Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31
મહાકાલેશ્વર મિત્ર મંડળ સેલવાસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાવડ યાત્રાનું આયોજન કરવામા આવ્‍યુ હતું. જેમાં મોટી સંખ્‍યામાં કાવડિયાઓએ ભાગ લીધો હતો. આ કાવડ યાત્રાને પ્રથમ આમલી રામજી મંદિરથી માજી સાંસદ શ્રી નટુભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ શ્રી અજયભાઇ દેસાઈ, શ્રી જીતુભાઇ માઢા સહિત સમાજના અગ્રણીઓ દ્વારા શિવજીની પૂજા કરી નારિયળ ફોડી યાત્રાની વિધિવત શરૂઆત કરવામા આવી હતી. આ અવસરે સમાજના અગ્રણીઓ અને અન્‍ય અતિથિઓએ કાવડ લઈ કાવડિયાઓ સાથે ચાલ્‍યા હતા. જેનાથી કાવડિયાઓનો ઉત્‍સાહ વધ્‍યો હતો અને બોલ બમના નારા સાથે કાવડ યાત્રા શરૂ થઇ હતી. આ કાવડ યાત્રા રામજી મંદિરથી શરૂ કરી બિન્‍દ્રાબિન મંદિરે જશે. જ્‍યાંથી પાણી ભરી પરત કવાડીયા લવાછા રામેશ્વર મહાદેવ મંદિરમા જળાભિષેક કરશે.

Related posts

કીકરલાથી ચાર જેટલી મોટર સાયકલો પર દારૂનો જથ્‍થો પહોંચતો થાય તે પહેલા પોલીસ ત્રાટકી

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં રાષ્‍ટ્રીય એકતા દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણમાં જરૂરિયાતમંદ મહિલાઓના સશક્‍તિકરણ માટે વિનામૂલ્‍યે ચાલતા તાલીમ કેન્‍દ્ર ‘ઉન્નતિ’માં ત્રીજી બેચને પ્રમાણપત્ર એનાયત કરાયા

vartmanpravah

નવી દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય સ્‍તરના ઈન્‍સ્‍પાયર એવોર્ડ સ્‍પર્ધામાં દમણઃ કચીગામની સરકારી માધ્‍યમિક શાળાની વિદ્યાર્થીની કુ. નેહા સિંહે અભેદ્ય કોંક્રિટ સાયન્‍સ પ્રોજેક્‍ટની કરેલી રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બિલીયર્ડસ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

બીલીપત્રનું વૃક્ષ : પાનખર બાદ હવે નવપલ્લવિત થવા વસંતનો ઈંતેઝાર

vartmanpravah

Leave a Comment