દાઓનીકરેલી ગહન ચર્ચા

vartmanpravah

વલસાડ ફલેટમાં ફ્રિઝમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી 

vartmanpravah

ચીખલીના તેજલાવમાં રજાના દિવસે વીજ કંપનીને જાણ કર્યા વિના કામ કરાવનાર કોન્‍ટ્રાક્‍ટરની લાપરવાહીથી શ્રમિકનું વીજ કરંટ લાગતા મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે એસ.પી.અગ્રવાલના આગમન સાથે જ દમણ-દીવ અને દાનહના ઘણાં નેતાઓ, ઉદ્યોગપતિઓ અને દલાલોના દિવસો સુધરી ગયા હતા

vartmanpravah

Leave a Comment