Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સલવાવની સ્‍વામિનારાયણ સ્‍કૂલમાં વી.એચ.પી. દ્વારા 59 મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

પાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ, સંઘના સ્‍વયં સેવકોએ રાષ્‍ટ્રલક્ષી ચારિત્ર્યના સંકલ્‍પ લીધા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી સલવાવ સ્‍વામિનારાયણ સ્‍કૂલમાં વિશ્વ હિન્‍દુ પરિષદ વલસાડ જિલ્લા દ્વારા 59મા સ્‍થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. સંઘના અને વિ.એચ.પી.ના કાર્યકરો અને શહેરના અગ્રણીઓ વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યાહતા.
કાર્યક્રમમાં શ્રીરામ મંદિર નિર્માણ, શ્રીરામ સેતુ રક્ષા, અમરનાથ યાત્રા, લવજેહાદ પર પ્રતિબંધ જેવા મુદ્દાઓ ઉપર ઉપસ્‍થિત ખાસ મુખ્‍ય વક્‍તા સંઘના દેવેન્‍દ્ર પીમ્‍યુટરે પ્રકાશ ફેક્‍યો હતો તેમજ હિન્‍દુ ધર્મના પ્રચાર-પ્રસાર માટે વિશ્વ હિન્‍દુ પરિષદ 59 વર્ષથી દેશ-પરદેશમાં કાર્યરત છે. એક સમયે વિશ્વ આખું ભારત માતાના પરમ વૈભવ હેઠળ હતું પરંતુ આકાંતાએ આ ગરીમા ખરડી દીધી હતી. હવે ભારત વિશ્વ ગુરુ બનવા સંકલ્‍પ સાથે દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. શ્રી કૃષ્‍ણ જન્‍માષ્‍ટમીના શુભ દિને તા.29 ઓગસ્‍ટ 1964માં સ્‍વામિ ચિન્‍મયાનંદજીએ મુંબઈ સાંદિયની આશ્રમમાં વિ.એચ.પી.ની સ્‍થાપના કરી હતી. આ પ્રસંગે સલવાવ ગુરુકુળના સ્‍વામી રામસ્‍વામી, પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, ઉપ પ્રમુખ અભય શાહ, પ્રાંત સંયોજક અજીત સોલંકી સહિત સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ રોટરી ક્‍લબના પૂર્વ પ્રમુખ અને ડાયરેક્‍ટર વિરલ રાજપૂતે દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની લીધેલી મુલાકાતઃ જ્ઞાનની પરબ શરૂ કરવા બદલ સરપંચશ્રીને આપેલા અભિનંદન

vartmanpravah

દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ક્‍વીઝ કોમ્‍પિટિશનનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહઃ વાઘછીપાના જર્જરિત રસ્‍તાઓનું જિલ્લા કલેક્‍ટરે પોતાની ટીમ સાથે કરેલું નિરીક્ષણઃ રસ્‍તાઓના નવીનિકરણની સંભાવના

vartmanpravah

દમણ-દીવમાં ભાજપે ચોથી ટર્મ માટે પણ સાંસદ લાલુભાઈ પટેલને ટિકિટ આપતાં લોકોમાં પ્રગટ થઈ રહેલો અપાર આનંદ-ઉત્‍સાહ

vartmanpravah

ચીખલીના સમરોલી-કેસલી માર્ગ ઉપર નમી ગયેલા વીજપોલ અને વીજતારો જોખમી

vartmanpravah

ખરડપાડા પંચાયત દ્વારા ખખડધજ રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

vartmanpravah

Leave a Comment