April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સમરોલીમાં લાકડાનો જથ્‍થો ભરેલ ટ્રેલર રોડની બાજુમાં ઉતરી ગયું

આજુબાજુમાં માનવવસ્‍તી હોવાથી સ્‍થાનિકોમાં ભારે રોષ જોવા મળ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.03
સમરોલીમાં કેસલી રોડ ઉપર દસ થી વધુ સો-મિલ હોવાથી રહેણાંક વિસ્‍તારમાંથી લાકડા ભરેલા ભારે વાહનોની અવાર જવરથી અવાર-નવાર સ્‍થાનિકોને મુશ્‍કેલી પડી રહી છે.
સમરોલીમાં કેસલી જતા માર્ગ સ્‍થિત ફુલદેવી માતા તળાવ આસપાસના વિસ્‍તારમાં દસથી વધુ લાકડાના ડેન્‍સાઓ ધમધમે છે. અને આ ડેન્‍સાઓમાં લાકડાનો જથ્‍થો વહન કરતા ટ્રેલર જેવા ભારે વાહન પહાડ ફળીયા વિસ્‍તારમાંથી પસાર થાય છે. વધુમાં પહાડ ફળીયા પાસે તીવ્ર વળાંક હોવાથી ટ્રેલર જેવા વધુ લંબાઈના વાહનોને વળાંક કાપવામાં મુશ્‍કેલી સર્જાતી હોય છે અને માર્ગની આજુબાજુમાં ઘરો હોવાથી આવા અકસ્‍માત સમયે લોકોના જીવ પડીકે બંધાતા હોય છે.
થોડા સમયે કન્‍ટેનર અથડાતા જીવંત વીજ લાઈન તૂટી પડી હતી. આ દરમ્‍યાન આજે જીજે-21-એયું-6231 નંબરનો લાકડાનો જથ્‍થો ભરેલ ટ્રેલર પહાડ ફળીયા પાસે રોડની બાજુમાં ઉતરી જઈને ફસાઈ જતા ચોમાસાની સિઝન હોવાથી પલ્‍ટી જવાની દહેશતે સ્‍થાનિકોમાં ભારે રોષ ફેલાઈ જવા પામ્‍યો હતો અને સ્‍થાનિક તાલુકા સભ્‍ય નીતાબેન, અગ્રણી ચેતનભાઈ સહિતનાઓએ જાણ કરતા પોલીસ પણ ધસી આવી હતી અને ક્રેઈનની મદદથી ટ્રેલરને બહાર કાઢવામાં આવ્‍યું હતું. સ્‍થાનિકો રહેણાંક વિસ્‍તારમાંથી આ પ્રકારના સો-મિલોમાં જતા ભારેવાહનોની માનવ વસ્‍તીમાંથી અવર-જવારનો વિરોધ કરી રહ્યા છે.
તાલુકા સભ્‍ય નિતાબેને જણાવ્‍યું હતું કે, સો-મિલના ભારે વાહનોને લઈને અમારા વિસ્‍તારમાં ઉગ્ર વિરોધ છે અને તેની અવર-જવર બંધ કરાવવા ઉચ્‍ચકક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવશે.

Related posts

મતદારયાદી સુધારણા કાર્યક્રમ: રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરાઇ: જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ ૧૭૮- ધરમપુર(અ. જ.જા.) અને ૧૭૯- વલસાડ મત વિસ્તારના ૫ મતદાન મથકોની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા

vartmanpravah

દમણઃ દુણેઠા ડમ્‍પિંગ સાઈટ પર કાર્યરત ડમ્‍પરની અડફેટમાં શ્રમિકનું બાળક આવતાં મોત

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ફૂટસલ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપીમાં ચોમાસાની તારાજીના દસ્‍તક : રેલ નાળામાં સ્‍કૂલ બસ ફસાતા બાળકોને રેસ્‍ક્‍યુ કરી બહાર કઢાયા

vartmanpravah

રખોલીની યુવતીએ ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે વાપીમાં માહ્યાવંશી સમાજના યુવાનો માટે આઈ.એ.એસ., આઈ.પી.એસ. પરીક્ષાના માર્ગદર્શન માટે યોજાઈ શિબિર

vartmanpravah

Leave a Comment