December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં મતદાર કાર્ડને આધારકાર્ડ સાથે જોડવા સંદર્ભે યોજાયેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.01: ભારત સરકાર ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર મુખ્‍ય ચૂંટણી અધિકારી દાનહના માર્ગદર્શનમાં મતદાતાઓને આધારકાર્ડ ડેટા એકત્ર કરવા અને ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલ ચાર સંશોધિત ફોર્મ સંદર્ભે સચિવાલય સેલવાસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં ચાર સંશોધિત ફોર્મ અંગે ચર્ચા કરવામાં આવી  હતી.ફોર્મ -6 નવા મતદાતા બનાવવા માટે, ફોર્મ-6બી આધાર સાથે મતદાતા ઓળખપત્ર જોડવા માટે, ફોર્મ 7 નામ હટાવવા માટે, ફોર્મ 8 મતદાતા સુચીમાં સંશોધન પોતાના ચૂંટણીઓળખપત્રમાં ફેરફાર અને એક વિધાનસભા ક્ષેત્રમાંથી બીજા વિધાનસભા ક્ષેત્રમાં બદલી કરવા માટે જાણકારી આપવામાં આવી હતી.

હવે જે પણ યુવા નાગરિક 18 વર્ષની ઉંમર પૂર્ણ કરશે તેઓ પોતાનું નામ આગલા વિશેષ સંક્ષિપ્ત પુનઃ નિરીક્ષણ કાર્યક્રમ મતદાતા સૂચીમાં નોંધાવવા માટે વર્ષમાં ચાર દિવસ જેમાં 1 જાન્‍યુઆરી, 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1ઓક્‍ટોબર પ્રાપ્ત થશે. ઉપસ્‍થિત સભ્‍યોને આધાર ડેટા એકત્ર કરવા માટે શિબિરનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્‍યું છે. જે સંદર્ભે ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર વિવિધ શિબિરોનું આયોજન કરવામાં આવશે. એની સાથે ઘરે ઘરે જઈ આધાર ડેટા એકત્ર કરવા માટે બુથ લેવલ ઓફિસરોને ઓર્ડર 1 ઓગસ્‍ટથી 30 સપ્‍ટેમ્‍બર સુધી કરવામાં આવ્‍યો છે. આ અવસરે ચૂંટણી અધિકારી અને સેલવાસ આરડીસી સુશ્રી ચાર્મી પારેખ, જિલ્લા પંચાયત સીઈઓ ડો. અપૂર્વ શર્મા, જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભવર, પંચાયત સભ્‍યો, નગરપાલિકા સભ્‍યો સહિત રાજનીતિક દળોના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ તાલુકા કક્ષાનો કલા ઉત્‍સવ ઉજવાયો, 119 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

vartmanpravah

દેશની પ્રતિષ્‍ઠિત અને પ્રથમ દરજ્‍જાની ક્રિકેટ ટૂર્નામેન્‍ટ રણજી ટ્રોફીમાં ગુજરાતની ટીમમાં દમણના હેમાંગ પટેલની પસંદગી

vartmanpravah

સેલવાસ મામલતદાર દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોમાં કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

પારડીના પલસાણામાં વહેલી સવારે સોનાના ઘરેણા અને રોકડની લૂંટ

vartmanpravah

સરકાર દ્વારા સ્‍કૂલવર્ધીવાળા વાહનોને ફરજીયાત ટેક્‍સી પાસિંગના આદેશ વચ્‍ચે ચીખલી તાલુકાની બે સરકારી પ્રાથમિક શાળાઓમાં જ ટ્રાન્‍સપોર્ટેશનની સુવિધા શરૂ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓને પડી રહેલી હાલાકી

vartmanpravah

પવિત્ર શ્રાવણ મહિનામાં દાનહના વિવિધ શિવાલયોમાં ગુંજી રહેલો હર હર મહાદેવનોનાદઃ શિવભક્‍તો ભક્‍તિમાં તરબોળ

vartmanpravah

Leave a Comment