Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ખેરગામમાં 76 માં સ્‍વાતંત્ર દિવસની અનોખી ઉજવણી : 75 વડીલોની વંદના કરી : વર્ષગાંઠ નિમિત્તે અમૃત સરોવરની પાળે વૃક્ષારોપણના શપથ લેવડાવાયાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17
સમગ્ર દુનિયા ભારતના અમૃત મહોત્‍સવમાં તિરંગા યાત્રાએ તો ઐતિહાસિક વિક્રમ કર્યો, 1947નો ઉન્‍માદ ઠેર ઠેર ફરી વળ્‍યો. દરેક ભારતીયોમાં રાષ્‍ટ્રભાવના ચરમસીમાએ પહોંચી, જેનું એકમાત્ર શ્રેય ગુજરાતના લોક લાડીલા અખંડ ભારત સ્‍વપ્નદ્રષ્ટા ન.મો.-ભાવિ વિશ્વનેતા વડાપ્રધાનને જાય છે.
ખેરગામ તાલુકા મથકે પણ તેરમીથી ત્રણ દિવસ-હર ઘર તિરંગા-અભિયાનમાં નગરજનો જોડાયા હતા. 76મા સ્‍વાતંત્ર દિવસની ઉજવણી ખેરગામ પત્રકાર સંઘના પ્રમુખ વિનોદકુમાર મિષાીએ જનતા માધ્‍યમિક શાળાના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ(1956-65) અને 75 વર્ષની વય કરતા વધુ ઉમ્‍મરવાળા જીવિત વડીલોની ખાસ વંદનાનુ આયોજન કરી 27 અંગ્રેજી ગુલામીની હવામાં જન્‍મેલા અને સ્‍વતંત્ર ભારતમાં આઝાદીની હવામાં સુવર્ણ જીવનકાળ વિતાવનારા વડિલોની વય વંદના સન્‍માનનુ-વિશેષ આયોજન કર્યું હતું.

 

Related posts

સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે દીપેન.એચ.શાહે હવાલો સંભાળ્‍યો

vartmanpravah

પંજાબમાં બનેલ ઘટનાનો પારડી ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

દીવ શ્રેયાંગી ક્રિકેટ ક્‍લબ દ્વારા વણાંકબારા બસ સ્‍ટેશન ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહ મરાઠી સેવા સંઘ દ્વારા સમાજના અગ્રણીઓ અને તેજસ્‍વી વિદ્યાર્થીઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

નરોલીમાં પ્રિ-મોન્‍સૂન કામગીરી પૂર્ણ થતાં લોકોને રાહતની આશા

vartmanpravah

દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને વધાવવા થનગની રહેલું દીવ

vartmanpravah

Leave a Comment