July 23, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સલવાવની સ્‍વામિનારાયણ સ્‍કૂલમાં વી.એચ.પી. દ્વારા 59 મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

પાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ, સંઘના સ્‍વયં સેવકોએ રાષ્‍ટ્રલક્ષી ચારિત્ર્યના સંકલ્‍પ લીધા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી સલવાવ સ્‍વામિનારાયણ સ્‍કૂલમાં વિશ્વ હિન્‍દુ પરિષદ વલસાડ જિલ્લા દ્વારા 59મા સ્‍થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. સંઘના અને વિ.એચ.પી.ના કાર્યકરો અને શહેરના અગ્રણીઓ વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યાહતા.
કાર્યક્રમમાં શ્રીરામ મંદિર નિર્માણ, શ્રીરામ સેતુ રક્ષા, અમરનાથ યાત્રા, લવજેહાદ પર પ્રતિબંધ જેવા મુદ્દાઓ ઉપર ઉપસ્‍થિત ખાસ મુખ્‍ય વક્‍તા સંઘના દેવેન્‍દ્ર પીમ્‍યુટરે પ્રકાશ ફેક્‍યો હતો તેમજ હિન્‍દુ ધર્મના પ્રચાર-પ્રસાર માટે વિશ્વ હિન્‍દુ પરિષદ 59 વર્ષથી દેશ-પરદેશમાં કાર્યરત છે. એક સમયે વિશ્વ આખું ભારત માતાના પરમ વૈભવ હેઠળ હતું પરંતુ આકાંતાએ આ ગરીમા ખરડી દીધી હતી. હવે ભારત વિશ્વ ગુરુ બનવા સંકલ્‍પ સાથે દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. શ્રી કૃષ્‍ણ જન્‍માષ્‍ટમીના શુભ દિને તા.29 ઓગસ્‍ટ 1964માં સ્‍વામિ ચિન્‍મયાનંદજીએ મુંબઈ સાંદિયની આશ્રમમાં વિ.એચ.પી.ની સ્‍થાપના કરી હતી. આ પ્રસંગે સલવાવ ગુરુકુળના સ્‍વામી રામસ્‍વામી, પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, ઉપ પ્રમુખ અભય શાહ, પ્રાંત સંયોજક અજીત સોલંકી સહિત સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરને ભારત સરકારની ગૃહ મંત્રાલય સમિતિના સભ્‍ય બનાવાયા

vartmanpravah

વાપીની બાયર કંપનીની સ્‍ટાફ બસને અકસ્‍માત નડયો : 16 કર્મચારીઓ ઘાયલ

vartmanpravah

દાનહના કાપડ ઉદ્યોગના પ્રતિનિધિઓ જોડે ભારતીય રેલવેના જનરલ મેનેજર અનુ ત્‍યાગીની મહત્‍વની બેઠક

vartmanpravah

દાનહના રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં આદિવાસી સમાજ દ્વારા વાઘબારસની પારંપરિક ઉજવણી કરાઈ

vartmanpravah

મોટી દમણની ભામટી પ્રાથમિક શાળામાં આનંદ અને ઉત્‍સાહ સાથે ઉજવાયો પ્રવેશોત્‍સવ

vartmanpravah

Leave a Comment