Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડમાં 28મા આંતરરાષ્‍ટ્રિય આદિવાસી દિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

વિવિધ સમાજના પ્રમુખો-અગ્રણીઓ ન.પા.પ્રમુખ, જી.પં. અને તા.પં.ના સભ્‍યો-સરપંચો ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09
આજે વલસાડ જિલ્લભરમાં 28મા આંતરરાષ્‍ટ્રિય આદિવાસી દિવસની કરવામાં આવી હતી. તે અનુસંધાનમાં વલસાડ શહેરમાં કલ્‍યાણ બાગ પાસે આદિવાસી દિનની ઉજવણી મોટી સંખ્‍યામાં પધારેલા લોકો અને સમાજના અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં કરવામાં આવી હતી.
વલસાડ વિસ્‍તારના સમસ્‍ત આદિવાસી સમાજ દ્વારા આજે મંગળવારે વલસાડ શહેરમાં આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. ધોડીયા સમાજ હોલથી લઈ કલ્‍યાણ બાગ સુધી રેલી નીકળી હતી. રેલી કલ્‍યાણબાગે સમાપ્ત થઈ હતી. અહી બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા. સમાજના અગ્રણીઓ દ્વારા પોલીસ અધિકારીઓનું સન્‍માન પણ કાર્યક્રમમાં કરાયું હતું. વલસાડ ન.પા. પ્રમુખ, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના સભ્‍યો, વિવિધ ગામોના સરપંચ સહિતના અગ્રણીઓ સાથે મોટી સંખ્‍યામાં આદિવાસી સમાજના લોકો ઉજવણીમાં સ્‍વયંભુ ઉપસ્‍થિત રહ્યા હતા. ઉજવણી કાર્યક્રમમાં અગ્રણીઓએ સમાજની એકતા અને વિકાસ માટે તેમના પ્રવચનોમાં આવહાન કર્યું હતું.
—–

Related posts

વાપીથી એરગન રાખનાર ઈસમને એલસીબીની ટીમે ઝડપી પાડયો

vartmanpravah

‘હુ ઇસ હુસેન’ નામની લંડનની સંસ્‍થા દ્વારા આખા વિશ્વમાં રક્‍તદાન શિબિરો યોજાઈ

vartmanpravah

ધરમપુર બેઠક ઉપર ચતુષ્કોણીય જંગઃ અપક્ષ ઉમેદવાર તરીકે આજે તા.પં. સભ્ય કલ્પેશ પટેલ ઉમેદવારી નોંધાવશે

vartmanpravah

ઓનલાઈન જુગારમાં રૂપિયા હારી ગયો હોવાની કબૂલાત કરતો અવધ ઉટોપિયાનો સંકેત મહેતા

vartmanpravah

વાપી કન્‍યા મંદિર શાળાના નવા ભવનનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ઉદ્ધાટન

vartmanpravah

કાર અંકલેશ્વરમાં પાર્ક અને માલિક ઉપર બગવાડા ટોલનાકાથી ટોલ કપાયાનો મેમો મળ્‍યો

vartmanpravah

Leave a Comment