Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારીના નાગધરા ગામે ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયા છંટકાવ કરવામાં આવ્યો

આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં ગુજરાતનું મહત્વનું પગલું:  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી,તા.05: “કૃષિ ક્ષેત્રમાં અધ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ” ગુજરાતના ગાંધીનગર જિલ્લાના ઇસનપુર મોટા ગામથી મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આજે શુભારંભ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ઓછા સમયમાં ઓછા ખર્ચે ખેતીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી ખેડૂતોની આવકમાં વધારો કરી સમય અને શ્રમનો ઘટાડો કરવાના નવતર અભિગમના ભાગરૂપે નવસારીના નાગધરા ગામે આજરોજ કૃષિ ક્ષેત્રે જંતુનાશક દવાઓ અને નવીન સંશોધિત નેનો યુરિયાના છંટકાવમાં સરળતા રહે તેવા શુભ આશયથી ડ્રોન ટેક્નોલોજી દ્વારા ઈફ્કો નેનો યુરિયા છંટકાવ કરવામાં આવ્યો હતો. હવે માત્ર ૨૦ મિનીટમાં ૧ હેક્ટર જેટલા વિસ્તારમાં માત્ર ૨૫ લીટર પાણી દ્વારા દવાનો છંટકાવ શક્ય બનશે. જેથી ખેડૂતોનો ખર્ચ અને સમય પણ બચશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ, કૃષિ ખાતાના અધિકારીઓ તથા અન્ય મહાનુભાવો અને ખેડૂતો હાજર રહ્યા હતા.

Related posts

ઈ.સ. 1670માં જવ્‍હારના રાજાએ રામનગરના રાણાનો પરાજય કરીને દમણ પ્રદેશમાં ચોથ ઉઘરાવવાનો પોતાનો હક પ્રસ્‍થાપિત કર્યો

vartmanpravah

કટ આઉટ, કમાન, પોસ્‍ટરો, બેનર્સ સહિતની પ્રચાર સામગ્રીના ઉપયોગ અંગે માર્ગદર્શક સૂચનાઓ જારી

vartmanpravah

વલસાડમાં મહિલાઓ માટે બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

દાદરા ખાતે રાજસ્‍થાન સેવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

વડોદરા મુંબઈ એક્‍સપ્રેસ વેમાં સંપાદિત આલીપોર ગામની ટ્રસ્‍ટની જમીનના વળતરની રકમ ચાઉં કરી જવાના પ્રકરણમાં પોલીસે તત્‍કાલીન નવસારીના નાયબ કલેકટર તુષાર જાની કર્મચારી વલી સુરતના પિતા-પુત્ર વકીલ સહિત પાંચ જેટલા સામે છેતરપિંડીનો ગુનોનોંધી હાથ ધરેલી તપાસ

vartmanpravah

પ્રાથમિક મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસમાં ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધા યોજાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 પ્રાથમિક શિક્ષણ વિભાગ દાનહની પાલિકા સંચાલિત મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસ ખાતે ધોરણ1થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધાનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓના અંગ્રેજીના શબ્‍દોની ચકાસણી કરવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં ધોરણ 1થી 5મા અરૂંધતી રોય ગ્રુપ અને ધોરણ 6થી 8વિલ્‍યમ શેક્‍સપિયર ગ્રુપે પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું હતુ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે હિન્‍દી મીડીયમ શાળાના આચાર્ય બ્રજભૂષણ ઝા અને ગુજરાતી મીડીયમના આચાર્ય કળષ્‍ણાબેન માત્રોજા ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

Leave a Comment