Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડમાં મધ દરિયે ફસાયેલ બોટના માછીમારોના દમણ કોસ્‍ટ ગાર્ડે દિલધડક રેસ્‍ક્‍યુ ઓપરેશનથી જીવ બચાવ્‍યા

નવસારીની બોટ માછીમારી કરવા મુંબઈ જતી હતી ત્‍યાં રાત્રે મશીન ખોટકાતા કટોકટી સર્જાઈ હતી : 14 માછીમારો ઉગારાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17
માછીમારી કરવા નવસારીની બોટ મુંબઈ તરફ જઈ રહી હતી ત્‍યારે વલસાડથી 13 નોટિકલ માઈલ દરિયામાં બોટનું એન્‍જિન બંધ પડી જતા માલિક સહિત 17 જેટલા માછીમારો મધરાત્રે દરિયામાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ સુરત કરવામાં આવતા સુરતથી દમણ કોસ્‍ટ ગાર્ડને જાણ કરાઈ હતી. કોસ્‍ટાગાર્ડે દિલધડક રેસક્‍યુ ઓપરેશન તાબડતોબ હાથ ધરીને ફસાયેલા માછીમારોને ઉગારી લેવાયા હતા.
માછીમારીનો વ્‍યવસાય જોખમી છે. દરિયામાં ક્‍યારે કેવી પરિસ્‍થિતિ સર્જાય તેનો તાગ મેળવવો અશક્‍ય છે. કંઈક તેવી ઘટના મંગળવારે રાત્રે વલસાડ નજીક દરિયામાં ઘટી હતી. નવસારીથી માછીમારી કરવા કૃષ્‍ણાપુર ગામથી બોટ દરિયામાં નિકળી હતી. વલસાડથી 13 નોટિકલ માઈલ દૂર દરિયામાં બોટનું એન્‍જિન ખોરવાઈ ગયું હતું. રાત પડી ચુકી હતી. અંધારામાં બોટમાં સવાર માલિક સાથે 17 જેટલા માછીમારો સાથે આભ તૂટી પડયુ હતું. ઘટનાની જાણ દમણ કોસ્‍ટ ગાર્ડને કરવામાં આવતા કોસ્‍ટ ગાર્ડની ટીમેવલસાડ દરિયામાં આવી રેસ્‍ક્‍યુ ઓપરેશન શરૂ કરી દીધુ હતું. બોટમાં સવાર માલિક અને અન્‍ય બે સિવાયના 14 જેટલા માછીમારોને સલામત રીતે બહાર કાઢી દમણમાં લવાયા હતા.

Related posts

સંત નિરંકારી સત્‍સંગ મંડળે ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન: સેલવાસના વિવિધ સ્‍થળોએ કરેલી સાફ-સફાઈ

vartmanpravah

સોમનાથ ખાતે રામરથ યાત્રાનું હોંશ અને જુસ્‍સા સાથે કરાયેલું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા 500 વિદ્યાર્થીનીઓને સેલ્‍ફ ડિફેન્‍સ તાલીમ અપાઈ

vartmanpravah

ખોડલધામના આંગણે રૂડો અવસર: 30 સપ્‍ટેમ્‍બરે શ્રી ખોલડધામ વિદ્યાર્થી સમિતિ કન્‍વીર મીટ-2023 યોજાશે

vartmanpravah

વાપીની આશાધામ સ્‍કૂલમાં કર્મચારીઓનો સંચાલકો સાથે વિવાદઃ સમાન વેતન હક્ક આપવા કરેલી માંગ

vartmanpravah

ભીલાડ નજીક ડેહલીનીસ્‍ટાર્ટા કંપનીની બાંધકામ સાઈટ ઉપર સર્જાયેલા અકસ્‍માતમાં એકનું મોત બે ઘાયલ

vartmanpravah

Leave a Comment