March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

પરિણામ નહીં મળે તો ચૂંટણી બહિષ્‍કારની ચિમકી સાથે: વલસાડ કાંઠા વિસ્‍તારના 12 ગામના લોકો રેતી ખનન મામલે મેદાને ઉતર્યા : રેલી કાઢી

 કાંઠા વિસ્‍તારના ગામોમાં ગેરકાયદે રેતી ખનનથી દરિયાના પાણી ગામોમાં ઘૂસી રહ્યા હોવાથી લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26
વલસાડ દરિયા કિનારે આવેલ બાર જેટલા ગામોમાં ગેરકાયદે રેતી ખનન કામગીરી બેરોકટોક ધમધમી રહી છે. જેથી દાંડી સહિત 12 જેટલા ગામોમાં દરિયાના પાણી વરસોથી ઘૂસી રહ્યા છે. તેની લડત લાંબા સમયથી ચલાવી રહ્યા છે. વહિવટી તંત્ર દ્વારા પ્રોટેકશન વોલ અને ખનન અટકાવવાના કોઈ પગલાં નહી ભરાતા આજે દાંડી સહિતના 12 જેટલા ગામોના રહીશો મેદાને પડયા હતા. વલસાડ કલેક્‍ટરને સુત્રોચ્‍ચાર બેનરો સાથે રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
વલસાડ દરિયા કિનારે નાના-મોટા 12 જેટલા ગામો ચોમાસામાં અને ભરતી સમયે ખાસ કરીને મોટા પ્રમાણમાં ચાલી રહેલ રેતી ખનનના કારણે ભયભીત હાલતમાં જીંદગી વિતાવી રહ્યા છે. લાંબા સમયથી રેતી ખનન બંધ કરાવા અનેજરૂરી પ્રોટેકશન વોલ માટેની માંગણી સાથે આંદોલન ચલાવી રહ્યા છે. વારંવાર આવેદનપત્ર પાઠવી કલેક્‍ટર સામે પસ્‍તાળ પણ પાડી છે. છતાં કોઈપણ પગલાં ભરાતા નહીં હોવાથી પોતાના ગામોનું અસ્‍તિત્‍વ ટકાવવા આજે મંગળવારે વિશાળ સંખ્‍યામાં દાંતી સહિતના 12 ગામોના લોકો સુત્રોચ્‍ચાર-બેનરો સાથે મેદાને ઉતર્યા હતા. અગાઉ પણ તા.16-6-22 ના રોજ રેલી દ્વારા રજૂઆત-આવેદનપત્ર પાઠવેલ પરંતુ કલેક્‍ટર હાથ ઊંચા કરી જણાવી રહ્યા છે કે આ મામલો રાજ્‍ય સરકારનો છે. તેથી લોકોમાં વ્‍યાપક રોષ જોવા મળી રહ્યો છે. 12 ગામોની આ સમસ્‍યાનો ઉકેલ નહીં આવે તો વિધાનસભા ચૂંટણી બહિષ્‍કારની પણ ચીમકી આગેવાનોએ ઉચ્‍ચારી હતી.

Related posts

કોટલાવમાં ઓવરટેકની લ્‍હાયમાં કાર અને ટેમ્‍પો સામસામે અથડાયાઃ તમામનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દીવની મુલાકાતે

vartmanpravah

રાજ્યના આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કપરાડા ખાતે રૂ. ૯૦ લાખના ખર્ચે તૈયાર થનારી લાયબ્રેરીના મકાનનું ભૂમિપૂજન કરાયું

vartmanpravah

પારડીમાં હર્ષો ઉલ્લાસ અને વાંજતે ગાજતે થયું ગણેશ વિસર્જન: 11 દિવસ સાથે રહેલા ગણેશજીને વિદાય આપતા હર્ષના આંસુ છલકાયા

vartmanpravah

વાપીથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિમાં સપ્તાહમાં વધુ બે બસ દોડશે

vartmanpravah

એન.આર. અગરવાલ રોટરી હોસ્‍પિટલના પટાંગણમાં સ્‍વતંત્ર્ય દિવસની કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment