April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ધ્‍વજને આડા-અવળા ના ફેંકતા નોટીફાઈડ વાપી કલેકશન સેન્‍ટરને પહોંચાડવાની જાહેર અપીલ

સરદાર ચોક, અંબામાતા મંદિર અને ચણોદ કોલોનીમાં તિરંગા સ્‍વીકૃતિ સેન્‍ટર કાર્યવિંત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
આઝાદીના અમૃત મહોત્‍સવ અને હર ઘર તિરંગા અભિયાનને વાપી વિસ્‍તારમાં જબરજસ્‍થ સફળતા મળી છે. રોડ, રસ્‍તા, સોસાયટી, મોલ, દુકાનો, મકાનો અને વાહનો ઉપર તિરંગાને પ્રસ્‍થાપિત કરીને માનવ મહેરામણે હર ઘર તિરંગાની વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની અપીલને ઝીલીને સર્વત્ર તિરંગાઓ લહેરાવી સફળ અને સાર્થક બનાવી દીધી છે.
તા.13, 14, 15 ઓગસ્‍ટ ત્રણ દિવસ હર ઘર તિરંગા અભિયાન પૂર્ણ થઈ ગયું છે. ત્‍યારેહજારોની સંખ્‍યામાં ફરકાવાયેલ તિરંગાને જ્‍યાં ત્‍યાં ફેકી કે આડા અવળા નિકાલ કરશો તો રાષ્‍ટ્રધ્‍વજનું અપમાન થશે. દેશનું અપમાન થશે. દેશ વિરોધી તત્ત્વો તેવા તિરંગાના વિડીયો કે ફોટા બનાવી વાયરલ કરશે અને એ આ દેશમાં શક્‍ય પણ છે. તેથી વાપી નોટિફાઈડ દ્વારા તિરંગા એકત્રિત કરવા વિવિધ ત્રણ સ્‍થળે કલેકશન સેન્‍ટર સ્‍વિકૃતિ સેન્‍ટર કાર્યકર કર્યા છે. જીઆઈડીસી સરદાર ચોક, અંબામાતા મંદિર અને ચણોદ કોલોનીમાં તૈયાર કરાયેલ તિરંગા સ્‍વિકૃતિ સેન્‍ટરોમાં ઝંડા-તિરંગા પહોંચાડવાની જાહેર અપીલ કરવામાં આવી છે. રાષ્‍ટ્રધ્‍વજ ક્‍યાંય પડેલો દેખાય તો સાચવીને ઘરે રાખજો અથવા તેનો યોગ્‍ય નિકાલ કરશો એજ સાચી દેશ સેવા અને નાગરિક ફરજને અદા કરશો.

Related posts

દાદરા નગર હવેલીમાં બુધવારે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર રેલવે પાટા ક્રોસ કરતા લોકોને જાગૃત કરવા માટે યમદૂતનો નુક્કડ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધરમપુરના ખારવેલ ગામે આયોજિત રક્‍તદાન કેમ્‍પમાં 118 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

ઈડલીના ખીરા જેવું કારકિર્દીનું ઘડતર કરવા મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના સંચાલક વ્રજ પટેલની વિદ્યાર્થીઓને સલાહ

vartmanpravah

લોકસભાની દાદરા નગર હવેલી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનો ઐતિહાસિક વિજય

vartmanpravah

નવસારી જિલ્લા ટુરિસ્‍ટ વ્‍હિકલ ઓનર વેલફેર એસોસિએશનની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment