Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ધ્‍વજને આડા-અવળા ના ફેંકતા નોટીફાઈડ વાપી કલેકશન સેન્‍ટરને પહોંચાડવાની જાહેર અપીલ

સરદાર ચોક, અંબામાતા મંદિર અને ચણોદ કોલોનીમાં તિરંગા સ્‍વીકૃતિ સેન્‍ટર કાર્યવિંત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
આઝાદીના અમૃત મહોત્‍સવ અને હર ઘર તિરંગા અભિયાનને વાપી વિસ્‍તારમાં જબરજસ્‍થ સફળતા મળી છે. રોડ, રસ્‍તા, સોસાયટી, મોલ, દુકાનો, મકાનો અને વાહનો ઉપર તિરંગાને પ્રસ્‍થાપિત કરીને માનવ મહેરામણે હર ઘર તિરંગાની વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની અપીલને ઝીલીને સર્વત્ર તિરંગાઓ લહેરાવી સફળ અને સાર્થક બનાવી દીધી છે.
તા.13, 14, 15 ઓગસ્‍ટ ત્રણ દિવસ હર ઘર તિરંગા અભિયાન પૂર્ણ થઈ ગયું છે. ત્‍યારેહજારોની સંખ્‍યામાં ફરકાવાયેલ તિરંગાને જ્‍યાં ત્‍યાં ફેકી કે આડા અવળા નિકાલ કરશો તો રાષ્‍ટ્રધ્‍વજનું અપમાન થશે. દેશનું અપમાન થશે. દેશ વિરોધી તત્ત્વો તેવા તિરંગાના વિડીયો કે ફોટા બનાવી વાયરલ કરશે અને એ આ દેશમાં શક્‍ય પણ છે. તેથી વાપી નોટિફાઈડ દ્વારા તિરંગા એકત્રિત કરવા વિવિધ ત્રણ સ્‍થળે કલેકશન સેન્‍ટર સ્‍વિકૃતિ સેન્‍ટર કાર્યકર કર્યા છે. જીઆઈડીસી સરદાર ચોક, અંબામાતા મંદિર અને ચણોદ કોલોનીમાં તૈયાર કરાયેલ તિરંગા સ્‍વિકૃતિ સેન્‍ટરોમાં ઝંડા-તિરંગા પહોંચાડવાની જાહેર અપીલ કરવામાં આવી છે. રાષ્‍ટ્રધ્‍વજ ક્‍યાંય પડેલો દેખાય તો સાચવીને ઘરે રાખજો અથવા તેનો યોગ્‍ય નિકાલ કરશો એજ સાચી દેશ સેવા અને નાગરિક ફરજને અદા કરશો.

Related posts

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Admin

સેલવાસની એસ.એસ.આર.કોલેજના પ્રા.મોહમ્‍મદ બિલાલ અબુબકર ભડાને એનાયત થયેલી પી.એચ.ડી.ની ડીગ્રી

vartmanpravah

ભીલાડ-સરીગામમાં રામ ભગવાનની વિરાટ શોભયાત્રાએ જમાવેલું ભારે આકર્ષણ

vartmanpravah

વાપી હાઈવે પેપીલોન હોટલ સામે જી.ઈ.બી.ની ડીપીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

રખોલીથી અસ્‍થિર મગજનો યુવાન ગુમ

vartmanpravah

75મા પ્રજાસત્તાક દિવસ અને સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવના પાંચમા વિલીનીકરણ દિવસ નિમિત્તે સંઘપ્રદેશના સર્વાંગી વિકાસનો સૂર્યોદયઃ નવી આશા-આકાંક્ષાનો જયઘોષ

vartmanpravah

Leave a Comment