October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપીસેલવાસ

કાગળની થપ્‍પી બનાવી છેતરપીંડી કરનાર ગેંગના બે આરોપીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.08: દાદરા નગર હવેલીના સેલવાસ અને આજુબાજુના વિસ્‍તારમાં બેંકની બહાર ઉભા રહી કેટલાક ગ્રાહકોના પૈસા લઈ કાગળની થપ્‍પીઓ પકડાવનાર બે આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી અશોક છગન હરજન, રહેવાસી પાદરીપાડા-મસાટ જેઓ બેંક ઓફ બરોડા, ટોકરખાડા એટીએમમાંથી પૈસાઉપાડવા આવ્‍યા હતા, તેઓએ એટીએમમાંથી 28હજાર રૂપિયા ઉપાડયા હતા. બાદમાં ઘર તરફ જવા નીકળ્‍યા હતા ત્‍યાં તેઓને એક અજાણ્‍યો વ્‍યક્‍તિ મળ્‍યો જેણે જણાવ્‍યું કે હું ઉત્તર-દેશનો રહેવાસી છે અને મારે મારા માતા-પિતાને એક લાખ રૂપિયા મોકલવાના છે એ જ સમયે એક બીજો વ્‍યક્‍તિ આવ્‍યો અને જણાવ્‍યું હતું કે એક લાખ રૂપિયા એક સાથે બેંકમાંથી મોકલાવી શકાય એમ નથી. જેથી આપ સહકાર આપો તો અડધા પૈસા આપના ખાતામાંથી મોકલાવી દઈએ જે પૈસા આપને હું આપી દઈશ. આ વાતમાં આવી ફરિયાદી પણ તૈયાર થઈ ગયો તો બીજા વ્‍યક્‍તિએ પહેલા વ્‍યક્‍તિને રૂમાલમાં ઢાંકેલ નોટનું બંડલ લીધું અને અશોકને આપ્‍યું હતું. અશોકે પણ એના ખાતામાંથી ઉપાડેલ 28હજાર રૂપિયા અને એનો મોબાઈલ લઈ બન્ને યુવાનો ભાગી ગયા હતા. જે અંગેની ફરિયાદ નોંધી આઇપીસી 420, 34 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ગત 5મી ઓગસ્‍ટના રોજ એક વ્‍યક્‍તિ પ્રશાંત રાજેશ મિશ્રા (ઉ.વ.24) રહેવાસી બોઇસર- મહારાષ્‍ટ્ર અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ જેની ધરપકડ કરવામાં  આવી હતી. બાદમાં એણે ગુનો કબુલ કરતા બીજો આરોપી વિષ્‍ણુ પ્રભાકર ગુપ્તા (ઉ.વ.28) રહેવાસી બોઇસર, મહારાષ્‍ટ્ર જેને પણ 7મી ઓગસ્‍ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી.આ અંગેની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

દાનહ પોલીસ દ્વારા પણ લોકોને અનુરોધ કરવામાં આવ્‍યો છે કે તેઓ સાથે આવી કોઈ ઘટના બને તો તાત્‍કાલિક પોલીસને જાણ કરે.

Related posts

કચીગામ પંચાયત વિસ્‍તારનું એક પણ ઘર નળના કનેક્‍શનથી વંચિત નહી રહી જાય તેની તકેદારી લઈ રહેલા સરપંચ અને જિ.પં. સભ્‍ય

vartmanpravah

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં રીવેરા-22-23 થીમ ઉપર ઈન્‍ટર સ્‍કૂલ-કોલેજ પ્રતિભા કોમ્‍પિટિશન યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના કૂકેરી ગામે ઘરની દીવાલ ધસી પડતાં શ્રમજીવી પરિવારના દંપતિનું મોત

vartmanpravah

યુઆઈએના પ્રમુખ નરેશ બંથીયાએ કુદરતી વહેણ અવરોધતા પાણી ભરાવાની સર્જાતી સમસ્‍યા તરફ સંબધિત વિભાગો અને જનપ્રતિનિધિઓનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

નર્સિગ કોલેજ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment