July 27, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા વાંસદા આઈ હોસ્‍પિટલમાં 41 નિઃશુલ્‍ક મોતિયા બિંદ ઓપરેશન કરાયા

લાયન્‍સ પાસ્‍ટ પ્રેસિડેન્‍ટ સલોની મહેતા પંચાલે રૂા. 2 લાખનો ચેક ડોનેટ કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01
લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા અવિરત મોતિયાબિંદ નિઃશુલ્‍ક ઓપરેશન પ્રોજેક્‍ટ ઘણા લાંબા સમયથી કાર્યરત છે. ખાસ કરીને અંતરિયાળ આદિવાસી ધરમપુર-વાંસદા વિસ્‍તારમાં જરૂરીયાતમંદ લોકોના નિઃશુલ્‍ક મોતિયાબિંદ ઓપરેશન ક્‍લબ દ્વારા કરવામાં આવે છે તેવો વધુ એક કેમ્‍પ રવિવારે વાંસદા આઈ કેમ્‍પ વાંસદા આઈ હોસ્‍પિટલમાં લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા આયોજીત કરવામાં આવ્‍યો હતો. જેમાં 41 જરૂરીયાતમંદ આંખના દર્દીઓને નિઃશુલ્‍ક મોતિયાનું ઓપરેશન કરાયા હતા.
વાંસદા આઈ હોસ્‍પિટલમાં લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ એવરેજ એક, દોઢ મહિનામાં આઈ કેમ્‍પનું આયોજન ક્‍લબ દ્વારા કરવામાં આવે છે. ક્‍લબનો આ પ્રમુખ પ્રોજેક્‍ટ છે. પૂર્વ પ્રમુખ શૈલેષ મહેતા અને તેમના પત્‍ની સ્‍મિતા મહેતા અને ક્‍લબની ટીમ સક્રિયપણે આઈ કેમ્‍પ અવિરત ચલાવી રહે છે. રવિવારે વાંસદા આઈ હોસ્‍પિટલમાં યોજાયેલ આઈ કેમ્‍પમાં લાયન્‍સ પાસ્‍ટ પ્રેસિડેન્‍ટ સલોનીબેનમહેતા-પંચાલએ 2 લાખનો ચેક સમાજ સેવા માટે ડોનેટ કર્યો હતો. આ પ્રસંગે ઉમેશ સંઘવી, ઝંખના પંચાલ વિગેરે ઉપસ્‍થિત રહી સહયોગી બન્‍યા હતા.

Related posts

દીવના કેવડી મુકામે સરકારી કોલજમાં મોદી@20 પુસ્‍તકને લઈ સેમિનાર યોજાયો

vartmanpravah

પારડી પલસાણાના ચીટર અસિત ઉર્ફે ગુરુ વિરુદ્ધ લેખિતમાં છેતરપિંડીની રજૂઆત

vartmanpravah

ખડોલી સ્‍થિત શિવોમ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

vartmanpravah

વાપી સલવાવ શ્રી બાપા સિતારામ આશ્રમમાં નિઃશુલ્‍ક દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

વાપી ચલામાં મા જનમ ટ્રસ્‍ટ દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવના સહયોગથી ‘‘રાસ રસિયા” નવરાત્રી મહોત્‍સવ ઉજવાશે

vartmanpravah

Leave a Comment