June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ કાંઠાના ચાર ગામોમાં પૂનમની ભરતીએ તબાહી સર્જી : ઘરો બે થી ત્રણ ફૂટ પાણીમાં તરતા થયા

250 ઉપરાંત મકાનો પાણીમાં ગરકાવ થયા : આર.એસ.એસ.ના કાર્યકરોએ હજાર ઉપરાંત લોકો માટે જમવાની વ્‍યવસ્‍થા કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12
વલસાડ કાંઠા વિસ્‍તારના ચાર થી પાંચ ગામો દરીયાઈ ભરતીથી ઘણા સમયથી ત્રસ્‍ત છે અને વારંવાર પાયમલીનો ભોગ બની રહ્યો છે. ગતરોજ પૂનમની મોટી ધોધમાર ભરતી આવી હતી. જેમાં રીતસરદરીયાના પાણી દાંતી, મોટી દાંતી, ભાગળ અને દાંડી જેવા ગામોમાં ઘૂસી ગયા હતા. અઢીસો ઉપરાંત મકાનો દરીયાના પાણીમાં રીતસર તરતા હોય તેવી આફત ગ્રામજનોના માથે કુદરતી આફત કયામત બની ત્રાટકતા ઠેર ઠેર તબાહી જ તબાહી જોવા મળી હતી.
વલસાડ કાંઠા વિસ્‍તારમાં વસતા ગામોના લોકો ઘણા સમયથી દરીયાઈ ભરતીનો ભોગ બની રહ્યા છે. અનેકવાર આંદોલનો, વારંવાર લેખિત મૌખિક કલેક્‍ટરમાં રજૂઆતો ગ્રામજનો સરકાર સમક્ષ પસ્‍તાળ પાડતા રહ્યા છે પરંતુ આ કુદરતી આફતનો માર ઝીલતા રહ્યા છે. ભરતી સમયે કાંઠાના દાંતી, મોટી દાંતી, ભાગળ અને દાંડી જેવા ગામોમાં પાણી ગામમાં અને લોકોના ઘરોમાં ઘૂસી જાય છે. ગઈકાલે રક્ષાબંધન પૂનમના દિવસે આવેલી મોટી ભરતીમાં ચારેય ગામોમાં તબાહી સર્જાઈ હતી. લોકોના ઘર, સામાન, રાચ-રચીલું ઘરોમાં ભરાયેલા બે-ત્રણ ફૂટ પાણીમાં તરતો હતો. ખાવા પિવા અને રહેવાની આફતો સર્જાઈ હતી. તેથી વલસાડના આર.એસ.એસ.ના કાર્યકરો કાંઠા વિસ્‍તારમાં ધસી ગયા હતા. તેમજ સેવા અને રાહત કામગીરી તાબડતોબ શરૂ કરી એક હજાર ઉપરાંત લોકોની રસોઈ અને જમવાની વ્‍યવસ્‍થા કરી હતી. ચાર ગ્રામજનોનો હજારો વખત સરકાર સામે કરેલો કકળાટ વ્‍યર્થ છે. પેટનું પાણી કોઈનું હાલતું નથી. ચાર ગામો માટે પ્રોટેકશન વોલ જેવીપાયાની સુવિધા ઉભી કરવામાં તંત્ર સદંતર નિષ્‍ફળ રહ્યું છે. પરિણામે ચાર ગામના લોકો વારંવાર દરિયાઈ ભરતીના ભોગ બની તબાહીનો શિકાર બની રહ્યા છે.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ભારતની આઝાદીના અમૃત મહોત્‍સવના વર્ષ દરમિયાન દેશના સર્વોચ્‍ચ પદ ઉપરઆદિવાસી રાષ્‍ટ્રપતિની પસંદગી કરવા બદલ પ્રધાનમંત્રી અને એનડીએનો માનેલો આભાર

vartmanpravah

માનવતાનું ઉમદા ઉદાહરણ : ધરમપુર આઈસીડીએસ કચેરીની ટીમ દર્દીઓના આધારકાર્ડ અપડેટ કરાવવા હોસ્‍પિટલ પહોંચી

vartmanpravah

ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલની અધ્‍યક્ષતામાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની મળેલી બેઠકમાં 50-50ના સિદ્ધાંત સાથે ઔદ્યોગિક વિસ્‍તારના રસ્‍તાઓનું નવીનિકરણ કરવા હાકલ

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો વલસાડ જિલ્લાનો બે દિવસીય પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

ચીખલીના કલીયારીમાં મધરાત્રે શિરડીથી અમદાવાદ જતી લક્‍ઝબરી બસ અને આઈસર ટેમ્‍પો સામસામે ભટકાતા બંને ચાલકના મોત

vartmanpravah

કેન્‍દ્રીય મત્‍સ્‍યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા ગુજરાત રાજ્‍યના દરિયાકાંઠે સાગર પરિક્રમા યાત્રાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment