September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ રવિવારી બજારમાં ગણપતિ ફાળા માટે મારામારી થઈઃ 50ની રસીદ સામે 100 ઉઘરાવાતા હતા

ગણપતિ મહોત્‍સવ નજીકમાં આવી રહ્યો છે : ફાળા ઉઘરાણીનું નેટવર્ક બેફામ ચલાવાઈ રહ્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડમાં રવિવારી બજારમાં ગણપતિ ફાળો ઉઘરાવવા મામલે મારામારી થઈ હતી. ફાળો નહીં આપનાર ફેરીવાળાને ફાળો ઉઘરાવવા આવેલ અજાણ્‍યા ઈસમોએ ઢોર માર મારતા બજારમાં મામલો બીચકાયો હતો.
વલસાડ સ્‍ટેડિયમ રોડ ઉપર રવિવારી બજાર છે. ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો આ બજારમાં મોટા પ્રમાણમાં ખરીદી કરવા આવતા હોય છે તેથી ફેરી અને પથારાવાળા નાના મોટા વેપારીઓ વેપાર કરે છે. આ રવિવારી બજારમાં ગતરોજ કોઈ અજાણી ટોળકી વાઉચર-રસીદો લઈ ગણપતિ મહોત્‍સવના ફાળાની ઉઘરાણી શરૂ કરી હતી. ટોળકીના ઈસમો 100 રૂા. ઉઘરાવી 50 રૂા.ની રસીદ આપતા હતા, જેમને વકરો-વેપાર થયો હતો તેઓ ફાળો આપી રહ્યા હતા પરંતુ બોણી ના થઈ હોય તેવા ફેરીવાળાએ ફાળા નહી આપતા અજાણ્‍યા ફાળો ઉઘરાવવા આવેલ ટોળકી પેલા વેપારીને જાહેરમાં ઢોર માર મારી ધોઈ નાખ્‍યો હતો. ઘટના બાદ ગણપતિનો ફાળો ઉઘરાવનારા પલાયન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા સીટી પોલીસ દોડી આવી હતી. ફાળો ઉઘરાવતા ઈસમોની શોધખોળ હાથ ધરી હતી.ગણપતિ મહોત્‍સવને બહાને અસામાજીક તત્ત્વો ફાળાની ઉઘરાણી કરવા બિલાડીના ટોપની જેમ દર વર્ષે નિકળતા હોય છે.

Related posts

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનું ગૌરવ

vartmanpravah

ભારત સરકારના ગૃહ સચિવ ગોવિંદ મોહને દમણની મુલાકાત લઈ વિવિધ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વલસાડ તાલુકાના આંગણવાડી કેન્‍દ્રોમાં કુપોષિત બાળકોને ખજૂર, ફળ અને ચિક્કીનું વિતરણ કરાયું

vartmanpravah

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજનાં વિદ્યાર્થીઓ માટે કચીગામ-દમણ ખાતે આવેલી મેડલે ફાર્માસ્‍યુટિકલ્‍સ લિમિટેડ ખાતે ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

15મી નવેમ્‍બરથી સેલવાસના આમલી ગાયત્રી મંદિર ખાતે શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન

vartmanpravah

વાપી નોટિફાઈડ બોર્ડની મિટિંગ યોજાઈ : સન 2024-25 માં હાઉસિંગ અને ઈન્‍ડસ્‍ટ્રીઝ માટે પામી દર 10 ટકા ઘટાડો થશે

vartmanpravah

Leave a Comment