Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

પારસીઓના કાશી ગણાતા ઉદવાડામાં પારસી સમુદાય દ્વારા નૂતન વર્ષ પતેતીની ઉજવણી કરી

આઝાદીના 75 વર્ષ સાચા પરંતુ અમને આઝાદી 1392 વર્ષ પહેલાં મળી છે, હિન્‍દુસ્‍તાને અમને સમાવી લીધા : બહેરામજી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
વલસાડ જિલ્લાનું ઉદવાડા એટલે પારસીઓનું કાશી ગણાય છે. મુખ્‍ય ઈરામશાહ આતશ બહેરામનું પારસીઓનું મોટું ધર્મસ્‍થાન ઉદવાડામાં આવેલું છે. આજે મંગળવારે ઉદવાડા આતશ બહેરામમાં પારસી નવા વર્ષની પારસી સમુદાય દ્વારાઉજવણી કરવામાં આવી હતી. જો કે પારસીઓ ઈરાનથી પ્રથમવાર સંજાણ બંદરે ઉતર્યા હતા. પરંતુ ઉદવાડામાં તેઓ દ્વારા પ્રથમ ધર્મસ્‍થળ સ્‍થાપિત કર્યું હતું.
ઉદવાડા ઈરાનશાહ આતશ બહેરામના બહેરામજીએ આજે નૂતન વર્ષની તમામ પારસી ભાઈ-બહેનોને સાલમુબારક, અભિનંદન પાઠવીને ખાસ સંદેશ પણ આપ્‍યો હતો. આપણો દેશ આઝાદીના ગતરોજ 15 ઓગસ્‍ટે 75 વર્ષ પુરા કર્યા તે સાચી વાત છે પણ અમને આઝાદી 1392 વર્ષ પહેલાં મળી હતી. અમે ઈરાન છોડી હિન્‍દુસ્‍તાન આવીને વસ્‍યા. હિન્‍દુસ્‍તાને અમને સમાવી લેતા આઝાદી 1392 વર્ષ પહેલાં મળી ગઈ છે. આ પ્રસંગે તેઓએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને ખાસ યાદ કર્યા હતા. તેઓ ગુજરાતના સી.એમ. હતા ત્‍યારે ઉદવાડાને ઘણું બધુ આપ્‍યું છે.

Related posts

દિલ્‍હીમાં યોજાયેલ ભાજપના રાષ્‍ટ્રીય અધિવેશનમાં વલસાડ જિલ્લા ભાજપ પદાધિકારીઓએ ભાગ લીધો

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં, યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગના સચિવ પૂજા જૈનના માર્ગદર્શન અને યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગના નિર્દેશક અરૂણ ગુપ્તાના સહયોગથી દમણમાં 73મા પ્રજાસત્તાક દિવસ/3જા વિલીનીકરણ દિવસની ઉજવણી નિમિત્તે તા. 16થી ર0 ફેબ્રુ. સુધી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ (ટીર0)નું આયોજન

vartmanpravah

ડીએનએચ સિવિલ સોસાયટીના સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત

vartmanpravah

દાદરાની અમૂલ્‍યા એન્‍જિનિયર્સ કંપનીમાં કામ કરતા ઈસમને કંપનીના કામ અર્થે ભરૂચ કેમિકલ કંપનીમાં કા કરી પરત ફરતા થયું સ્‍કીન ઈન્‍ફેકશન

vartmanpravah

વાપી ગુંજનમાં નોટિફાઈડ દ્વારા ટ્રાફિક નડતરરૂપ દબાણો હટાવવા ડિમોલીશન કાર્યવાહી

vartmanpravah

પારડી પીઆઈ બી.જે. સરવૈયાનો સપાટો: પરીયામાં જુગાર રમતા 11 જેટલા મોભીઓને ઝડપી કર્યા જેલના હવાલે

vartmanpravah

Leave a Comment