Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સમરોલીમાં લાકડાનો જથ્‍થો ભરેલ ટ્રેલર રોડની બાજુમાં ઉતરી ગયું

આજુબાજુમાં માનવવસ્‍તી હોવાથી સ્‍થાનિકોમાં ભારે રોષ જોવા મળ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.03
સમરોલીમાં કેસલી રોડ ઉપર દસ થી વધુ સો-મિલ હોવાથી રહેણાંક વિસ્‍તારમાંથી લાકડા ભરેલા ભારે વાહનોની અવાર જવરથી અવાર-નવાર સ્‍થાનિકોને મુશ્‍કેલી પડી રહી છે.
સમરોલીમાં કેસલી જતા માર્ગ સ્‍થિત ફુલદેવી માતા તળાવ આસપાસના વિસ્‍તારમાં દસથી વધુ લાકડાના ડેન્‍સાઓ ધમધમે છે. અને આ ડેન્‍સાઓમાં લાકડાનો જથ્‍થો વહન કરતા ટ્રેલર જેવા ભારે વાહન પહાડ ફળીયા વિસ્‍તારમાંથી પસાર થાય છે. વધુમાં પહાડ ફળીયા પાસે તીવ્ર વળાંક હોવાથી ટ્રેલર જેવા વધુ લંબાઈના વાહનોને વળાંક કાપવામાં મુશ્‍કેલી સર્જાતી હોય છે અને માર્ગની આજુબાજુમાં ઘરો હોવાથી આવા અકસ્‍માત સમયે લોકોના જીવ પડીકે બંધાતા હોય છે.
થોડા સમયે કન્‍ટેનર અથડાતા જીવંત વીજ લાઈન તૂટી પડી હતી. આ દરમ્‍યાન આજે જીજે-21-એયું-6231 નંબરનો લાકડાનો જથ્‍થો ભરેલ ટ્રેલર પહાડ ફળીયા પાસે રોડની બાજુમાં ઉતરી જઈને ફસાઈ જતા ચોમાસાની સિઝન હોવાથી પલ્‍ટી જવાની દહેશતે સ્‍થાનિકોમાં ભારે રોષ ફેલાઈ જવા પામ્‍યો હતો અને સ્‍થાનિક તાલુકા સભ્‍ય નીતાબેન, અગ્રણી ચેતનભાઈ સહિતનાઓએ જાણ કરતા પોલીસ પણ ધસી આવી હતી અને ક્રેઈનની મદદથી ટ્રેલરને બહાર કાઢવામાં આવ્‍યું હતું. સ્‍થાનિકો રહેણાંક વિસ્‍તારમાંથી આ પ્રકારના સો-મિલોમાં જતા ભારેવાહનોની માનવ વસ્‍તીમાંથી અવર-જવારનો વિરોધ કરી રહ્યા છે.
તાલુકા સભ્‍ય નિતાબેને જણાવ્‍યું હતું કે, સો-મિલના ભારે વાહનોને લઈને અમારા વિસ્‍તારમાં ઉગ્ર વિરોધ છે અને તેની અવર-જવર બંધ કરાવવા ઉચ્‍ચકક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવશે.

Related posts

એકવાર વેચેલી જમીન ફરી વેચાણ કરી છેતરપિંડી કરવા બાબતે એન.આર.આઈ. મહિલા સામે ડુંગરા પોલીસમાં લેખિતમાં એન.સી.

vartmanpravah

ગણદેવી તાલુકાના ખારેલ હાઈવે પર કાર ચાલકને બચાવવા જતા કેમિકલ ભરેલ કન્‍ટેઈનર પલ્‍ટી ગયું

vartmanpravah

સરૈયા ગામે એસઆરપીએફના અધિકારીના બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવી રૂા.45,000/ની મત્તાની ચોરી કરી પલાયન

vartmanpravah

દીવમાં જલારામ જયંતીની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર અથાલ નજીક ઈકો કારને નડેલો અકસ્‍માત

vartmanpravah

ભારતને સ્‍વતંત્રતા મળે તે માટે પ્રાણની બાજી લગાવી દેનાર ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ, સાવરકર, ચંદ્રશેખર આઝાદ, મદનલાલ ધીંગરા, ઉધમસિંહ જેવા ક્રાંતિવીરોનું રક્‍ત એમની નસોમાં વહેતું હતું

vartmanpravah

Leave a Comment