Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31
મહાકાલેશ્વર મિત્ર મંડળ સેલવાસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાવડ યાત્રાનું આયોજન કરવામા આવ્‍યુ હતું. જેમાં મોટી સંખ્‍યામાં કાવડિયાઓએ ભાગ લીધો હતો. આ કાવડ યાત્રાને પ્રથમ આમલી રામજી મંદિરથી માજી સાંસદ શ્રી નટુભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ શ્રી અજયભાઇ દેસાઈ, શ્રી જીતુભાઇ માઢા સહિત સમાજના અગ્રણીઓ દ્વારા શિવજીની પૂજા કરી નારિયળ ફોડી યાત્રાની વિધિવત શરૂઆત કરવામા આવી હતી. આ અવસરે સમાજના અગ્રણીઓ અને અન્‍ય અતિથિઓએ કાવડ લઈ કાવડિયાઓ સાથે ચાલ્‍યા હતા. જેનાથી કાવડિયાઓનો ઉત્‍સાહ વધ્‍યો હતો અને બોલ બમના નારા સાથે કાવડ યાત્રા શરૂ થઇ હતી. આ કાવડ યાત્રા રામજી મંદિરથી શરૂ કરી બિન્‍દ્રાબિન મંદિરે જશે. જ્‍યાંથી પાણી ભરી પરત કવાડીયા લવાછા રામેશ્વર મહાદેવ મંદિરમા જળાભિષેક કરશે.

Related posts

પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. જે.એન.સોલંકીની અધ્‍યક્ષતામાં ગણેશ મંડળો સાથે બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

મજીગામમાં પસાર થતી માઈનોર કેનાલના નવીનીકરણના કામમાં કપચીના દેખાવા સાથે થીંગડા મારવાની નોબત

vartmanpravah

નરોલી પોલીસ સ્‍ટેશન ખાતે એસએચઓ સ્‍વાનંદ ઈનામદારનું કરાયું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

દાનહની કંપનીઓમાં આગ લાગવાની ઘટનાનો સિલસિલો યથાવત મસાટ ખાતેની દાલમિયા પોલી પ્રો પ્રાઈવેટ લિ. કંપનીમાં બુધવારે મળસ્‍કે લાગેલી ભીષણ આગ

vartmanpravah

ચીખલી નેશનલ હાઈવે થાલા પાસે સર્વિસ રોડ ઉપર રાત્રીના સમયે જ્‍વલંત કેમિકલ ભરેલ ટેન્‍કર ગટરમાં ઉતરી જતા નાસભાગ મચી

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત”જિલ્લાકક્ષા રંગોળી સ્પર્ધા ૨૦૨૧-૨૨”માં ભાગ લેવા બાબત

vartmanpravah

Leave a Comment