October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં મતદાર કાર્ડને આધારકાર્ડ સાથે જોડવા સંદર્ભે યોજાયેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.01: ભારત સરકાર ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર મુખ્‍ય ચૂંટણી અધિકારી દાનહના માર્ગદર્શનમાં મતદાતાઓને આધારકાર્ડ ડેટા એકત્ર કરવા અને ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલ ચાર સંશોધિત ફોર્મ સંદર્ભે સચિવાલય સેલવાસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં ચાર સંશોધિત ફોર્મ અંગે ચર્ચા કરવામાં આવી  હતી.ફોર્મ -6 નવા મતદાતા બનાવવા માટે, ફોર્મ-6બી આધાર સાથે મતદાતા ઓળખપત્ર જોડવા માટે, ફોર્મ 7 નામ હટાવવા માટે, ફોર્મ 8 મતદાતા સુચીમાં સંશોધન પોતાના ચૂંટણીઓળખપત્રમાં ફેરફાર અને એક વિધાનસભા ક્ષેત્રમાંથી બીજા વિધાનસભા ક્ષેત્રમાં બદલી કરવા માટે જાણકારી આપવામાં આવી હતી.

હવે જે પણ યુવા નાગરિક 18 વર્ષની ઉંમર પૂર્ણ કરશે તેઓ પોતાનું નામ આગલા વિશેષ સંક્ષિપ્ત પુનઃ નિરીક્ષણ કાર્યક્રમ મતદાતા સૂચીમાં નોંધાવવા માટે વર્ષમાં ચાર દિવસ જેમાં 1 જાન્‍યુઆરી, 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1ઓક્‍ટોબર પ્રાપ્ત થશે. ઉપસ્‍થિત સભ્‍યોને આધાર ડેટા એકત્ર કરવા માટે શિબિરનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્‍યું છે. જે સંદર્ભે ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર વિવિધ શિબિરોનું આયોજન કરવામાં આવશે. એની સાથે ઘરે ઘરે જઈ આધાર ડેટા એકત્ર કરવા માટે બુથ લેવલ ઓફિસરોને ઓર્ડર 1 ઓગસ્‍ટથી 30 સપ્‍ટેમ્‍બર સુધી કરવામાં આવ્‍યો છે. આ અવસરે ચૂંટણી અધિકારી અને સેલવાસ આરડીસી સુશ્રી ચાર્મી પારેખ, જિલ્લા પંચાયત સીઈઓ ડો. અપૂર્વ શર્મા, જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભવર, પંચાયત સભ્‍યો, નગરપાલિકા સભ્‍યો સહિત રાજનીતિક દળોના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

ખેલ મહાકુંભ 2.0માં ભાગ લેવા માટે રજિસ્‍ટ્રેશન કરાવી લેવું

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા નરોલી ગામેથી 1.220 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

દમણમાં જિલ્લા પ્રશાસને બીચ, જાહેર સ્‍થળો પર તપાસ આદરી સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક, તમાકુ, દારૂનું સેવન અને વેચાણ કરનારાઓ પાસેથી વસૂલવામાં આવ્‍યો દંડ

vartmanpravah

પારડી મચ્‍છી માર્કેટ નજીક મહિલાના ગળામાંથી બે લાખનું મગળસૂત્ર આંચકી બેગઠીયા ફરાર, સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ

vartmanpravah

ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 18 કરોડના ખર્ચે તૈયાર થનાર વીજ કંપનીની સર્કલ કચેરીનું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment